નવાપુરા ગોદડીયા વાસમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં વીરુ ગોદડીયા ગુરુવારે સવારે અકસ્માતમાં ઘવાયો હતો.
32 વર્ષિય વીરુ ગોદડીયાના હૃદય, કિડની, યકૃત, કીકી અને લિવરનું દાન કરાશે.
વિજેતા કોર્પોરેટરો ગઈકાલે ઇજાગ્રસ્તના પરીવારજનોને મળવા સુદ્ધાં ના પહોંચ્યા.
મત મેળવી મદદે નહીં આવનાર કોર્પોરેટરો સામે ગોદડીયા સમાજમાં રોષ વ્યાપ્યો.
સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપી કાઉન્સિલર જાગૃતિબહેન કાકા અને જ્યોતિબહેન પટેલ આજે બપોરે હોસ્પિટલ દોડ્યાં.
કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વે સમાજના યુવાનોનો રોષ જોઈ હોસ્પિટલથી રવાના થઈ ગયાં.
[caption id="attachment_592393" align="aligncenter" width="808"] (વીરુ ગોદડીયા)[/caption]
Watch Gujarat. ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના 32 વર્ષિય યુવક વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ દ્વારા બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરવાની આગવી પહેલ સમાજસેવી મુકેશ નાયકના પ્રયાસોને પગલે કરવામાં આવી હતી. જેને પગલે આવતીકાલે વીરુના 5 અંગોનું દાન કરાશે. જે પૈકી હૃદય ગ્રીન કોરીડોરથી અમદાવાદ પહોંચાડી જામનગરના યુવકને નવજીવન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોદડીયા સમાજે જે ઉમેદવારોને ખોબે ખોબા મત આપ્યા હતાં. તે વિજેતા ભાજપા કે કોંગ્રેસના કાઉન્સિલર ગઈકાલે રાત્રે મોં બતાવવા પણ આવ્યા નહોતા. જોકે, સમાજ સેવક મુકેશ નાયકની સહાય અને સમજાવટથી આજે બ્રેઈન ડેડ યુવાનના પરિવારજનો સહિતના સમાજના અગ્રણીઓ અંગદાન કરવા તૈયાર થયા છે. એ વાતની જાણ થતાં જ સસ્તી પ્રસિદ્ધિ ખાટવા માટે ભાજપની મહિલા કાઉન્સિલરો દોડી આવી હતી. તો બીજી તરફ, સમાજના યુવાનોનો રોષ જોઈ કોંગ્રેસી કાઉન્સિલર હોસ્પિટલથી રવાના થઈ ગયાં હતાં.
સયાજીપુરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
નવાપુરા વિસ્તારના ગોદડીયા વાસમાં રહેતો 32 વર્ષિય વીરુ રણછોડભાઈ ગોદડીયા શાકભાજીનો છુટ્ટક વેપાર કરી બે સંતાન અને પત્નીના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિત્યક્રમ અનુસાર તે ગુરુવારે સવારે શાકભાજી લેવા માટે ટેમ્પામાં એ.પી.એમ.સી. માર્કેટ ખાતે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ટ્રક સાથે ટેમ્પાનો અકસ્માત સર્જાતાં વીરુને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વીરુને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વિજેતા કાઉન્સિલરોએ ઠંડો પ્રતિસાદ આપતાં આખરે સમાજ સેવી મુકેશ નાયકને કોલ કર્યો.
તાજેતરની ચુંટણી ટાણે ભાજપાના પ્રચારમાં જોડાયેલો વીરુ અકસ્માતમાં ગંભીર હાલતમાં હોવાથી સયાજી હોસ્પિટલ ખાતે એકઠાં થઈ ગયેલાં સમાજના કેટલાંક લોકોએ ભાજપ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને ફોન કર્યો હતો. જોકે, દુઃખી સમાજને સાંત્વના આપવા માટે કોઈ સયાજી હોસ્પિટલ સુધી ગયું નહોતું. છેવટે 1 વાગ્યાના અરસામાં સમાજ સેવક મુકેશ નાયકને ફોન કરાતાં તેઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતાં. સયાજી હોસ્પિટલમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની હોઈ તે અંગે મુકેશ નાયકે ચક્રો ગતિમાન કર્યા હતાં. કોરોનાના દર્દીઓ માટે વેન્ટિલેટર્સ અટવાયેલા હોવાથી વીરુ માટે તેની વ્યવસ્થા શક્ય બની નહોતી. આખરે રાત્રે 9 વાગ્યાના અરસામાં વીરુને સયાજી હોસ્પિટલમાંથી દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર મુક્યા બાદ પરીક્ષણ કરાતાં તે બ્રેઈન ડેડ હોવાની જાણ થઈ હતી.
