સાવલીના વાસનપુરા ગામમાં તાજેતરમાં કાગડાઓના શંકાસ્પદ મોત બાદ કરાયેલા રિપોર્ટમાં બર્ડફલુની પુષ્ટિ કરવામાં આવી હતી
રવિવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ આજવા રોડમાં મૃત હાલતમાં મળ્યા હોવાનો કોલ મળ્યો
WatchGujarat. વડોદરા જિલ્લામાં બર્ડફલુ પોઝિટિવ આવ્યા બાદ અચાનક થતી પક્ષીઓની મોતને લઈને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરીવળે છે. રવિવારે આજવા રોડ પાસે આવેલા એક ફાર્મમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર તથા ઢેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા મૃતદેહને વધુ તાપસ અર્થે વનવિભાગને સોંપી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, કોરોના બાદ દેશમાં બર્ડફલુએ દહેશત મચાવી હતી. વડોદરા નજીક આવેલા સાવલીના વાસનપુરા ગામમાં તાજેતરમાં કાગડાઓના શંકાસ્પદ મોત થયા હતા. મામલાની સ્પષ્ટતા કરવા માટે કાગડાઓના મૃતદેહને પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી બર્ડફલુની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક વહીવટી તંત્રે તકેદારીના પગલાં લીધા હતા. જો કે આ ઘટના બાદ અનેક વખત પક્ષીઓના મોત થયા હતા જેમાં બર્ડફલુ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
રવિવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના જોડાને આજવા રોડ પર આવેલા મારુતિ ફાર્મમાં મૃત હાલતમાં મળ્યા હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે ટીમના વોલન્ટિયર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સાવચેતી પૂર્વક મૃતદેહને લઈને ત્યાંથી રવાના થયા હતા. મોર અને ઢેલના મોતના કારણો અંગે બર્ડફલૂની આશંકા સેવાઈ રહી છે. જો કે તે અંગે વધુ સ્પષ્ટતા મૃતદેહના પરીક્ષણ બાદ સામે આવશે. હાલ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા મોર અને ઢેલના મૃતદેહોને વનવિભાગમાં સોંપી દેવામાં આવ્યા છે.
સાવલીના વાસનપુરા ગામમાં તાજેતરમાં કાગડાઓના શંકાસ્પદ મોત બાદ કરાયેલા રિપોર્ટમાં બર્ડફલુની પુષ્ટિ કરવામાં આવી હતી
રવિવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ આજવા રોડમાં મૃત હાલતમાં મળ્યા હોવાનો કોલ મળ્યો
WatchGujarat. વડોદરા જિલ્લામાં બર્ડફલુ પોઝિટિવ આવ્યા બાદ અચાનક થતી પક્ષીઓની મોતને લઈને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરીવળે છે. રવિવારે આજવા રોડ પાસે આવેલા એક ફાર્મમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર તથા ઢેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા મૃતદેહને વધુ તાપસ અર્થે વનવિભાગને સોંપી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, કોરોના બાદ દેશમાં બર્ડફલુએ દહેશત મચાવી હતી. વડોદરા નજીક આવેલા સાવલીના વાસનપુરા ગામમાં તાજેતરમાં કાગડાઓના શંકાસ્પદ મોત થયા હતા. મામલાની સ્પષ્ટતા કરવા માટે કાગડાઓના મૃતદેહને પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી બર્ડફલુની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક વહીવટી તંત્રે તકેદારીના પગલાં લીધા હતા. જો કે આ ઘટના બાદ અનેક વખત પક્ષીઓના મોત થયા હતા જેમાં બર્ડફલુ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
રવિવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલના જોડાને આજવા રોડ પર આવેલા મારુતિ ફાર્મમાં મૃત હાલતમાં મળ્યા હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે ટીમના વોલન્ટિયર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સાવચેતી પૂર્વક મૃતદેહને લઈને ત્યાંથી રવાના થયા હતા. મોર અને ઢેલના મોતના કારણો અંગે બર્ડફલૂની આશંકા સેવાઈ રહી છે. જો કે તે અંગે વધુ સ્પષ્ટતા મૃતદેહના પરીક્ષણ બાદ સામે આવશે. હાલ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયર્સ દ્વારા મોર અને ઢેલના મૃતદેહોને વનવિભાગમાં સોંપી દેવામાં આવ્યા છે.