પારૂલ યુનિ. સંચાલકો દ્વારા મામલાને રફેદફે કરી દેવાના પ્રયાસ.
વાઘોડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI એ.જી. પરમારનો બનાવની વિગતો છુપાવવાનો પ્રયાસ.
પ્રિન્સિપાલ નવજ્યોત ત્રિવેદીએ શારીરિક સંબંધ બાંધવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની હેરાનગતિ કરી.
પ્રિન્સિપાલ નવજ્યોત ત્રિવેદી અને આસિ. પ્રોફેસરને નોકરીમાંથી છૂટા કરી દેવાયા.
વડોદરા. છાશવારે વિવાદમાં સપડાતી પારૂલ યુનિવર્સિટીની કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક સંબંધો રાખવાના આશય સાથે મહિલા આસિ. પ્રોફેસરની સાથે અભદ્ર વર્તન કરી હેરાનગતિ કરવામાં આવી હોવાનો મામલો વાઘોડીયા પોલીસ મથકે પહોંચ્યો છે. વારંવાર વિવાદોમાં સપડાતી પારૂલ યુનિ. અંગે પ્રશ્ન થાય કે, આ વિદ્યાધામ છે કે વિવાદધામ? જોકે, દરેક વિવાદને શિફતપૂર્વક શાંત કરવાની ચોકસાઈ ધરાવતાં પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા આ બનાવને પણ રફેદફે કરવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પારૂલ યુનિ.ના બનાવ અંગે પત્રકારોને સ્પષ્ટ માહિતી નહીં આપીને વાઘોડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI એ. જી. પરમારે વિગતો છુપાવવાન પ્રયાસ કર્યો હતો. જેને પગલે આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે.
કોલ પર બિભત્સ માંગણી
પિડીતા યુવતિએ વાઘોડીયા પોલીસને જણાવ્યા પ્રમાણે, છેલ્લાં એક વર્ષથી તે પારૂલ યુનિ.માં પી.એચ.ડીના અભ્યાસ માટે એડમિશન લીધા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતી હતી. ફરજ દરમિયાન તે કોલેજના પ્રિન્સિપાલ નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદીના સંપર્કમાં આવી હતી. કોલેજ કેમ્પસમાં રહેતાં મૂળ પાલનપુરના નવજ્યોત ત્રિવેદી પરણિત છે અને એક પુત્રીના પિતા છે. છતાં પ્રિન્સિપાલે આસિ. પ્રોફેસર સાથે અંગત જીવન અને શારીરિક જીવન વિશે પુછપરછ કરી હતી. તેમજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેમજ અવાર નવાર કોલ પર બિભત્સ માંગણી કરવામાં આવી હતી.
તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ છેઃ નવજ્યોત ત્રિવેદી
ગત ડિસેમ્બર માસમાં દિલ્હી ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પારૂલ યુનિ.ના 28 વિદ્યાર્થી સાથેનો સ્ટાફ ગયો હતો. તે સમયગાળામાં મહિલા આસિ. પ્રોફેસર પ્રિન્સિપાલના વધુ પરિચયમાં આવી હતી. એ વખતે પ્રિન્સિપાલ નવજ્યોતે જણાવ્યું હતું કે, તું મને બહુ ગમે છે મારે તારી સાથે રહેવું છે. મારો વિશ્વાસ કર. તું મારી ગર્લફ્રેન્ડ છે.
તારી આખી કેરિયર ખરાબ કરી નાંખીશ.
આ ઉપરાંત પ્રિન્સિપાલે દારૂના નશામાં ધમકી આપી હતી કે, મારી ઇચ્છા પુરી કર નહીં તો તારી આખી કેરિયર ખરાબ કરી નાંખીશ. દિલ્હીથી પરત આવ્યા બાદ નવજ્યોત ત્રિવેદીએ આસિ. પ્રોફેસર સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું. કારણ વિના ધમકાવવું, ખોટા આરોપનામાં સાથે મેઇલ કરવા, ખોટી ધમકીઓ આપવી... વગેરે દ્વારા માનસિક હેરાનગતિ શરૂ કરવામાં આવતાં આસિ. પ્રોફેસરે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
તારા જેવી હજાર છોકરીઓ મારી જિંદગીમાં આવી અને ગઈ
કોલેજના કામોથી દૂર રાખવામાં આવતાં મહિલાએ પ્રિન્સિપાલને તે વિશે પુછતાં તેણે ઉદ્ધત જવાબ આપ્યો હતો કે, તારે જેવી હજાર છોકરીઓ મારી જિંદગીમાં આવી અને ગઈ... મારી તમામ માગણીઓ મારા કહ્યા પ્રમાણે પુરી કરતી હતી. જો તારે જીવનમાં આગળ આવવું હોય તો મારી તમામ માગણીઓને તાબે થવું પડશે. અને જો હું કહું તેમ નહીં કરે તો તારા કેરિયરને ખતમ કરી નાંખી.
મહિલા આસિ. પ્રોફેસર સસ્પેન્ડ કરી દેવાઈ.
પ્રિન્સિપાલની વારંવારની ધમકીથી કંટાળીને મહિલા પ્રોફેસરે ગત માર્ચ માસમાં રાજીનામું આપ્યું હતું. જોકે, મેનેજમેન્ટના ડરથી પ્રિન્સિપાલે રાજીનામું સ્વિકાર્યું નહોતું. ત્યારબાદ પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ ટ્રસ્ટીને ઇમેલ કરી મહિલા પ્રોફેસર પર ખોટા આક્ષેપો કર્યા હતાં. જેને પગલે મેનેજમેન્ટે મહીલા આસિ. પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ મહિલાનું સસ્પેન્શન રદ કરી પરત નોકરીમાં લેવાઈ હતી. જોકે, તેની બદલી હોસ્પિટલમાં કરી દેવાઈ હતી. અને ત્યાં તમામ સ્ટાફને મહિલા આસિ. પ્રોફેસર સાથે વાતચીત નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.
નવજ્યોત ત્રિવેદીની ધાક ધમકીથી ત્રાસેલી મહિલાએ વાઘોડીયા પોલીસનો સંપર્ક કર્યો
ત્યારબાદ જૂન મહિલામાં પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા બળજબરીપૂર્વક મહિલા આસિ. પ્રોફેસરનું રાજીનામું લખાવી લઇ છુટ્ટા કરી દેવામાં આવ્યાં હતા. પી.એચ.ડીના અભ્યાસ માટે પિતા સાથે રહેતી મહિલા આસિ. પ્રોફેસરે ઉપરોક્ત સમગ્ર બાબતે પિતાને જાણ કરી હતી. નવજ્યોત ત્રિવેદી દ્વારા અવારનવાર ધાક ધમકી આપવામાં આવી રહી હોવાથી આખરે મહિલાએ વાઘોડીયા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે બીજી તરફ, પારૂલ યુનિ. મેનેજમેન્ટ દ્વારા નવજ્યોત ત્રિવેદી અને મહિલા આસિ. પ્રોફેસરને પાણીચું પકડાવી, મામલો રફેદફે કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. બનાવ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવા Watch Gujarat દ્વારા વાઘોડીયા પોલીસ મથકના ઇન્ચાર્જ PSI એ. જી. પરમારનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે બનાવ અંગે પોલીસ મથકમાં અરજી પ્રાપ્ત થઈ હોવાનું સ્વિકાર્યું હતું. જોકે, તેનાથી વિશેષ કોઈ જ માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
પિડીતા મહિલાને ન્યાય મળશે કે સમાધાન કરાવી લેવાશે?
આ ઘટના બાદ પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા મહિલા પ્રોફેસર અને પ્રિન્સિપાલને અંદાજીત દોઢ મહિના પહેલા છુટ્ટા કરી દેવામાં આવ્યાં છે. પરંતુ મહિલાની અરજી અંગે પોલીસે કોઇ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરતા આખરે મહિલાની અરજીની તપાસ ડી.વાય.એસ.પી પાસે પહોંચી છે. હવે જોવાનુ એ રહ્યું કે પિડીતા મહિલાની અરજીને ન્યાય મળશે? કે પછી યેનકેન પ્રકારે દબાણ લાવી મહિલા આસી. પ્રોફેસર પાસે સમાધાન કરાવી લેવાશે?