અંગદાન માટે સમાજે આજે સવારે તૈયારી દાખવી
ગઈકાલે આખી રાત ઉચાટ ભરી સ્થિતિમાં વિતાવનાર વીરુના પરિવારજનો તેમજ સમાજના લોકોને આજે સવારે સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર જયેશ રાજપુરા તેમજ મુકેશ નાયકે સમજાવ્યા હતાં કે, વીરુ બ્રેઈન ડેડ છે, તેનાં બચવાની શક્યતા ખૂબ ઓછી છે. જો તેના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય લોકોને જીવતદાન પ્રાપ્ત થાય તેમ છે. વીરુના મોટાભાઈ નરસિંહ સહિતના અગ્રણીઓએ વાસ્તવિકતાનો સ્વિકાર કર્યો અને બપોરે 12 વાગ્યાના અરસામાં અંગદાન કરવા માટે તૈયાર થયા હતાં. જેને પગલે અંગદાન માટેની પ્રક્રિયા વેગવંતિ બનાવવામાં આવી હતી.
નિર્લજ્જ નેતાઓ... મોતનો મલાજો જાળવવાને બદલે... માન મેળવવા આવી પહોંચ્યા.
ગોદડીયા સમાજે વીરુનાં અંગદાનનો માનવતાવાદી નિર્ણય લીધો હોવાની જાણ થતાં જ લગભગ દોઢ વાગ્યાના અરસામાં ભાજપના જાગૃતિબહેન કાકા અને દારૂના વાઈરલ વિડીયો ફેઈમ નિતિન પટેલના કાઉન્સિલર પત્ની જ્યોતિ પટેલ તેમજ કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વે હોસ્પિટલ પર દોડી આવ્યા હતાં. અને ત્યારબાદ કેટલાંક સમાચાર માધ્યમોમાં પોતે જ બધું કર્યું છે એવી વાહવાહી કરી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તો બીજી તરફ, કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વેએ યુવાનોનો રોષ જોઈ ત્યાંથી ચાલતી પકડી હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.
વીરુનું હૃદય જામનગરના યુવકના દીલમાં ધબકશે.
માતાજીના અસિમ ભક્ત એવાં ગોદડીયા સમાજ દ્વારા કરાયેલી અનોખી પહેલને પગલે બ્રેઈન ડેડ વીરુના અંગોનું કેવી રીતે દાન થવાનું છે? તે અંગે ડો. દિપાલી તિવારીએ watchgujarat.com ને જણાવ્યું હતું કે, બ્રેઈન ડેડ વીરુના 5 અંગો હ્રદય, કિડની, યકૃત, લિવર અને કીકીનું દાન કરવામાં આવનાર છે. સવારે 6 વાગ્યે ગ્રીન કોરીડોરથી હ્રદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવશે. જ્યાં જામનગરના એક યુવકમાં તેનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાશે. લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
નવાપુરા ગોદડીયા વાસમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં વીરુ ગોદડીયા ગુરુવારે સવારે અકસ્માતમાં ઘવાયો હતો.
Watch Gujarat. ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના 32 વર્ષિય યુવક વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ દ્વારા બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરવાની આગવી પહેલ સમાજસેવી મુકેશ નાયકના પ્રયાસોને પગલે કરવામાં આવી હતી. જેને પગલે આવતીકાલે વીરુના 5 અંગોનું દાન કરાશે. જે પૈકી હૃદય ગ્રીન કોરીડોરથી અમદાવાદ પહોંચાડી જામનગરના યુવકને નવજીવન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોદડીયા સમાજે જે ઉમેદવારોને ખોબે ખોબા મત આપ્યા હતાં. તે વિજેતા ભાજપા કે કોંગ્રેસના કાઉન્સિલર ગઈકાલે રાત્રે મોં બતાવવા પણ આવ્યા નહોતા. જોકે, સમાજ સેવક મુકેશ નાયકની સહાય અને સમજાવટથી આજે બ્રેઈન ડેડ યુવાનના પરિવારજનો સહિતના સમાજના અગ્રણીઓ અંગદાન કરવા તૈયાર થયા છે. એ વાતની જાણ થતાં જ સસ્તી પ્રસિદ્ધિ ખાટવા માટે ભાજપની મહિલા કાઉન્સિલરો દોડી આવી હતી. તો બીજી તરફ, સમાજના યુવાનોનો રોષ જોઈ કોંગ્રેસી કાઉન્સિલર હોસ્પિટલથી રવાના થઈ ગયાં હતાં.
સયાજીપુરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
નવાપુરા વિસ્તારના ગોદડીયા વાસમાં રહેતો 32 વર્ષિય વીરુ રણછોડભાઈ ગોદડીયા શાકભાજીનો છુટ્ટક વેપાર કરી બે સંતાન અને પત્નીના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિત્યક્રમ અનુસાર તે ગુરુવારે સવારે શાકભાજી લેવા માટે ટેમ્પામાં એ.પી.એમ.સી. માર્કેટ ખાતે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ટ્રક સાથે ટેમ્પાનો અકસ્માત સર્જાતાં વીરુને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વીરુને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તાજેતરની ચુંટણી ટાણે ભાજપાના પ્રચારમાં જોડાયેલો વીરુ અકસ્માતમાં ગંભીર હાલતમાં હોવાથી સયાજી હોસ્પિટલ ખાતે એકઠાં થઈ ગયેલાં સમાજના કેટલાંક લોકોએ ભાજપ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને ફોન કર્યો હતો. જોકે, દુઃખી સમાજને સાંત્વના આપવા માટે કોઈ સયાજી હોસ્પિટલ સુધી ગયું નહોતું. છેવટે 1 વાગ્યાના અરસામાં સમાજ સેવક મુકેશ નાયકને ફોન કરાતાં તેઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતાં. સયાજી હોસ્પિટલમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની હોઈ તે અંગે મુકેશ નાયકે ચક્રો ગતિમાન કર્યા હતાં. કોરોનાના દર્દીઓ માટે વેન્ટિલેટર્સ અટવાયેલા હોવાથી વીરુ માટે તેની વ્યવસ્થા શક્ય બની નહોતી. આખરે રાત્રે 9 વાગ્યાના અરસામાં વીરુને સયાજી હોસ્પિટલમાંથી દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર મુક્યા બાદ પરીક્ષણ કરાતાં તે બ્રેઈન ડેડ હોવાની જાણ થઈ હતી.
અંગદાન માટે સમાજે આજે સવારે તૈયારી દાખવી
ગઈકાલે આખી રાત ઉચાટ ભરી સ્થિતિમાં વિતાવનાર વીરુના પરિવારજનો તેમજ સમાજના લોકોને આજે સવારે સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર જયેશ રાજપુરા તેમજ મુકેશ નાયકે સમજાવ્યા હતાં કે, વીરુ બ્રેઈન ડેડ છે, તેનાં બચવાની શક્યતા ખૂબ ઓછી છે. જો તેના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય લોકોને જીવતદાન પ્રાપ્ત થાય તેમ છે. વીરુના મોટાભાઈ નરસિંહ સહિતના અગ્રણીઓએ વાસ્તવિકતાનો સ્વિકાર કર્યો અને બપોરે 12 વાગ્યાના અરસામાં અંગદાન કરવા માટે તૈયાર થયા હતાં. જેને પગલે અંગદાન માટેની પ્રક્રિયા વેગવંતિ બનાવવામાં આવી હતી.
નિર્લજ્જ નેતાઓ... મોતનો મલાજો જાળવવાને બદલે... માન મેળવવા આવી પહોંચ્યા.
ગોદડીયા સમાજે વીરુનાં અંગદાનનો માનવતાવાદી નિર્ણય લીધો હોવાની જાણ થતાં જ લગભગ દોઢ વાગ્યાના અરસામાં ભાજપના જાગૃતિબહેન કાકા અને દારૂના વાઈરલ વિડીયો ફેઈમ નિતિન પટેલના કાઉન્સિલર પત્ની જ્યોતિ પટેલ તેમજ કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વે હોસ્પિટલ પર દોડી આવ્યા હતાં. અને ત્યારબાદ કેટલાંક સમાચાર માધ્યમોમાં પોતે જ બધું કર્યું છે એવી વાહવાહી કરી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તો બીજી તરફ, કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુર્વેએ યુવાનોનો રોષ જોઈ ત્યાંથી ચાલતી પકડી હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.
વીરુનું હૃદય જામનગરના યુવકના દીલમાં ધબકશે.
માતાજીના અસિમ ભક્ત એવાં ગોદડીયા સમાજ દ્વારા કરાયેલી અનોખી પહેલને પગલે બ્રેઈન ડેડ વીરુના અંગોનું કેવી રીતે દાન થવાનું છે? તે અંગે ડો. દિપાલી તિવારીએ watchgujarat.com ને જણાવ્યું હતું કે, બ્રેઈન ડેડ વીરુના 5 અંગો હ્રદય, કિડની, યકૃત, લિવર અને કીકીનું દાન કરવામાં આવનાર છે. સવારે 6 વાગ્યે ગ્રીન કોરીડોરથી હ્રદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવશે. જ્યાં જામનગરના એક યુવકમાં તેનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાશે. લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવશે.