વ્યાસેશ્વર મહાદેવનું શિવાલય વડોદરાની ઉત્તરે દિશાએ હાઇવે ને અડીને આવેલા દેણા ગામે આવેલું છે
આ સ્થળ માટે બે શ્રધ્ધા કથાઓ પ્રચલિત છે
એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે
WatchGujarat. હિમાલય જગતનું છાપરું છે જેનું ઉત્તુંગ શિખર છે કૈલાશ જ્યાં છે દેવાધિદેવ મહાદેવ નો વાસ. સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રધ્ધા ના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે. વડોદરાને સાવ અડીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવ ને પૂજવા પગથિયાં ચઢીને નહીં પણ ઉતરીને જવું પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કમાટીબાગ પાસે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં પણ શિવજીને ભજવા માટે પગથિયાં ઉતરીને જવું પડે છે.
આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તરે દિશાએ હાઇવે ને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ શિવાલયમાં દુમાડ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં, ભગવાન મહાદેવે જાણે કે દેણા અને દુમાડ ગામના સીમાડાઓ ના મિલન સ્થળે ઘર વસાવ્યું છે.આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ સ્થળ માટે બે શ્રધ્ધા કથાઓ પ્રચલિત છે. આ સ્થળ માટે ખૂબ ભાવ ધરાવતા અમિષ દાદાવાળા કહે છે શિવજી અહીં બિરાજ્યા એને માટે ની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂઝણી ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી.
આ અંગે વણીકે ગાયો ચારનાર ગોવાળિયા ની પૃચ્છા કરી તો અચરજ ની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે. ત્યારે એના થાનમાંથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિક ને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયા એ એને રૂબરૂ આવી ખાત્રી કરવા કહ્યું.રૂબરૂ માં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું.
તે રાત્રે શિવજી એના સપનામાં આવ્યાં અને કહ્યું કે, તું એ જગ્યાએ ખોદકામ કરાવ,હું ત્યાં દટાયેલો પડ્યો છું. આસ્થાવાન વણિકે ખૂબ બધાં મજૂરો ને કામે લગાડી ખૂબ ઉંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું. એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું.
એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યાં અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઉંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં જ શિવજીની સ્થાપના કરતાં તેઓ જાણે કે પાતાળલોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોદાળીનો એક ઘસરકો શિવલિંગ ને વાગ્યો જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે.
બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહી બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વર ની ઓળખ મળી છે. આ શિવાલયની પાસેથી જ વિશ્વામિત્રી વહે છે. નજીકમાં પાવાગઢ મહર્ષિ વિશ્વામિત્રની તપોસ્થળી હતી અને આ નદી વડોદરાને જાણે કે તેમના વરદાન રૂપે મળી હતી. જો કે, આપણે એ વરદાન ને સાચવી શક્યા નથી. એ એટલું દુઃખદ સત્ય છે. અત્યારે અહીં નદીમાં પાણીના નામે લાલ રંગનો રગડો વહેતો જોવા મળે છે.
કવિએ કહ્યું છે શ્રધ્ધા ની વાતના પુરાવા ન હોય. કથા કોઈ પણ હોય અહીં ભગવાન શિવનો વાસ છે એ જ સહુ થી મોટો પુરાવો. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી. પરંતુ એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે. જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. શિવાલય ની સામે ની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો, સદસ્યો ની સમાધિઓ આવેલી છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] થોડીક વનરાજી ઉછેરવામાં આવે તો આ સ્થળ વધુ રમણીય બની શકે છે. ભક્તો એ અહી શિવજી ને પ્રિય બિલી નું વન ઉછેરવાનો પ્રયાસ કરવા જેવો છે. શિવાલય એ સાંસારિક વ્યાધિઓ મનને વિચલિત કરે ત્યારે દેવાધિદેવ ના સાનિધ્યમાં બેસી ને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વર ની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે.[/caption]
વ્યાસેશ્વર મહાદેવનું શિવાલય વડોદરાની ઉત્તરે દિશાએ હાઇવે ને અડીને આવેલા દેણા ગામે આવેલું છે
આ સ્થળ માટે બે શ્રધ્ધા કથાઓ પ્રચલિત છે
એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે
WatchGujarat. હિમાલય જગતનું છાપરું છે જેનું ઉત્તુંગ શિખર છે કૈલાશ જ્યાં છે દેવાધિદેવ મહાદેવ નો વાસ. સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રધ્ધા ના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે. વડોદરાને સાવ અડીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવ ને પૂજવા પગથિયાં ચઢીને નહીં પણ ઉતરીને જવું પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કમાટીબાગ પાસે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં પણ શિવજીને ભજવા માટે પગથિયાં ઉતરીને જવું પડે છે.
આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તરે દિશાએ હાઇવે ને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ શિવાલયમાં દુમાડ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં, ભગવાન મહાદેવે જાણે કે દેણા અને દુમાડ ગામના સીમાડાઓ ના મિલન સ્થળે ઘર વસાવ્યું છે.આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ સ્થળ માટે બે શ્રધ્ધા કથાઓ પ્રચલિત છે. આ સ્થળ માટે ખૂબ ભાવ ધરાવતા અમિષ દાદાવાળા કહે છે શિવજી અહીં બિરાજ્યા એને માટે ની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂઝણી ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી.
આ અંગે વણીકે ગાયો ચારનાર ગોવાળિયા ની પૃચ્છા કરી તો અચરજ ની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે. ત્યારે એના થાનમાંથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિક ને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયા એ એને રૂબરૂ આવી ખાત્રી કરવા કહ્યું.રૂબરૂ માં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું.
તે રાત્રે શિવજી એના સપનામાં આવ્યાં અને કહ્યું કે, તું એ જગ્યાએ ખોદકામ કરાવ,હું ત્યાં દટાયેલો પડ્યો છું. આસ્થાવાન વણિકે ખૂબ બધાં મજૂરો ને કામે લગાડી ખૂબ ઉંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું. એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું.
એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યાં અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઉંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં જ શિવજીની સ્થાપના કરતાં તેઓ જાણે કે પાતાળલોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોદાળીનો એક ઘસરકો શિવલિંગ ને વાગ્યો જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે.
બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહી બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વર ની ઓળખ મળી છે. આ શિવાલયની પાસેથી જ વિશ્વામિત્રી વહે છે. નજીકમાં પાવાગઢ મહર્ષિ વિશ્વામિત્રની તપોસ્થળી હતી અને આ નદી વડોદરાને જાણે કે તેમના વરદાન રૂપે મળી હતી. જો કે, આપણે એ વરદાન ને સાચવી શક્યા નથી. એ એટલું દુઃખદ સત્ય છે. અત્યારે અહીં નદીમાં પાણીના નામે લાલ રંગનો રગડો વહેતો જોવા મળે છે.
કવિએ કહ્યું છે શ્રધ્ધા ની વાતના પુરાવા ન હોય. કથા કોઈ પણ હોય અહીં ભગવાન શિવનો વાસ છે એ જ સહુ થી મોટો પુરાવો. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી. પરંતુ એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામ ને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે. જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. શિવાલય ની સામે ની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો, સદસ્યો ની સમાધિઓ આવેલી છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]થોડીક વનરાજી ઉછેરવામાં આવે તો આ સ્થળ વધુ રમણીય બની શકે છે. ભક્તો એ અહી શિવજી ને પ્રિય બિલી નું વન ઉછેરવાનો પ્રયાસ કરવા જેવો છે. શિવાલય એ સાંસારિક વ્યાધિઓ મનને વિચલિત કરે ત્યારે દેવાધિદેવ ના સાનિધ્યમાં બેસી ને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વર ની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે.[/caption]