WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી અને ચુંટણીમાં ભાજપાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીને ગતરોજ જાહેર સભામાં સ્ટેજ પર પડી ગયા હતા. ત્યાર બાદ તેઓને સારવાર અર્થે ખસેડાતા તેઓ કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું. વડોદરામાં મુખ્યમંત્રી સાથે રહેલા સ્થાનિક અગ્રણી નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.
કોરોનાએ દેશ-દુનિયામાં હાહાકાર મચાવી છે. કોરોનાની રસી આવ્યા બાદ કોરોનાનું જોર ઓછું પડ્યું હતું. પરંતુ કોરોના હજી ગયો નથી. તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઇએ તેવું ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વખત કહી ચુક્યા છે. જો કે, ગુજરાતમાં હાલ ચુંટણીનો માહોલ હોવાના કારણે કોરોનાની ગાઇડલાઇન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે.
ગત રોજ પ્રથમ વખત ભાજપાના સ્ટાર પ્રચારક અને રાજ્યના મુખ્યમંત્રી ચુંટણી લક્ષી જાહેર સભા કરવા આવ્યા હતા. ત્રીજી જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. અને ત્યાર બાદ તેઓ પ્રાથમિક સારવાર લીધા બાદ અમદાવાદ ગયા હતા. ત્યાં તબિબિ પરિક્ષણમાં તેઓને કોરોના પોઝીટીવ આવ્યાનું નિદાન થયું હતું. ત્યાર બાદ તેમની સાથે રહેલા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
https://twitter.com/vijayrupanibjp/status/1361305669001834503?s=20
મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. જેમાં વડોદરાના મંત્રી યોગેશ પટેલ બીજેપી ઉમેદવાર પરાક્રમસિંહ જાહેજા, રૂપલ મહેતા, છાયા ખરાડી, ડો, રાજેશ શાહે એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જો કે તમામના એન્ટીજન ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવતા હાશકારો અનુભવ્યો હતો.
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી અને ચુંટણીમાં ભાજપાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીને ગતરોજ જાહેર સભામાં સ્ટેજ પર પડી ગયા હતા. ત્યાર બાદ તેઓને સારવાર અર્થે ખસેડાતા તેઓ કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું. વડોદરામાં મુખ્યમંત્રી સાથે રહેલા સ્થાનિક અગ્રણી નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.
કોરોનાએ દેશ-દુનિયામાં હાહાકાર મચાવી છે. કોરોનાની રસી આવ્યા બાદ કોરોનાનું જોર ઓછું પડ્યું હતું. પરંતુ કોરોના હજી ગયો નથી. તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઇએ તેવું ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વખત કહી ચુક્યા છે. જો કે, ગુજરાતમાં હાલ ચુંટણીનો માહોલ હોવાના કારણે કોરોનાની ગાઇડલાઇન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે.
ગત રોજ પ્રથમ વખત ભાજપાના સ્ટાર પ્રચારક અને રાજ્યના મુખ્યમંત્રી ચુંટણી લક્ષી જાહેર સભા કરવા આવ્યા હતા. ત્રીજી જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. અને ત્યાર બાદ તેઓ પ્રાથમિક સારવાર લીધા બાદ અમદાવાદ ગયા હતા. ત્યાં તબિબિ પરિક્ષણમાં તેઓને કોરોના પોઝીટીવ આવ્યાનું નિદાન થયું હતું. ત્યાર બાદ તેમની સાથે રહેલા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. જેમાં વડોદરાના મંત્રી યોગેશ પટેલ બીજેપી ઉમેદવાર પરાક્રમસિંહ જાહેજા, રૂપલ મહેતા, છાયા ખરાડી, ડો, રાજેશ શાહે એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જો કે તમામના એન્ટીજન ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવતા હાશકારો અનુભવ્યો હતો.