શિવજી કી સવારીમાં ભીડ એકઠી થવા પાછળ ભગવાન જવાબદાર હોવાનું ગણાવતાં મંત્રી યોગેશ પટેલ.
કોરોના કાળમાં રાજ્યભરમાં ટોળાં એકઠાં કરનાર લોકો સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે.
તાજેતરમાં શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની બર્થ ડે ઉજવણીમાં પણ એપેડેમિક એક્ટ અંતર્ગત કાગળીયા કરાયા હતાં.
સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના અધ્યક્ષ એવાં મંત્રી યોગેશ પટેલે ખંધા હાસ્ય સાથે કરેલું અસત્ય અને બેજવાબદાર નિવેદન.
ભીડ એકત્રિત થાય નહીં તેવું કોઈપણ પ્રકારનું આયોજન કર્યું ના હોવાનો સ્વિકાર કરવાને બદલે દોષનો ટોપલો ભગવાન પર ઢોળ્યો.
Watch Gujarat. ગઈકાલે ‘શિવજી કી સવારી’માં એકઠી થયેલી ભીડ માટે જવાબદાર કોણ? એવાં પ્રશ્નના ઉત્તરમાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના અધ્યક્ષ એવાં મંત્રી યોગેશ પટેલે બેજવાબદાર રીતે ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, ‘આમાં જવાબદાર તો ભગવાન... ભગવાન..’ એવો જવાબ આપી ખંધુ હાસ્ય કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કાળના કપરા સમયમાં જ્યાં જ્યાં અચાનક ટોળાં એકઠા થયાં છે ત્યાં ત્યાં પોલીસે મુખ્ય આયોજક સામે એપેડિમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મંત્રી યોગેશ પટેલના નિવેદન બાદ તો પોલીસ તંત્રએ શિવજી સામે જ એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ. એમ કહેવું સ્હેજપણ ખોટું નહીં ગણાય.
શિવજી કી સવારીના બીજા જ દિવસે મંત્રી યોગેશ પટેલ કોરોના વેક્સિન લેવા પહોંચ્યાં.
ગઈકાલે શહેરમાં નિકળેલી શિવજી કી સવારીમાં અઢી – ત્રણ લાખની જનમેદની એકઠી થઈ ગઈ હતી. હાલના સંજોગોમાં ભીડ એકઠી થવાને કારણે કોરોના સંક્રમણ વધે તેવી શક્યતાઓ છે. આ વાતને ખૂબ સારી રીતે સમજતાં મંત્રી યોગેશ પટેલ આજે કોરોના વેક્સિન લેવા પહોંચી ગયાં હતાં. પ્રજાના સ્વાસ્થ્ય અંગે સ્હેજપણ ગંભીરતા નહીં દાખવનાર મંત્રી યોગેશ પટેલે પોતાની તબિયતની કાળજી લઈ લીધી હતી.
https://youtu.be/plHnwxAnfPw
ભારે ભીડ થઈ રહી હોવા છતાં સવારી ઝડપથી આગળ વધારવાની ચિંતા ના કરાઈ.
શિવજી કી સવારીમાં ભારે ભીડ એકઠી થઈ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એક રીતે ‘શિવજી’નું અપમાન કર્યું હતું. પુષ્પાંજલી માટે 15 મીનીટ પદ્માવતિ શોપિંગ સેન્ટર પાસે ઉભા રખાયેલા શિવ પરિવારને પુષ્પાંજલી અર્પણ કરવાને બદલે કોરોના કાળની ચિંતાને કારણે ત્યાંથી રવાના થવાનું યોગ્ય પગલું લીધું હતું. ત્યારે એમ લાગતું હતું કે, હવે શિવજી કી સવારીને ઝડપથી આટોપી લેવામાં આવશે. પરંતુ, મંત્રી યોગેશ પટેલ સહિતની આયોજક ટીમે સ્હેજપણ ઉતાવળ દાખવી નહોતી. ‘જેને કોરોના થવો હોય તેને થાય, અમારું ધાર્યું જ થાય’ એવો સત્તાનો મદ રાખીને સવારીને આગળ ધપાવવામાં આવી હતી. પોલીસ તંત્ર પાસે તમાશો જોવા સિવાયનો કોઈ વિકલ્પ જ નહોતો.
શહેરમાં કોરોના સંક્રમણ વધે કે લોકડાઉન લદાય તો જવાબદાર કોણ?
