WatchGujarat. જરૂરિયાતમંદો માટે ભોજનસેવા આપવા હંમેશા સદા અગ્રેસર રહેતા ઇસ્કોન મંદિર-વડોદરા દ્વારા ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વે ગરીબોને ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવનાર છે. ઇસ્કોન મંદિર દ્વારા આ માટે ઘઉંના લાડુ, તલના લાડુ અને ફુલવડીના 25000 ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ પૂ.નિત્યાનંદ સ્વામીએ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વ માટે તૈયાર કરાયેલા ફુડ પેકેટ્સ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇસ્કોન મંદિર વડોદરામાં 1995 થી ઉત્તરાયણ પર્વે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફુડ પેકેટ્સ બનાવી તેનું વિતરણ કરે છે. આ વર્ષે શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં ઇસ્કોનમંદિર તરફથી 25000 થી વધુ ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
ઇસ્કોન મંદિર તરફથી વિતરણ કરવામાં આવનાર ફુડ પેકેટ્સમાં 2 નંગ તલના લાડુ, 2 નંગ ઘઉંના લોટના લાડુ, મમરાના લાડુ અને 100 ગ્રામ ફુલવડી આપવામાં આવશે. આ માટે ઇસ્કોન મંદિરમાં છેલ્લા 5 દિવસથી લાડુ-ફુલવડી બનાવી સ્વયંસેવકો દ્વારા તેના પેકેટ્સ તૈયાર કરાઇ રહ્યા છે. ઉત્તરાયણ પર્વે આ ફુડ પેકેટ્સ ટેમ્પો દ્વારા વિવિધ વિસ્તારોમાં લઇ જઇ તેનું વિતરણ કરાશે.
ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ પૂ.નિત્યાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, તલના લાડુ, ઘઉંના લોટના લાડુ અને ફુલવડી બનાવવા માટે જંગી માત્રામાં વિવિધ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાયો છે. જેમાં 110 ડબ્બા શુદ્ધ ઘી, 100 ડબ્બા તેલ, 1500 કિલોગ્રામ સફેદ અને કાળા તલ, 2000 કિલોગ્રામ ગોળ, 1000 કિલોગ્રામ ખાંડ, 1200 કિલોગ્રામ ઘઉંનો લોટ, 1200 કિલોગ્રામ ફુલવડી માટેનો લોટ આ ઉપરાંત 50 કોથળા મમરા તેમજ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરાયો છે.
ઉત્તરાયણ પર્વે ઇસ્કોન મંદિરના ગેટ પાસે પણ આ ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન ઇસ્કોન મંદિર તરફથી બે મહિના સુધી ગરીબોને ભોજનસેવા ઉપલબ્ધ કરાવાઇ હતી. ઇસ્કોન મંદિરના આ કાર્યની ભારત સરકાર દ્વારા પ્રશંસા કરાઇ હતી.
WatchGujarat. જરૂરિયાતમંદો માટે ભોજનસેવા આપવા હંમેશા સદા અગ્રેસર રહેતા ઇસ્કોન મંદિર-વડોદરા દ્વારા ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વે ગરીબોને ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવનાર છે. ઇસ્કોન મંદિર દ્વારા આ માટે ઘઉંના લાડુ, તલના લાડુ અને ફુલવડીના 25000 ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ પૂ.નિત્યાનંદ સ્વામીએ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વ માટે તૈયાર કરાયેલા ફુડ પેકેટ્સ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇસ્કોન મંદિર વડોદરામાં 1995 થી ઉત્તરાયણ પર્વે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફુડ પેકેટ્સ બનાવી તેનું વિતરણ કરે છે. આ વર્ષે શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં ઇસ્કોનમંદિર તરફથી 25000 થી વધુ ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
ઇસ્કોન મંદિર તરફથી વિતરણ કરવામાં આવનાર ફુડ પેકેટ્સમાં 2 નંગ તલના લાડુ, 2 નંગ ઘઉંના લોટના લાડુ, મમરાના લાડુ અને 100 ગ્રામ ફુલવડી આપવામાં આવશે. આ માટે ઇસ્કોન મંદિરમાં છેલ્લા 5 દિવસથી લાડુ-ફુલવડી બનાવી સ્વયંસેવકો દ્વારા તેના પેકેટ્સ તૈયાર કરાઇ રહ્યા છે. ઉત્તરાયણ પર્વે આ ફુડ પેકેટ્સ ટેમ્પો દ્વારા વિવિધ વિસ્તારોમાં લઇ જઇ તેનું વિતરણ કરાશે.
ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ પૂ.નિત્યાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, તલના લાડુ, ઘઉંના લોટના લાડુ અને ફુલવડી બનાવવા માટે જંગી માત્રામાં વિવિધ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાયો છે. જેમાં 110 ડબ્બા શુદ્ધ ઘી, 100 ડબ્બા તેલ, 1500 કિલોગ્રામ સફેદ અને કાળા તલ, 2000 કિલોગ્રામ ગોળ, 1000 કિલોગ્રામ ખાંડ, 1200 કિલોગ્રામ ઘઉંનો લોટ, 1200 કિલોગ્રામ ફુલવડી માટેનો લોટ આ ઉપરાંત 50 કોથળા મમરા તેમજ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરાયો છે.
ઉત્તરાયણ પર્વે ઇસ્કોન મંદિરના ગેટ પાસે પણ આ ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન ઇસ્કોન મંદિર તરફથી બે મહિના સુધી ગરીબોને ભોજનસેવા ઉપલબ્ધ કરાવાઇ હતી. ઇસ્કોન મંદિરના આ કાર્યની ભારત સરકાર દ્વારા પ્રશંસા કરાઇ હતી.