શિનોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી શખ્સની વડિલો પાર્જીત મિલ્કત પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી
જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા ભુમાફીયાઓમાં ફફડાય વ્યાપી જવા પામ્યો છે
WatchGujarat. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી. અને લેન્ડગ્રેબીંગનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં આવેલા શિનોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી શખ્સની વડિલો પાર્જીત મિલ્કત પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબીંગ હેઠળ પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિમળાબેન જશભાઇ પટેલ (ઉં- 65, સનસીટી સોસાયટી, માંજલપુર) ના પતિનું વર્ષ 1994 માં મૃત્યુ થયું હતું. તેઓની નાના કરાળા ગામમાં અઢી વિઘા જેટલી વડીલો પાર્જીત મિલ્કત હતી. તેમના જ ગામના કમલેશ હસમુખભાઇ પટેલે બહેનની સંમતિ કે સહિઓ વગર બળજબરી પુર્વક જમીનનો કબ્જો પોતાની પાસે રાખ્યો હતો. આ મામલે વિમળાબેન દ્વારા કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી હતી. અરજીના અનુસંધાને તપાસ કરાતા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લીધો હોવાનું સામે આવ્યું હતું.
આખરે જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબીંગ હેઠળ ગુના હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 18 જાન્યુારીના રોજ કમલેશભાઇ હસમુખભાઇ પટેલ (રહે - નાના કરાળા, તા. શિનોર) અને રાજેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ (તા. શિનોર) સામે રાજ્ય સરકારના નવા લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવેલા લેન્ડગ્રેબીંગના કાયદા અંતર્ગત વડોદરા જિલ્લામાં ગતરોજ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા લેન્ડગ્રેબીંગ કાયદા હેઠળ ત્વરીત કાર્યવાહીને પગલે ભુમાફીયોમાં ફફડાય વ્યાપ્યો છે. આગામી સમયમાં વધુ માફિયાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સંભાવના છે.
શિનોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી શખ્સની વડિલો પાર્જીત મિલ્કત પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી
જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા ભુમાફીયાઓમાં ફફડાય વ્યાપી જવા પામ્યો છે
WatchGujarat. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી. અને લેન્ડગ્રેબીંગનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં આવેલા શિનોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી શખ્સની વડિલો પાર્જીત મિલ્કત પચાવી પાડવાના કિસ્સામાં કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબીંગ હેઠળ પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિમળાબેન જશભાઇ પટેલ (ઉં- 65, સનસીટી સોસાયટી, માંજલપુર) ના પતિનું વર્ષ 1994 માં મૃત્યુ થયું હતું. તેઓની નાના કરાળા ગામમાં અઢી વિઘા જેટલી વડીલો પાર્જીત મિલ્કત હતી. તેમના જ ગામના કમલેશ હસમુખભાઇ પટેલે બહેનની સંમતિ કે સહિઓ વગર બળજબરી પુર્વક જમીનનો કબ્જો પોતાની પાસે રાખ્યો હતો. આ મામલે વિમળાબેન દ્વારા કલેક્ટરેટમાં અરજી કરવામાં આવી હતી. અરજીના અનુસંધાને તપાસ કરાતા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લીધો હોવાનું સામે આવ્યું હતું.
આખરે જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબીંગ હેઠળ ગુના હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 18 જાન્યુારીના રોજ કમલેશભાઇ હસમુખભાઇ પટેલ (રહે - નાના કરાળા, તા. શિનોર) અને રાજેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ (તા. શિનોર) સામે રાજ્ય સરકારના નવા લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવેલા લેન્ડગ્રેબીંગના કાયદા અંતર્ગત વડોદરા જિલ્લામાં ગતરોજ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા લેન્ડગ્રેબીંગ કાયદા હેઠળ ત્વરીત કાર્યવાહીને પગલે ભુમાફીયોમાં ફફડાય વ્યાપ્યો છે. આગામી સમયમાં વધુ માફિયાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સંભાવના છે.