કોરોનાથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ એ સંગઠિત થઈ પુરૂ પાડ્યું
ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરી એક્શન પ્લાન ઘડી તેનો અસરકારક અમલ કરવામા આવ્યો - ધ્રુવિત પટેલ, સરપંચ
વ્યાપક લોકજાગૃતિને પગલે ગામમાં 95 ટકા લોકોએ કોવિડ વેક્સીનનો પ્રથમ ડોજ પણ લઈ લીધો
WatchGujarat. સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના આ બીજા મોજામાં શહેરોની સાથે ગામડાઓ પણ સંક્રમણથી બચી શક્યા નથી. કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાના પાદરાથી માત્ર ત્રણ કિ.મી દૂર આવેલ તાજપુરા ગામે મારુ ગામ કોરોનામુક્ત ગામ ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે.
ગ્રામજનો ધારે તો કોવીડ- 19 મહામારીનો મુકાબલો કરી આ રોગથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ એ સંગઠિત થઈ પુરૂ પાડ્યું છે. સરપંચ ધ્રુવિત પટેલ ગામને કોરોના સંક્રમણથી બચાવવાનો સમગ્ર શ્રેય ગ્રામજનોને આપતા જણાવ્યું કે ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની વખતોવખતની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે.
કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં ગામમાં કોરોનાને પ્રવેશતો કેવી રીતે અટકાવ્યો તે અંગે ગામના યુવા સરપંચ ધૃમિત પટેલ કહે છે કે અમારા ગામમાં શરૂઆતથી કોવીડ કમિટીની રચના કરવામાં આવી હતી.તાજપુરાના ગ્રામજનો અને કોવિડ કમિટીએ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કર્યા અને ગ્રામજનો સતર્ક રહ્યા જેના કારણે આ કપરા કાળમાં પણ ગામ માં કોરોનાની કોઈ ગંભીર અસર થઈ નહી.
સરપંચ ધ્રુવિતભાઈ કહે છે કે, કોરોના બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા છે. જયારથી રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી ગામમાં કોવિડ કમિટીની રચના કરવામા આવી અને ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરી એક્શન પ્લાન ઘડી તેનો અસરકારક અમલ કરવામા આવ્યો હતો. જેમાં વખતો વખત ગામના દરેક વિસ્તારને સેનેટાઇજ કરવા સાથે ગામમા પંચાયત તરફથી દરેક લોકો ને સેનેટાઇજર અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગામમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં આવતા સબંધીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલું જ નહી ગામની જાહેર જગ્યાઓ અને દુકાનો અને ફળિયા બહાર નો માસ્ક નો એન્ટ્રી ના બોર્ડ લગાવામા આવ્યા છે.ગામમા ચોરો કે જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્ટની સખ્ત અમલ વારી કરવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે ગામમાં સાત જેટલા લગ્ન પ્રસંગ કોવીડની નિર્ધારિત ગાઈડ લાઈન પ્રમાણે યોજાયા હતા.
સરપંચ ધ્રુવીત પટેલે જણાવ્યું કે, તાજપુરા ગામ લોકોની સતર્કતા કારણે કોરોનાના બીજા વેવના સંક્રમણથી બચ્યું છે. ગામમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા કેસો પણ નહિવત પ્રમાણમાં છે.
તેઓ કહે છે કે કોરોના રસી અંગે લોકોને ભ્રામક વાતોમાંથી બહાર લાવવા પંચાયતના સભ્યોએ વોર્ડ વાર વ્યાપક લોકજાગૃતિ ઊભી કરી જેનાથી ગામમાં 95 ટકા લોકોએ કોવિડ વેક્સીનનો પ્રથમ ડોજ પણ લઈ લીધો છે છતા ગામમા હાલમાં લોકો કોરોના સામે પૂરતી સાવધાની અને સાવચેતી રાખી રહ્યા છે.
તાજપુરા ગ્રામજનો દ્વારા વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભા મંડપમાં કોવીડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શાકભાજીની સેવા પણ આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગ્રામજનોની સતર્કતા કેવું પરિણામ લાવી શકે છે તેનું અનુકરણીય ઉદાહરણ તાજપુરાના ગ્રામજનોએ પુરૂ પાડ્યું નવી દિશા ચીંધી છે.
કોરોનાથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ એ સંગઠિત થઈ પુરૂ પાડ્યું
ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરી એક્શન પ્લાન ઘડી તેનો અસરકારક અમલ કરવામા આવ્યો - ધ્રુવિત પટેલ, સરપંચ
વ્યાપક લોકજાગૃતિને પગલે ગામમાં 95 ટકા લોકોએ કોવિડ વેક્સીનનો પ્રથમ ડોજ પણ લઈ લીધો
WatchGujarat. સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના આ બીજા મોજામાં શહેરોની સાથે ગામડાઓ પણ સંક્રમણથી બચી શક્યા નથી. કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાના પાદરાથી માત્ર ત્રણ કિ.મી દૂર આવેલ તાજપુરા ગામે મારુ ગામ કોરોનામુક્ત ગામ ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે.
ગ્રામજનો ધારે તો કોવીડ- 19 મહામારીનો મુકાબલો કરી આ રોગથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ એ સંગઠિત થઈ પુરૂ પાડ્યું છે. સરપંચ ધ્રુવિત પટેલ ગામને કોરોના સંક્રમણથી બચાવવાનો સમગ્ર શ્રેય ગ્રામજનોને આપતા જણાવ્યું કે ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની વખતોવખતની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે.
કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં ગામમાં કોરોનાને પ્રવેશતો કેવી રીતે અટકાવ્યો તે અંગે ગામના યુવા સરપંચ ધૃમિત પટેલ કહે છે કે અમારા ગામમાં શરૂઆતથી કોવીડ કમિટીની રચના કરવામાં આવી હતી.તાજપુરાના ગ્રામજનો અને કોવિડ કમિટીએ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કર્યા અને ગ્રામજનો સતર્ક રહ્યા જેના કારણે આ કપરા કાળમાં પણ ગામ માં કોરોનાની કોઈ ગંભીર અસર થઈ નહી.
સરપંચ ધ્રુવિતભાઈ કહે છે કે, કોરોના બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા છે. જયારથી રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી ગામમાં કોવિડ કમિટીની રચના કરવામા આવી અને ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરી એક્શન પ્લાન ઘડી તેનો અસરકારક અમલ કરવામા આવ્યો હતો. જેમાં વખતો વખત ગામના દરેક વિસ્તારને સેનેટાઇજ કરવા સાથે ગામમા પંચાયત તરફથી દરેક લોકો ને સેનેટાઇજર અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગામમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં આવતા સબંધીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલું જ નહી ગામની જાહેર જગ્યાઓ અને દુકાનો અને ફળિયા બહાર નો માસ્ક નો એન્ટ્રી ના બોર્ડ લગાવામા આવ્યા છે.ગામમા ચોરો કે જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્ટની સખ્ત અમલ વારી કરવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે ગામમાં સાત જેટલા લગ્ન પ્રસંગ કોવીડની નિર્ધારિત ગાઈડ લાઈન પ્રમાણે યોજાયા હતા.
સરપંચ ધ્રુવીત પટેલે જણાવ્યું કે, તાજપુરા ગામ લોકોની સતર્કતા કારણે કોરોનાના બીજા વેવના સંક્રમણથી બચ્યું છે. ગામમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા કેસો પણ નહિવત પ્રમાણમાં છે.
તેઓ કહે છે કે કોરોના રસી અંગે લોકોને ભ્રામક વાતોમાંથી બહાર લાવવા પંચાયતના સભ્યોએ વોર્ડ વાર વ્યાપક લોકજાગૃતિ ઊભી કરી જેનાથી ગામમાં 95 ટકા લોકોએ કોવિડ વેક્સીનનો પ્રથમ ડોજ પણ લઈ લીધો છે છતા ગામમા હાલમાં લોકો કોરોના સામે પૂરતી સાવધાની અને સાવચેતી રાખી રહ્યા છે.
તાજપુરા ગ્રામજનો દ્વારા વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભા મંડપમાં કોવીડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શાકભાજીની સેવા પણ આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગ્રામજનોની સતર્કતા કેવું પરિણામ લાવી શકે છે તેનું અનુકરણીય ઉદાહરણ તાજપુરાના ગ્રામજનોએ પુરૂ પાડ્યું નવી દિશા ચીંધી છે.