સરકારી તંત્રો દ્વારા એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુનઃ લોકડાઉન જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે કે કેમ? તેઓ પ્રશ્ન સામાન્ય પ્રજાજનોને ડરાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ, મંત્રી યોગેશ પટેલની આગેવાનીમાં કોઈપણ નક્કર આયોજન વગર ગઈકાલે શિવજી કી સવારી કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે અઢીથી ત્રણ લાખ લોકો જોડાયા હતાં. સવારીમાં ભારે ભીડ થવાને કારણે કોરોના સંક્રમણ વધશે તેવી ભિતિ વ્યક્ત કરવામાં આવી હતી.
આજે કોરોના વેક્સિન લેવા પહોંચેલા મંત્રી યોગેશ પટેલને મિડીયા દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો કે, શિવજી કી સવારીમાં આટલી ભીડ એકઠી થઈ એના માટે કોણ જવાબદાર? આ પ્રશ્નની ગંભીરતાને દરકિનાર કરી મંત્રી યોગેશ પટેલે આના માટે જવાબદાર ભગવાન એમ કહીને ખંધુ હાસ્ય કર્યું હતું. મંત્રી યોગેશ પટેલના બેજવાબદાર જવાબને લોકોએ કડક શબ્દોમાં વખોડ્યો હતો.
ભીડ એકઠી કરનાર શિવજી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ કે નહીં?
કોરોના કાળમાં રાજ્યભરમાં ટોળાં – ભીડ એકઠી થાય તેવા આયોજન કરનારા આયોજકો સામે પોલીસ તંત્ર દ્વારા એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો, ભાજપા કાર્યાલય ખાતે બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવાને મામલે શહેર ભાજપા મહામંત્રી સુનિલ સોલંકી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી. આવાં તો સંખ્યાબંધ કિસ્સાઓ છે જેમાં પોલીસે કાર્યવાહી કરી છે. હવે જ્યારે શિવજી કી સવારીના આયોજન મંત્રી યોગેશ પટેલે ભીડ એકઠી થવા પાછળ ભગવાન શિવ જવાબદાર છે એવું નિવેદન કર્યું છે ત્યારે શું ફિલ્મ ઓહ માય ગોડની માફક પોલીસ વિભાગે શિવજી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી ના જોઈએ?
શિવજી કી સવારીમાં ભીડ એકઠી થવા પાછળ ભગવાન જવાબદાર હોવાનું ગણાવતાં મંત્રી યોગેશ પટેલ.
કોરોના કાળમાં રાજ્યભરમાં ટોળાં એકઠાં કરનાર લોકો સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે.
તાજેતરમાં શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની બર્થ ડે ઉજવણીમાં પણ એપેડેમિક એક્ટ અંતર્ગત કાગળીયા કરાયા હતાં.
સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના અધ્યક્ષ એવાં મંત્રી યોગેશ પટેલે ખંધા હાસ્ય સાથે કરેલું અસત્ય અને બેજવાબદાર નિવેદન.
ભીડ એકત્રિત થાય નહીં તેવું કોઈપણ પ્રકારનું આયોજન કર્યું ના હોવાનો સ્વિકાર કરવાને બદલે દોષનો ટોપલો ભગવાન પર ઢોળ્યો.
Watch Gujarat. ગઈકાલે ‘શિવજી કી સવારી’માં એકઠી થયેલી ભીડ માટે જવાબદાર કોણ? એવાં પ્રશ્નના ઉત્તરમાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના અધ્યક્ષ એવાં મંત્રી યોગેશ પટેલે બેજવાબદાર રીતે ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, ‘આમાં જવાબદાર તો ભગવાન... ભગવાન..’ એવો જવાબ આપી ખંધુ હાસ્ય કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કાળના કપરા સમયમાં જ્યાં જ્યાં અચાનક ટોળાં એકઠા થયાં છે ત્યાં ત્યાં પોલીસે મુખ્ય આયોજક સામે એપેડિમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મંત્રી યોગેશ પટેલના નિવેદન બાદ તો પોલીસ તંત્રએ શિવજી સામે જ એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ. એમ કહેવું સ્હેજપણ ખોટું નહીં ગણાય.
શિવજી કી સવારીના બીજા જ દિવસે મંત્રી યોગેશ પટેલ કોરોના વેક્સિન લેવા પહોંચ્યાં.
