વડોદરા. શહેરમાં કોરોનાનુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ દર્દીઓના સાચા આકંડા છુપાવવામાં આવી રહ્યાં હોવાના અનેક આક્ષેપો થઇ રહ્યાં છે. ગત રોજ વડોદરા મહાનગર પાલિકાના સત્તાવાર બુલેટીનમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 128 દર્શાવવામાં આવી હતી. જ્યારે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના 34 આરોગ્ય કેન્દ્ર પરના આંકડા રજુ કરાતા બન્ને વચ્ચે ખુબ જ લાંબો તફાવત જોવા મળ્યો હતો. શહેરના કુલ 34 આરોગ્ય કેન્દ્ર પર માત્ર 2 કલાકમાં જ 236 પોઝિટીવ દર્દીઓ નોંધાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
રાજ્ય ભરમાં જે રીતે અનલોક પચી કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તે બાબત ખૂબ જ ગંભીર હોવાનુ નિષ્ણાંતો દ્વારા માનાવમાં આવી રહ્યું છે. જોકે હજી સુધી કોરોના વાયરસની કોઇ રસી મળી આવી નથી, જેથી લોકોએ પોતે જ પોતાની સુરક્ષા કરવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં પણ 4 હજાર ઉપરાંતના ટેસ્ટીંગ સામે સરેરાસ 125 દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાઇ રહ્યાં છે. તેવામાં શહેરની ગોત્રી હોસ્પિટલમાં સતત સેવા આપી રહેલા નોડલ ઓફીસર ડો. શીતલ મિસ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
શહેરની ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં છેલ્લા 5 માસથી નોડલ ઓફિસર તરીકે નિમાયેલા ડો. શીતલભાઈ મિસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. તેઓ સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. કોઈ કોરોના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખતા હતા અને કોરોના દર્દીઓ તરફથી આવતી સારવાર અને સુવિધાઓને લાગતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરતા હતા. આખરે તેઓ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.
વડોદરા. શહેરમાં કોરોનાનુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ દર્દીઓના સાચા આકંડા છુપાવવામાં આવી રહ્યાં હોવાના અનેક આક્ષેપો થઇ રહ્યાં છે. ગત રોજ વડોદરા મહાનગર પાલિકાના સત્તાવાર બુલેટીનમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 128 દર્શાવવામાં આવી હતી. જ્યારે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના 34 આરોગ્ય કેન્દ્ર પરના આંકડા રજુ કરાતા બન્ને વચ્ચે ખુબ જ લાંબો તફાવત જોવા મળ્યો હતો. શહેરના કુલ 34 આરોગ્ય કેન્દ્ર પર માત્ર 2 કલાકમાં જ 236 પોઝિટીવ દર્દીઓ નોંધાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
રાજ્ય ભરમાં જે રીતે અનલોક પચી કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તે બાબત ખૂબ જ ગંભીર હોવાનુ નિષ્ણાંતો દ્વારા માનાવમાં આવી રહ્યું છે. જોકે હજી સુધી કોરોના વાયરસની કોઇ રસી મળી આવી નથી, જેથી લોકોએ પોતે જ પોતાની સુરક્ષા કરવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં પણ 4 હજાર ઉપરાંતના ટેસ્ટીંગ સામે સરેરાસ 125 દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાઇ રહ્યાં છે. તેવામાં શહેરની ગોત્રી હોસ્પિટલમાં સતત સેવા આપી રહેલા નોડલ ઓફીસર ડો. શીતલ મિસ્ત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
શહેરની ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં છેલ્લા 5 માસથી નોડલ ઓફિસર તરીકે નિમાયેલા ડો. શીતલભાઈ મિસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. તેઓ સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. કોઈ કોરોના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખતા હતા અને કોરોના દર્દીઓ તરફથી આવતી સારવાર અને સુવિધાઓને લાગતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરતા હતા. આખરે તેઓ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.