મંદિર સ્થિત ધર્મ સ્થંભ બન્યો ધ્વજ સ્થંભ
72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી તેની આરાધના કરવાનો સંદેશ આપ્યો
યજુર્વેદ ના 10 માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના પાઠનું પઠન અને કોરોના મહામારી થી પ્રજાને મુક્તિ અપાવવાની પ્રાર્થના
WatchGujarat. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ના આંગણે પવિત્ર નર્મદા માવડીના સાનિધ્યમાં કુબેર ભંડારી દાદા એ પણ દેશ ભક્તિભાવ સભર વાતાવરણમાં 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી તેની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનારી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે કુબેર દાદા ને રાષ્ટ્રીય ધ્વજ સમા કેસરી સફેદ અને લીલા રંગના ફૂલો અને આસોપાલવ થી શણગારવામાં આવ્યા હતા તેમજ કુબેર દાદા અને અંબા માતાની મૂર્તિને પણ ધ્વજ સમાન ફૂલો નો હાર અર્પણ કરવામાં આવ્યો હતો
કુબેર ભંડારી દાદાની રોજ પ્રાતઃસમયની વૈદિક પૂજા દરમિયાન પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યજુર્વેદ ના 10 માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના પાઠનું પઠણ અને કોરોના મહામારી થી પ્રજાને મુક્તિ અપાવવાની પ્રાર્થના સાથે કુબેર દાદા પર દૂધ નર્મદા નીર અને પંચામૃતનો અભિષેક કરી અખંડ ભારત અને પ્રજાની સુખાકારી ની પ્રાર્થના કરવામાં આવી હતી.
કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રસંગો જેટલા જ ઉત્સાહ થી કુબેર ભંડારી શિવાલય ખાતે સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ અનોખું આયોજન ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિદ્વાન ભૂદેવો અને ભક્તોના સહયોગ થી કરવામાં આવે છે. આ મંદિરની ભૂગર્ભ ગુફામાં જ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે અતિ મનસ ચેતનાની દિવ્ય સાધના કરી હતી.
મંદિરના પ્રાંગણમાં જે ધર્મ સ્થંભ છે એનો જ ધ્વજ દંડ બનાવીને એના પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભક્તજનોમાં ભક્તિભાવ ની જેમ રાષ્ટ્ર ભાવ માં વધારો થાય તે પ્રમાણે કુબેર ભંડારી મંદિર ને તિરંગા ના કેસરી સફેદ અને લીલા પુષ્પો અને આસોપાલવ થી શણગારવામાં આવ્યા હતા. નિત્યક્રમ પ્રમાણે થતી પ્રાતઃ સમયની પૂજા આરતી માં રાષ્ટ્રીય સૂચના પાઠ નું પઠન પણ કરવામાં આવ્યું હતું.
મંદિર સ્થિત ધર્મ સ્થંભ બન્યો ધ્વજ સ્થંભ
72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી તેની આરાધના કરવાનો સંદેશ આપ્યો
યજુર્વેદ ના 10 માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના પાઠનું પઠન અને કોરોના મહામારી થી પ્રજાને મુક્તિ અપાવવાની પ્રાર્થના
WatchGujarat. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ના આંગણે પવિત્ર નર્મદા માવડીના સાનિધ્યમાં કુબેર ભંડારી દાદા એ પણ દેશ ભક્તિભાવ સભર વાતાવરણમાં 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી તેની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનારી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે કુબેર દાદા ને રાષ્ટ્રીય ધ્વજ સમા કેસરી સફેદ અને લીલા રંગના ફૂલો અને આસોપાલવ થી શણગારવામાં આવ્યા હતા તેમજ કુબેર દાદા અને અંબા માતાની મૂર્તિને પણ ધ્વજ સમાન ફૂલો નો હાર અર્પણ કરવામાં આવ્યો હતો
કુબેર ભંડારી દાદાની રોજ પ્રાતઃસમયની વૈદિક પૂજા દરમિયાન પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યજુર્વેદ ના 10 માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના પાઠનું પઠણ અને કોરોના મહામારી થી પ્રજાને મુક્તિ અપાવવાની પ્રાર્થના સાથે કુબેર દાદા પર દૂધ નર્મદા નીર અને પંચામૃતનો અભિષેક કરી અખંડ ભારત અને પ્રજાની સુખાકારી ની પ્રાર્થના કરવામાં આવી હતી.
કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રસંગો જેટલા જ ઉત્સાહ થી કુબેર ભંડારી શિવાલય ખાતે સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ અનોખું આયોજન ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિદ્વાન ભૂદેવો અને ભક્તોના સહયોગ થી કરવામાં આવે છે. આ મંદિરની ભૂગર્ભ ગુફામાં જ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે અતિ મનસ ચેતનાની દિવ્ય સાધના કરી હતી.
મંદિરના પ્રાંગણમાં જે ધર્મ સ્થંભ છે એનો જ ધ્વજ દંડ બનાવીને એના પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભક્તજનોમાં ભક્તિભાવ ની જેમ રાષ્ટ્ર ભાવ માં વધારો થાય તે પ્રમાણે કુબેર ભંડારી મંદિર ને તિરંગા ના કેસરી સફેદ અને લીલા પુષ્પો અને આસોપાલવ થી શણગારવામાં આવ્યા હતા. નિત્યક્રમ પ્રમાણે થતી પ્રાતઃ સમયની પૂજા આરતી માં રાષ્ટ્રીય સૂચના પાઠ નું પઠન પણ કરવામાં આવ્યું હતું.