કોર્પોરેશનની ચૂંટણીને પગલે ફૈઝલ પટેલ ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે ગતરોજ અમદાવાદ પહોંચ્યા
અગાઉ ફૈઝલ પટેલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા
અમદાવાદમાં ફૈઝલે રાજકારણમાં પ્રવેશવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી ક્યાંથી આગામી વિધાનસભાની ચુંટણી લડવા માંગે છે તેમ જણાવ્યું
WatchGujarat. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકારણમાં પ્રવેશવના સંકેત આપ્યા છે. ગત મહિને જ ફૈઝલ પટેલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા અને તેઓ તેમના મર્હૂમ પિતાના સામાજિક કાર્યોમાં રૂચી ધરાવે છે. ફૈઝરે સામાજીક કાર્યો કરવાનું ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમદાવાદ ખાતે કોંગ્રેસી ઉમેદવારના પ્રચાર દરમિયાન તેઓએ ચુંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે ફૈઝલ પટેલ ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે તેમણે રાજકીય મોરચે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.
40 વર્ષીય ફૈઝલ પટેલે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જો હાઈકમાન્ડ ઈચ્છે છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. ફૈઝલ પટેલે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે કારણ કે તે તેમનો વિસ્તાર છે.
કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર માટે ફૈઝલ પટેલને બોલાવ્યા હતા. નોંધનીય છે કે 25 નવેમ્બરના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલનું કોરોના પછીની સારવારમાં નિધન થયું હતું.
અહેમદ પટેલે પણ સક્રિય રાજકારણથી અંતર રાખ્યું હતું જેને પગલે 30 જાન્યારીએ ફૈઝલ પટેલે પણ પિતાના પગલે સામાજીક કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તેઓએ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને પાર્ટી (કોંગ્રેસ) હાઈકમાન્ડ ઈચ્છે છે તો તેઓ રાજનીતિમાં ઝંપલાવવા તૈયાર છે તેવો ઈરાદો તેમણે અમદાવાદ મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો.
કોર્પોરેશનની ચૂંટણીને પગલે ફૈઝલ પટેલ ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે ગતરોજ અમદાવાદ પહોંચ્યા
અગાઉ ફૈઝલ પટેલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા
અમદાવાદમાં ફૈઝલે રાજકારણમાં પ્રવેશવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી ક્યાંથી આગામી વિધાનસભાની ચુંટણી લડવા માંગે છે તેમ જણાવ્યું
WatchGujarat. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકારણમાં પ્રવેશવના સંકેત આપ્યા છે. ગત મહિને જ ફૈઝલ પટેલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા અને તેઓ તેમના મર્હૂમ પિતાના સામાજિક કાર્યોમાં રૂચી ધરાવે છે. ફૈઝરે સામાજીક કાર્યો કરવાનું ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમદાવાદ ખાતે કોંગ્રેસી ઉમેદવારના પ્રચાર દરમિયાન તેઓએ ચુંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે ફૈઝલ પટેલ ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે તેમણે રાજકીય મોરચે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.
40 વર્ષીય ફૈઝલ પટેલે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જો હાઈકમાન્ડ ઈચ્છે છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. ફૈઝલ પટેલે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે કારણ કે તે તેમનો વિસ્તાર છે.
કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર માટે ફૈઝલ પટેલને બોલાવ્યા હતા. નોંધનીય છે કે 25 નવેમ્બરના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલનું કોરોના પછીની સારવારમાં નિધન થયું હતું.
અહેમદ પટેલે પણ સક્રિય રાજકારણથી અંતર રાખ્યું હતું જેને પગલે 30 જાન્યારીએ ફૈઝલ પટેલે પણ પિતાના પગલે સામાજીક કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તેઓએ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને પાર્ટી (કોંગ્રેસ) હાઈકમાન્ડ ઈચ્છે છે તો તેઓ રાજનીતિમાં ઝંપલાવવા તૈયાર છે તેવો ઈરાદો તેમણે અમદાવાદ મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો.