કોરોનાથી બચવાના ઉપાયોમાં સહેજ પણ ઢીલાશ જીવલેણ નિવડી શકે છે
દુલ્હન લગ્ન બાદ વિદાય વેળાએ જ ચક્કર ખાઇને પડી જતા સારવાર અર્થે ખસેડાઇ
મૃત્યુ બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે દુલ્હનની અંતિમ ક્રિયા કરવામાં આવી
WatchGujarat. વડોદરામાં અત્યંત દુખદ ઘટના સામે આવી છે. જેમાં ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન બાદ વિદાય વેળાએ જ તે ચક્કર ખાઇને પડી ગઇ હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા મહિલાને મૃત જાહેર કરી હતી. યુવતીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પોઝીટીવ આવતા જાનૈયાઓ સહિત લગ્નમાં હાજર રહેનારાઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 44 વર્ષિય મહિલાના 1 માર્ચના રોજ લગ્ન થયા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ તેની વિદાઇની વેળા હતી. દરમિયાન વિદાય વેળાએ જ દુલ્હન ચક્કર ખાઇને પડી ગઇ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
દુલ્હનનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે મહિલાને બે દિવસથી તાવ રહેતો હતો. વિદાયની વેળાએ દુલ્હનનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અને લગ્ન પ્રસંગમાં ભાગ લેનારા લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ હતી. લગ્નના જોડામાં જ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે દુલ્હનની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
હજી કોરોના ગયો નથી. કોરોનાથી બચવાના ઉપાયોમાં સહેજ પણ ઢીલાશ જીવલેણ નિવડી શકે છે. તમામ લોકોએ કોરોનાથી બચવાના ઉપાયોનું ચુસ્ત પણે પાલન કરવું જોઇએ.
કોરોનાથી બચવાના ઉપાયોમાં સહેજ પણ ઢીલાશ જીવલેણ નિવડી શકે છે
દુલ્હન લગ્ન બાદ વિદાય વેળાએ જ ચક્કર ખાઇને પડી જતા સારવાર અર્થે ખસેડાઇ
મૃત્યુ બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે દુલ્હનની અંતિમ ક્રિયા કરવામાં આવી
WatchGujarat. વડોદરામાં અત્યંત દુખદ ઘટના સામે આવી છે. જેમાં ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન બાદ વિદાય વેળાએ જ તે ચક્કર ખાઇને પડી ગઇ હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા મહિલાને મૃત જાહેર કરી હતી. યુવતીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પોઝીટીવ આવતા જાનૈયાઓ સહિત લગ્નમાં હાજર રહેનારાઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 44 વર્ષિય મહિલાના 1 માર્ચના રોજ લગ્ન થયા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ તેની વિદાઇની વેળા હતી. દરમિયાન વિદાય વેળાએ જ દુલ્હન ચક્કર ખાઇને પડી ગઇ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
દુલ્હનનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે મહિલાને બે દિવસથી તાવ રહેતો હતો. વિદાયની વેળાએ દુલ્હનનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અને લગ્ન પ્રસંગમાં ભાગ લેનારા લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ હતી. લગ્નના જોડામાં જ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે દુલ્હનની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
હજી કોરોના ગયો નથી. કોરોનાથી બચવાના ઉપાયોમાં સહેજ પણ ઢીલાશ જીવલેણ નિવડી શકે છે. તમામ લોકોએ કોરોનાથી બચવાના ઉપાયોનું ચુસ્ત પણે પાલન કરવું જોઇએ.