પારૂલ યુનિ. સંચાલકો દ્વારા મામલાને રફેદફે કરી દેવાના પ્રયાસ.
પ્રિન્સિપાલ નવજ્યોત ત્રિવેદીએ શારીરિક સંબંધ બાંધવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની હેરાનગતિ કરી.
પ્રિન્સિપાલ નવજ્યોત ત્રિવેદી અને આસિ. પ્રોફેસરને નોકરીમાંથી છૂટા કરી દેવાયા.
વડોદરા. છાશવારે વિવાદમાં સપડાતી પારૂલ યુનિવર્સિટીની કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક સંબંધો રાખવાના આશય સાથે મહિલા આસિ. પ્રોફેસરની સાથે અભદ્ર વર્તન કરી હેરાનગતિ કરવામાં આવી હોવાનો મામલો વાઘોડીયા પોલીસ મથકે પહોંચ્યો છે. વારંવાર વિવાદોમાં સપડાતી પારૂલ યુનિ. અંગે પ્રશ્ન થાય કે, આ વિદ્યાધામ છે કે વિવાદધામ? જોકે, દરેક વિવાદને શિફતપૂર્વક શાંત કરવાની ચોકસાઈ ધરાવતાં પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા આ બનાવને પણ રફેદફે કરવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પારૂલ યુનિ.ના બનાવ અંગે પત્રકારોને સ્પષ્ટ માહિતી નહીં આપીને વાઘોડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI એ. જી. પરમારે વિગતો છુપાવવાન પ્રયાસ કર્યો હતો. જેને પગલે આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે.
કોલ પર બિભત્સ માંગણી
પિડીતા યુવતિએ વાઘોડીયા પોલીસને જણાવ્યા પ્રમાણે, છેલ્લાં એક વર્ષથી તે પારૂલ યુનિ.માં પી.એચ.ડીના અભ્યાસ માટે એડમિશન લીધા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતી હતી. ફરજ દરમિયાન તે કોલેજના પ્રિન્સિપાલ નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદીના સંપર્કમાં આવી હતી. કોલેજ કેમ્પસમાં રહેતાં મૂળ પાલનપુરના નવજ્યોત ત્રિવેદી પરણિત છે અને એક પુત્રીના પિતા છે. છતાં પ્રિન્સિપાલે આસિ. પ્રોફેસર સાથે અંગત જીવન અને શારીરિક જીવન વિશે પુછપરછ કરી હતી. તેમજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેમજ અવાર નવાર કોલ પર બિભત્સ માંગણી કરવામાં આવી હતી.
ગત ડિસેમ્બર માસમાં દિલ્હી ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પારૂલ યુનિ.ના 28 વિદ્યાર્થી સાથેનો સ્ટાફ ગયો હતો. તે સમયગાળામાં મહિલા આસિ. પ્રોફેસર પ્રિન્સિપાલના વધુ પરિચયમાં આવી હતી. એ વખતે પ્રિન્સિપાલ નવજ્યોતે જણાવ્યું હતું કે, તું મને બહુ ગમે છે મારે તારી સાથે રહેવું છે. મારો વિશ્વાસ કર. તું મારી ગર્લફ્રેન્ડ છે.
તારી આખી કેરિયર ખરાબ કરી નાંખીશ.
આ ઉપરાંત પ્રિન્સિપાલે દારૂના નશામાં ધમકી આપી હતી કે, મારી ઇચ્છા પુરી કર નહીં તો તારી આખી કેરિયર ખરાબ કરી નાંખીશ. દિલ્હીથી પરત આવ્યા બાદ નવજ્યોત ત્રિવેદીએ આસિ. પ્રોફેસર સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું. કારણ વિના ધમકાવવું, ખોટા આરોપનામાં સાથે મેઇલ કરવા, ખોટી ધમકીઓ આપવી... વગેરે દ્વારા માનસિક હેરાનગતિ શરૂ કરવામાં આવતાં આસિ. પ્રોફેસરે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
તારા જેવી હજાર છોકરીઓ મારી જિંદગીમાં આવી અને ગઈ
કોલેજના કામોથી દૂર રાખવામાં આવતાં મહિલાએ પ્રિન્સિપાલને તે વિશે પુછતાં તેણે ઉદ્ધત જવાબ આપ્યો હતો કે, તારે જેવી હજાર છોકરીઓ મારી જિંદગીમાં આવી અને ગઈ... મારી તમામ માગણીઓ મારા કહ્યા પ્રમાણે પુરી કરતી હતી. જો તારે જીવનમાં આગળ આવવું હોય તો મારી તમામ માગણીઓને તાબે થવું પડશે. અને જો હું કહું તેમ નહીં કરે તો તારા કેરિયરને ખતમ કરી નાંખી.