ગઈકાલે શહેરમાં નિકળેલી શિવજી કી સવારીમાં અઢી – ત્રણ લાખની જનમેદની એકઠી થઈ ગઈ હતી. હાલના સંજોગોમાં ભીડ એકઠી થવાને કારણે કોરોના સંક્રમણ વધે તેવી શક્યતાઓ છે. આ વાતને ખૂબ સારી રીતે સમજતાં મંત્રી યોગેશ પટેલ આજે કોરોના વેક્સિન લેવા પહોંચી ગયાં હતાં. પ્રજાના સ્વાસ્થ્ય અંગે સ્હેજપણ ગંભીરતા નહીં દાખવનાર મંત્રી યોગેશ પટેલે પોતાની તબિયતની કાળજી લઈ લીધી હતી.
ભારે ભીડ થઈ રહી હોવા છતાં સવારી ઝડપથી આગળ વધારવાની ચિંતા ના કરાઈ.
શિવજી કી સવારીમાં ભારે ભીડ એકઠી થઈ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એક રીતે ‘શિવજી’નું અપમાન કર્યું હતું. પુષ્પાંજલી માટે 15 મીનીટ પદ્માવતિ શોપિંગ સેન્ટર પાસે ઉભા રખાયેલા શિવ પરિવારને પુષ્પાંજલી અર્પણ કરવાને બદલે કોરોના કાળની ચિંતાને કારણે ત્યાંથી રવાના થવાનું યોગ્ય પગલું લીધું હતું. ત્યારે એમ લાગતું હતું કે, હવે શિવજી કી સવારીને ઝડપથી આટોપી લેવામાં આવશે. પરંતુ, મંત્રી યોગેશ પટેલ સહિતની આયોજક ટીમે સ્હેજપણ ઉતાવળ દાખવી નહોતી. ‘જેને કોરોના થવો હોય તેને થાય, અમારું ધાર્યું જ થાય’ એવો સત્તાનો મદ રાખીને સવારીને આગળ ધપાવવામાં આવી હતી. પોલીસ તંત્ર પાસે તમાશો જોવા સિવાયનો કોઈ વિકલ્પ જ નહોતો.
શહેરમાં કોરોના સંક્રમણ વધે કે લોકડાઉન લદાય તો જવાબદાર કોણ?
સરકારી તંત્રો દ્વારા એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુનઃ લોકડાઉન જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે કે કેમ? તેઓ પ્રશ્ન સામાન્ય પ્રજાજનોને ડરાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ, મંત્રી યોગેશ પટેલની આગેવાનીમાં કોઈપણ નક્કર આયોજન વગર ગઈકાલે શિવજી કી સવારી કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે અઢીથી ત્રણ લાખ લોકો જોડાયા હતાં. સવારીમાં ભારે ભીડ થવાને કારણે કોરોના સંક્રમણ વધશે તેવી ભિતિ વ્યક્ત કરવામાં આવી હતી.
આજે કોરોના વેક્સિન લેવા પહોંચેલા મંત્રી યોગેશ પટેલને મિડીયા દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો કે, શિવજી કી સવારીમાં આટલી ભીડ એકઠી થઈ એના માટે કોણ જવાબદાર? આ પ્રશ્નની ગંભીરતાને દરકિનાર કરી મંત્રી યોગેશ પટેલે આના માટે જવાબદાર ભગવાન એમ કહીને ખંધુ હાસ્ય કર્યું હતું. મંત્રી યોગેશ પટેલના બેજવાબદાર જવાબને લોકોએ કડક શબ્દોમાં વખોડ્યો હતો.
ભીડ એકઠી કરનાર શિવજી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ કે નહીં?
કોરોના કાળમાં રાજ્યભરમાં ટોળાં – ભીડ એકઠી થાય તેવા આયોજન કરનારા આયોજકો સામે પોલીસ તંત્ર દ્વારા એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો, ભાજપા કાર્યાલય ખાતે બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવાને મામલે શહેર ભાજપા મહામંત્રી સુનિલ સોલંકી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી. આવાં તો સંખ્યાબંધ કિસ્સાઓ છે જેમાં પોલીસે કાર્યવાહી કરી છે. હવે જ્યારે શિવજી કી સવારીના આયોજન મંત્રી યોગેશ પટેલે ભીડ એકઠી થવા પાછળ ભગવાન શિવ જવાબદાર છે એવું નિવેદન કર્યું છે ત્યારે શું ફિલ્મ ઓહ માય ગોડની માફક પોલીસ વિભાગે શિવજી સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવી ના જોઈએ?