ભરૂચ જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન હાલ રોજનું 250 ટન થઈ રહ્યું છે જેની સામે ખપત 40 ટન જેટલી છે
નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરાતા સરપલ્સ ઓક્સિજન અમદાવાદ, વડોદરા, આણંદ સહિત અન્યને પણ મોકલાય છે
અગાઉ દહેજથી ગ્રીન કોરિડોર કરી અમદાવાદ બાદ બુધવારે આણંદમાં ઓક્સિજનનો જથ્થો મોકલાયો
ભરૂચની રોજની 40 ટન ડિમાન્ડ સામે માત્ર GNFC કંપની જ રોજ ફ્રીમાં 60 ટન આપે છે
ભરૂચ જિલ્લામાં ઓક્સિજન કરતા પણ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉપલબ્ધ ઓક્સિજન બેડ, રિફીલિંગ બોટલો અને ફ્લો મીટરની અછતનો પ્રશ્ન
200 ટન જેટલુ ઓક્સિજન ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલાય છે - એમ.પી નાકરાણી (આસિ. કમિશ્નર)
WatchGujarat. ભારતની બીજી સૌથી પ્રાચીન નગરી ભરૂચ 8000 વર્ષના તેના સુવર્ણ ઇતિહાસમાં દેશ અને દુનિયામાં તેના સમૃદ્ધ વેપાર-ધંધા માટે સુપ્રસિદ્ધ હતી. હાલની ઔદ્યોગિક નગરી કોરોનાકાળમાં પણ ઓક્સિજનમાં આત્મનિર્ભર રહી ગુજરાત સાથે અન્ય રાજ્યોને ઓક્સિજન પૂરો પાડી રહી છે.
ભરૂચ જિલ્લામાં હાલ કોરોના મહામારી વચ્ચે 2000 જેટલા એક્ટિવ દર્દીઓ વિવિધ 60 થી વધુ કોવિડ હોસ્પિટલ સાથે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લાને ઓક્સિજનની હાલની રોજિંદી જરૂરિયાત 40 ટન આસપાસ છે, તેની સામે જ એકમાત્ર GNFC કંપની નાઇટ્રોજન પ્લાન્ટ ને ઓક્સિજનમાં કન્વર્ટ કરી રોજ 60 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી ફ્રીમાં પૂરો પાડી રહી છે.
હજી સુધી જિલ્લામાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી પરંતુ ઓક્સિજન બોટલ, ફ્લો મીટર કે ઓક્સિજન બેડ નહિ મળવાથી આવા કિસ્સાઓમાં હતભાગી દર્દીઓ મોતને ભેટ્યા છે.
એશિયાની નંબર 1 અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ બીજા વેવની સ્થિતિ અને ત્રીજા વેવ માટે તૈયાર રહેવા ઓક્સિજન પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. નાઇટ્રોજનના પ્લાન્ટને ઓક્સિજનમાં તબદીલ કરી દેવાયા છે. જે રોજ 150 ટન જેટલા ઓક્સિજનનું ઉત્પાદન કરી રહયા છે.
જેને લઈ કહી શકાય કે ઔદ્યોગિક નગરી અને પ્રાચીન ભૃગુનગરી ઓક્સિજનના ઉત્પાદનમાં કોરોનાકાળમાં આત્મનિર્ભર છે જે અમદાવાદ, આણંદ સહિત અન્ય જિલ્લા સાથે ગુજરાત બહાર બીજા રાજ્યોને પણ ઓક્સિજનનો સરપલ્સ પોતાના જથ્થામાંથીનો પૂરો પાડી રહી છે.
આગાઉ ભરૂચ અને દહેજથી પોલીસ પ્રોટેક્શનમાં ઓક્સિજનનો જથ્થો અમદાવાદ મોકલાયો હતો, બુધવારે ગ્રીન કોરિડોર બનાવી આણંદ ઓક્સિજનનું એક ટેન્કર મોકલવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
સરકાર અને તંત્ર હવે બીજા વેવ નહિ પરંતુ ત્રીજા વેવને ધ્યાને રાખી નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરવા સાથે જે તે સરકારી હોસ્પિટલ ખાતે સીધો સપ્લાય આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ત્રીજા વેવમાં પરિસ્થિતિ વણસે તો તંત્ર પોહચીવળવા ની સ્થિતિમાં પહેલાથી તૈયાર હોય.
આ અંગે ફુ઼ડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશ્નર એમ.પી નાકરાણીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વસાહતો, અંકલેશ્વર, દહેજ અને પાનોલીની 23થી વધુ કંપનીઓ હાલ તેમના નાઇટ્રોજન બેઝ પ્લાન્ટને કનવર્ટ કરી કોવિડ-19માં ઓક્સિજનનુ ઉત્પાદન કરી રહીં છે. જિલ્લામાં દહેજની લીન્ડે, ભરૂચની જી.એન.એફ.સી કંપની રોજના 210 ટન ઓક્સિજન ઉત્પાદન કરી રહીં છે. જ્યારે કુલ મળી 23થી વધુ કંપનીઓ 250 ટન જેટલુ ઓક્સિજન ઉત્પાદન કરી રહીં છે. જે સરપ્લસ જથ્થો (અંદાજીત 200 ટન) ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે પુરો પાડવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન હાલ રોજનું 250 ટન થઈ રહ્યું છે જેની સામે ખપત 40 ટન જેટલી છે
નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરાતા સરપલ્સ ઓક્સિજન અમદાવાદ, વડોદરા, આણંદ સહિત અન્યને પણ મોકલાય છે
અગાઉ દહેજથી ગ્રીન કોરિડોર કરી અમદાવાદ બાદ બુધવારે આણંદમાં ઓક્સિજનનો જથ્થો મોકલાયો
ભરૂચની રોજની 40 ટન ડિમાન્ડ સામે માત્ર GNFC કંપની જ રોજ ફ્રીમાં 60 ટન આપે છે
ભરૂચ જિલ્લામાં ઓક્સિજન કરતા પણ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉપલબ્ધ ઓક્સિજન બેડ, રિફીલિંગ બોટલો અને ફ્લો મીટરની અછતનો પ્રશ્ન
200 ટન જેટલુ ઓક્સિજન ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલાય છે - એમ.પી નાકરાણી (આસિ. કમિશ્નર)
WatchGujarat. ભારતની બીજી સૌથી પ્રાચીન નગરી ભરૂચ 8000 વર્ષના તેના સુવર્ણ ઇતિહાસમાં દેશ અને દુનિયામાં તેના સમૃદ્ધ વેપાર-ધંધા માટે સુપ્રસિદ્ધ હતી. હાલની ઔદ્યોગિક નગરી કોરોનાકાળમાં પણ ઓક્સિજનમાં આત્મનિર્ભર રહી ગુજરાત સાથે અન્ય રાજ્યોને ઓક્સિજન પૂરો પાડી રહી છે.
ભરૂચ જિલ્લામાં હાલ કોરોના મહામારી વચ્ચે 2000 જેટલા એક્ટિવ દર્દીઓ વિવિધ 60 થી વધુ કોવિડ હોસ્પિટલ સાથે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લાને ઓક્સિજનની હાલની રોજિંદી જરૂરિયાત 40 ટન આસપાસ છે, તેની સામે જ એકમાત્ર GNFC કંપની નાઇટ્રોજન પ્લાન્ટ ને ઓક્સિજનમાં કન્વર્ટ કરી રોજ 60 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી ફ્રીમાં પૂરો પાડી રહી છે.
હજી સુધી જિલ્લામાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી પરંતુ ઓક્સિજન બોટલ, ફ્લો મીટર કે ઓક્સિજન બેડ નહિ મળવાથી આવા કિસ્સાઓમાં હતભાગી દર્દીઓ મોતને ભેટ્યા છે.
એશિયાની નંબર 1 અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ બીજા વેવની સ્થિતિ અને ત્રીજા વેવ માટે તૈયાર રહેવા ઓક્સિજન પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. નાઇટ્રોજનના પ્લાન્ટને ઓક્સિજનમાં તબદીલ કરી દેવાયા છે. જે રોજ 150 ટન જેટલા ઓક્સિજનનું ઉત્પાદન કરી રહયા છે.
જેને લઈ કહી શકાય કે ઔદ્યોગિક નગરી અને પ્રાચીન ભૃગુનગરી ઓક્સિજનના ઉત્પાદનમાં કોરોનાકાળમાં આત્મનિર્ભર છે જે અમદાવાદ, આણંદ સહિત અન્ય જિલ્લા સાથે ગુજરાત બહાર બીજા રાજ્યોને પણ ઓક્સિજનનો સરપલ્સ પોતાના જથ્થામાંથીનો પૂરો પાડી રહી છે.
આગાઉ ભરૂચ અને દહેજથી પોલીસ પ્રોટેક્શનમાં ઓક્સિજનનો જથ્થો અમદાવાદ મોકલાયો હતો, બુધવારે ગ્રીન કોરિડોર બનાવી આણંદ ઓક્સિજનનું એક ટેન્કર મોકલવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
સરકાર અને તંત્ર હવે બીજા વેવ નહિ પરંતુ ત્રીજા વેવને ધ્યાને રાખી નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરવા સાથે જે તે સરકારી હોસ્પિટલ ખાતે સીધો સપ્લાય આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ત્રીજા વેવમાં પરિસ્થિતિ વણસે તો તંત્ર પોહચીવળવા ની સ્થિતિમાં પહેલાથી તૈયાર હોય.
આ અંગે ફુ઼ડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશ્નર એમ.પી નાકરાણીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વસાહતો, અંકલેશ્વર, દહેજ અને પાનોલીની 23થી વધુ કંપનીઓ હાલ તેમના નાઇટ્રોજન બેઝ પ્લાન્ટને કનવર્ટ કરી કોવિડ-19માં ઓક્સિજનનુ ઉત્પાદન કરી રહીં છે. જિલ્લામાં દહેજની લીન્ડે, ભરૂચની જી.એન.એફ.સી કંપની રોજના 210 ટન ઓક્સિજન ઉત્પાદન કરી રહીં છે. જ્યારે કુલ મળી 23થી વધુ કંપનીઓ 250 ટન જેટલુ ઓક્સિજન ઉત્પાદન કરી રહીં છે. જે સરપ્લસ જથ્થો (અંદાજીત 200 ટન) ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે પુરો પાડવામાં આવી રહ્યો છે.