મહિલા આસિ. પ્રોફેસર સસ્પેન્ડ કરી દેવાઈ.
પ્રિન્સિપાલની વારંવારની ધમકીથી કંટાળીને મહિલા પ્રોફેસરે ગત માર્ચ માસમાં રાજીનામું આપ્યું હતું. જોકે, મેનેજમેન્ટના ડરથી પ્રિન્સિપાલે રાજીનામું સ્વિકાર્યું નહોતું. ત્યારબાદ પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ ટ્રસ્ટીને ઇમેલ કરી મહિલા પ્રોફેસર પર ખોટા આક્ષેપો કર્યા હતાં. જેને પગલે મેનેજમેન્ટે મહીલા આસિ. પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ મહિલાનું સસ્પેન્શન રદ કરી પરત નોકરીમાં લેવાઈ હતી. જોકે, તેની બદલી હોસ્પિટલમાં કરી દેવાઈ હતી. અને ત્યાં તમામ સ્ટાફને મહિલા આસિ. પ્રોફેસર સાથે વાતચીત નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.
નવજ્યોત ત્રિવેદીની ધાક ધમકીથી ત્રાસેલી મહિલાએ વાઘોડીયા પોલીસનો સંપર્ક કર્યો
ત્યારબાદ જૂન મહિલામાં પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા બળજબરીપૂર્વક મહિલા આસિ. પ્રોફેસરનું રાજીનામું લખાવી લઇ છુટ્ટા કરી દેવામાં આવ્યાં હતા. પી.એચ.ડીના અભ્યાસ માટે પિતા સાથે રહેતી મહિલા આસિ. પ્રોફેસરે ઉપરોક્ત સમગ્ર બાબતે પિતાને જાણ કરી હતી. નવજ્યોત ત્રિવેદી દ્વારા અવારનવાર ધાક ધમકી આપવામાં આવી રહી હોવાથી આખરે મહિલાએ વાઘોડીયા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે બીજી તરફ, પારૂલ યુનિ. મેનેજમેન્ટ દ્વારા નવજ્યોત ત્રિવેદી અને મહિલા આસિ. પ્રોફેસરને પાણીચું પકડાવી, મામલો રફેદફે કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. બનાવ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવા Watch Gujarat દ્વારા વાઘોડીયા પોલીસ મથકના ઇન્ચાર્જ PSI એ. જી. પરમારનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે બનાવ અંગે પોલીસ મથકમાં અરજી પ્રાપ્ત થઈ હોવાનું સ્વિકાર્યું હતું. જોકે, તેનાથી વિશેષ કોઈ જ માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
પિડીતા મહિલાને ન્યાય મળશે કે સમાધાન કરાવી લેવાશે?
આ ઘટના બાદ પારૂલ યુનિ.ના મેનેજમેન્ટ દ્વારા મહિલા પ્રોફેસર અને પ્રિન્સિપાલને અંદાજીત દોઢ મહિના પહેલા છુટ્ટા કરી દેવામાં આવ્યાં છે. પરંતુ મહિલાની અરજી અંગે પોલીસે કોઇ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરતા આખરે મહિલાની અરજીની તપાસ ડી.વાય.એસ.પી પાસે પહોંચી છે. હવે જોવાનુ એ રહ્યું કે પિડીતા મહિલાની અરજીને ન્યાય મળશે? કે પછી યેનકેન પ્રકારે દબાણ લાવી મહિલા આસી. પ્રોફેસર પાસે સમાધાન કરાવી લેવાશે?