MP 5 દિવસથી હોમ કવોરંટાઇન રહી સારવાર લઈ રહ્યા હતા
બુધવારે તબિયત બગડતા યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલ તબિયત સુધારા ઉપર
સાંસદને 5 દિવસ પેહલા તાવ અને નબળાઈ જણાતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
HRCT સિટીસ્કેનમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન આવ્યું હતું
Watchgujarat. ભરૂચ લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી BJP ના સિનિયર સાંસદ MP મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થયા બાદ 5 દિવસથી તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
BJP ના છેલ્લી 6 ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ MP મનસુખ વસાવા હવે કોરોના મહામારીમાં સપડાયા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાને 5 દિવસ પહેલા સામાન્ય તાવ સાથે શરીરમાં નબળાઈ જણાઈ હતી. તેઓએ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે HRCT ટેસ્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું.
આખાબોલા સાંસદ હોમ કવોરંટાઇન રહી ને જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, જોકે બુધવારે તેઓની તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયતને લઈ ભરૂચ-નર્મદા જિલ્લા ભાજપ સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. MP જલ્દી સ્વસ્થ થઈ કોરોનાને હરાવે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
BJP ના સિનિયર MP મનસુખ વસાવાની તબિયત હાલ સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપ સાંસદ મનસુખભાઈ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો હાજર હોવાની પણ માહિતી સાંપડી રહી છે.
આદિવાસી નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધ્યો છે, કોરોનાના સકંજામાં રાજપીપળા રહેતા MP મનસુખ વસાવા પણ આવી ગયા છે. સાંસદ મનસુખભાઈને 5 દિવસ પેહલા સામાન્ય તાવ અને શારીરિક નબળાઈની તકલીફ થઈ હતી. જે અંગે કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. એમના સીટીસ્કેન રિપોર્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ તેઓ હોમ કોરોન્ટાઈન જ હતા, પણ બુધવારે એમની તબિયતમાં સુધારો ન થતા એમને તાત્કાલિક અમદાવાદની U N Mehta હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નિષ્ણાંત તબીબો અને સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
MP તેમના લોકસભા મત વિસ્તાર ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોરોના ટેંસ્ટિંગ અને કોરોના વિરોધી રસીકરણ બાબતે જાગૃતિના કાર્યક્રમો, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ, મારુ ગામ કોરોના મુક્ત સહિતમાં કાર્યક્રમોમાં અવાર નવાર હાજરી આપતા હતા. એમની સાથે નર્મદા જિલ્લા BJP પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાતા હતા. આ કાર્યક્રમો દરમિયાન જ સાંસદ કોરોના સંક્રમિત થયા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યુ છે.
સાંસદને 5 દિવસ પેહલા તાવ અને નબળાઈ જણાતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
HRCT સિટીસ્કેનમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન આવ્યું હતું
Watchgujarat. ભરૂચ લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી BJP ના સિનિયર સાંસદ MP મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થયા બાદ 5 દિવસથી તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
BJP ના છેલ્લી 6 ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ MP મનસુખ વસાવા હવે કોરોના મહામારીમાં સપડાયા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાને 5 દિવસ પહેલા સામાન્ય તાવ સાથે શરીરમાં નબળાઈ જણાઈ હતી. તેઓએ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે HRCT ટેસ્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું.
આખાબોલા સાંસદ હોમ કવોરંટાઇન રહી ને જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, જોકે બુધવારે તેઓની તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયતને લઈ ભરૂચ-નર્મદા જિલ્લા ભાજપ સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. MP જલ્દી સ્વસ્થ થઈ કોરોનાને હરાવે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
BJP ના સિનિયર MP મનસુખ વસાવાની તબિયત હાલ સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપ સાંસદ મનસુખભાઈ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો હાજર હોવાની પણ માહિતી સાંપડી રહી છે.
આદિવાસી નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધ્યો છે, કોરોનાના સકંજામાં રાજપીપળા રહેતા MP મનસુખ વસાવા પણ આવી ગયા છે. સાંસદ મનસુખભાઈને 5 દિવસ પેહલા સામાન્ય તાવ અને શારીરિક નબળાઈની તકલીફ થઈ હતી. જે અંગે કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. એમના સીટીસ્કેન રિપોર્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ તેઓ હોમ કોરોન્ટાઈન જ હતા, પણ બુધવારે એમની તબિયતમાં સુધારો ન થતા એમને તાત્કાલિક અમદાવાદની U N Mehta હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નિષ્ણાંત તબીબો અને સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
MP તેમના લોકસભા મત વિસ્તાર ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોરોના ટેંસ્ટિંગ અને કોરોના વિરોધી રસીકરણ બાબતે જાગૃતિના કાર્યક્રમો, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ, મારુ ગામ કોરોના મુક્ત સહિતમાં કાર્યક્રમોમાં અવાર નવાર હાજરી આપતા હતા. એમની સાથે નર્મદા જિલ્લા BJP પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાતા હતા. આ કાર્યક્રમો દરમિયાન જ સાંસદ કોરોના સંક્રમિત થયા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યુ છે.