સનફાર્મા રોડ ઉપરના ઝાડેશ્વર નગર યુ.એસ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી
પેટ્રોલીંગ કરી રહેલી જે.પી પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચતા ઉશકેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
એલ.આર.ડી જવાનની બાઇકને બાણમાં લઇ આગ ચાંપી દીધી
પોલીસની પીસીઆર વાનને પણ નિશાન બનાવી પત્થરમારો કર્યો
હુમલામાં પી.સી.આર. વાનના એ.એસ.આઇ. વિનોદભાઇને હાથમાં ગંભીર ઇજા પહોંચી
વડોદરા. શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસને ઉશ્કેરાયેલા ટોળાએ નિશાન બનાવી પત્થરમારો કર્યો અને પોલીસ કર્મીની બાઇક પણ સળગાવી દીધી હતી. પોલીસ પર થયેલા આ હુમલાના બનાવમાં પીસીઆર વાનના એ.એસ.આઇને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે જે.પી. પોલીસે આ મામલે ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના રસ્તા ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહત આવેલી છે. જ્યાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી જે.પી. પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઉભી થઇ ગઇ હતી. અને મામલો થાડે પાડવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ કંઇ વિચારે તે પહેલાંજ ઝઘડો કરી રહેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
https://youtu.be/jf8Kaej5OJM
આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ એલ.આર.ડી. જવાન દેવેન્દ્રભાઇની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થર મારામાં અને હુમલામાં પી.સી.આર. વાનના એ.એસ.આઇ. વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત એ.એસ.આઇ.ને તુરતજ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હુમલામાં તેઓને હાથમાં ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે જે.પી પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઇકને નુકશાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
- સનફાર્મા રોડ ઉપરના ઝાડેશ્વર નગર યુ.એસ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી
- પેટ્રોલીંગ કરી રહેલી જે.પી પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચતા ઉશકેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
- એલ.આર.ડી જવાનની બાઇકને બાણમાં લઇ આગ ચાંપી દીધી
- પોલીસની પીસીઆર વાનને પણ નિશાન બનાવી પત્થરમારો કર્યો
- હુમલામાં પી.સી.આર. વાનના એ.એસ.આઇ. વિનોદભાઇને હાથમાં ગંભીર ઇજા પહોંચી
વડોદરા. શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસને ઉશ્કેરાયેલા ટોળાએ નિશાન બનાવી પત્થરમારો કર્યો અને પોલીસ કર્મીની બાઇક પણ સળગાવી દીધી હતી. પોલીસ પર થયેલા આ હુમલાના બનાવમાં પીસીઆર વાનના એ.એસ.આઇને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે જે.પી. પોલીસે આ મામલે ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના રસ્તા ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહત આવેલી છે. જ્યાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી જે.પી. પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઉભી થઇ ગઇ હતી. અને મામલો થાડે પાડવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ કંઇ વિચારે તે પહેલાંજ ઝઘડો કરી રહેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ એલ.આર.ડી. જવાન દેવેન્દ્રભાઇની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થર મારામાં અને હુમલામાં પી.સી.આર. વાનના એ.એસ.આઇ. વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત એ.એસ.આઇ.ને તુરતજ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હુમલામાં તેઓને હાથમાં ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે જે.પી પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઇકને નુકશાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.