કોરોનનું નિદાન કરવા માટે વ્યાપક પ્રમાણમાં RT–PCR ટેસ્ટ કરાવવામાં આવે છે
અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા એન્ટિજન ટેસ્ટના પરિણામોમાં જમીન - આસમાનનો ફેર જોવા મળ્યો હતો
કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે નેગેટિવ RT–PCR રિપોર્ટ આવ્યાનો આ સંભવિત પ્રથમ કિસ્સો છે
WatchGujarat.com કોરોના કાળમાં લોકોને જીવનમાં ક્યારેય ન અનુભવ્યા હોય તેવા અનુભવ થયા છે. અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ એન્ટીજન ટેસ્ટમાં એક જ દિવસમાં નેગેટિવ અને પોઝિટિવ પરિણામ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેવા સમયે લોકોને RT–PCR ટેસ્ટ કરવી અને તેના જ પરિણામને વધુ ચોક્કસ માનવાનું જણાવવામાં આવતું હતું. પરંતુ જો RT–PCR ટેસ્ટના પરિણામો પણ ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવ પરિણામ આપે તેવા કિસ્સામાં હવે કોના પર ભરોસો મુકવો તેવો સવાલ ઉભો થાય. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બાબતે ડૉ. વિરલ પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ખૂબ જ ચીવટપૂર્વક ટેસ્ટ કરવામાં આવતાં હોય છે. ક્ષતિની શક્યતા ખૂબ ઓછી હોય છે, પરંતુ આવું કેમ થયું તે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ. અને તપાસને અંતે અંતિમ નિર્ણય પર પહોંચી શકાય.
વડોદરામાં તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર સીટીઝન દંપત્તિના RT–PCR ટેસ્ટમાં બે દિવસમાં અલગ અલગ જગ્યાએ પોઝિટિવ અને ત્યારબાદ નેગેટિવ પરિણામ આવ્યા હતા. કોરોનના નિદાન માટે ભરોસા પાત્ર ગણાતા RT–PCR ટેસ્ટ માં આ પ્રકારે પોઝિટિવ અને નેગેટિવ માં એક જ દિવસમાં ફરક આવ્યો હોવાનો આ સંભવિત પ્રથમ કેસ છે.
[caption id="attachment_804826" align="aligncenter" width="1280"] પ્રકાશભાઈ પટેલ[/caption]
સમગ્ર મામલે RT–PCR ના પરિણામોમાં ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવ નો ફરક આવે તેવો રિપોર્ટ મેળવનાર પ્રકાશભાઈ પટેલે watch gujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી અને મારી પત્નીએ 25 માર્ચના રોજ અંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનો હોવાથી અમે 72 કલાક પહેલાં એટલે કે 22 માર્ચે શહેરની ખાનગી લેબોરેટરી માંથી કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. સવારે સેમ્પલ આપ્યા હતા જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમે કોરોના પોઝિટિવ અવ્યાનુ નિદાન થયું હતું. પરંતુ મને કોઈ લક્ષણો ન હોવાને કારણે મેં બીજા દિવસે ફરી રિપોર્ટ કઢાવવા માટેનો પ્રયાસ કર્યો.
બીજા દિવસે મેં અને મારી પત્નીએ અન્ય ખાનગી લેબોરેટરીમાં RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક જ દિવસના અંતરાયમાં કોરોના પોઝિટિવ અને નેગેટિવ આવતા અમે આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અમે અમે અંતરરાષ્ટ્રીય પ્રવાસે જતા રહ્યા હતા.
પ્રકાશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવવા માટે પણ RT–PCR ટેસ્ટ કરાવવો પડે છે. અન્ય દેશમાં પણ અમારો RT–PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. ત્યાર બાદ અમે સ્વદેશ પરત આવ્યા હતા. મને અગાઉ કોરોના થયો હતો. ત્યાર બાદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને સાજો થઈને હું મારા જીવનમાં પ્રવૃત્ત થયો હતો. ત્યાર બાદ મિત્રોની સલાહથી મારો એન્ટીબોડી ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેના પરિણામ સંતોષકારક આવ્યા હતા. અને એથીય વધુ 18 દિવસ પહેલા મેં કોરોનાની વેકસીન પણ લીધી છે. મને કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોવાથી મેં મારા ભરોસે બીજી વખત RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના નેગેટીવ પરિણામ સામે આવતા હું આશ્ચર્યમાં મુક્યો હતો.
પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો તે ભાંગી પડે છે. અને ડોકટર્સ દ્વારા તેની સારવાર કોરોના પોઝિટિવ દર્દી તરીકે શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ જેવું મારા કિસ્સાના થયું તેવું કેટલાયના કિસ્સામાં થયું હશે. હું લોકોને અપીલ કરવા માગું છું કે જો તમને કોરોના કોઈ પણ લક્ષણો ન હોય અને તમારો RT–PCR ટેસ્ટ પોઝિટિવ આવે તો ફરી એક વખત ટેસ્ટ કરાવી ખાતરી કરી લેજો.
સમગ્ર મામલે પ્રકાશ પટેલ દ્વારા પાલિકાને ઈમેલ મારફતે જાણ કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. તથા ઇમેલમાં તેમને કોરોના પોઝિટિવ આવતા દર્દીઓની વ્યથા પણ રજૂ કરી હતી.
કોરોનનું નિદાન કરવા માટે વ્યાપક પ્રમાણમાં RT–PCR ટેસ્ટ કરાવવામાં આવે છે
અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા એન્ટિજન ટેસ્ટના પરિણામોમાં જમીન - આસમાનનો ફેર જોવા મળ્યો હતો
કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે નેગેટિવ RT–PCR રિપોર્ટ આવ્યાનો આ સંભવિત પ્રથમ કિસ્સો છે
WatchGujarat.com કોરોના કાળમાં લોકોને જીવનમાં ક્યારેય ન અનુભવ્યા હોય તેવા અનુભવ થયા છે. અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ એન્ટીજન ટેસ્ટમાં એક જ દિવસમાં નેગેટિવ અને પોઝિટિવ પરિણામ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેવા સમયે લોકોને RT–PCR ટેસ્ટ કરવી અને તેના જ પરિણામને વધુ ચોક્કસ માનવાનું જણાવવામાં આવતું હતું. પરંતુ જો RT–PCR ટેસ્ટના પરિણામો પણ ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવ પરિણામ આપે તેવા કિસ્સામાં હવે કોના પર ભરોસો મુકવો તેવો સવાલ ઉભો થાય. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બાબતે ડૉ. વિરલ પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ખૂબ જ ચીવટપૂર્વક ટેસ્ટ કરવામાં આવતાં હોય છે. ક્ષતિની શક્યતા ખૂબ ઓછી હોય છે, પરંતુ આવું કેમ થયું તે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ. અને તપાસને અંતે અંતિમ નિર્ણય પર પહોંચી શકાય.
વડોદરામાં તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર સીટીઝન દંપત્તિના RT–PCR ટેસ્ટમાં બે દિવસમાં અલગ અલગ જગ્યાએ પોઝિટિવ અને ત્યારબાદ નેગેટિવ પરિણામ આવ્યા હતા. કોરોનના નિદાન માટે ભરોસા પાત્ર ગણાતા RT–PCR ટેસ્ટ માં આ પ્રકારે પોઝિટિવ અને નેગેટિવ માં એક જ દિવસમાં ફરક આવ્યો હોવાનો આ સંભવિત પ્રથમ કેસ છે.
સમગ્ર મામલે RT–PCR ના પરિણામોમાં ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવ નો ફરક આવે તેવો રિપોર્ટ મેળવનાર પ્રકાશભાઈ પટેલે watch gujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી અને મારી પત્નીએ 25 માર્ચના રોજ અંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનો હોવાથી અમે 72 કલાક પહેલાં એટલે કે 22 માર્ચે શહેરની ખાનગી લેબોરેટરી માંથી કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. સવારે સેમ્પલ આપ્યા હતા જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમે કોરોના પોઝિટિવ અવ્યાનુ નિદાન થયું હતું. પરંતુ મને કોઈ લક્ષણો ન હોવાને કારણે મેં બીજા દિવસે ફરી રિપોર્ટ કઢાવવા માટેનો પ્રયાસ કર્યો.
બીજા દિવસે મેં અને મારી પત્નીએ અન્ય ખાનગી લેબોરેટરીમાં RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક જ દિવસના અંતરાયમાં કોરોના પોઝિટિવ અને નેગેટિવ આવતા અમે આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અમે અમે અંતરરાષ્ટ્રીય પ્રવાસે જતા રહ્યા હતા.
પ્રકાશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવવા માટે પણ RT–PCR ટેસ્ટ કરાવવો પડે છે. અન્ય દેશમાં પણ અમારો RT–PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. ત્યાર બાદ અમે સ્વદેશ પરત આવ્યા હતા. મને અગાઉ કોરોના થયો હતો. ત્યાર બાદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને સાજો થઈને હું મારા જીવનમાં પ્રવૃત્ત થયો હતો. ત્યાર બાદ મિત્રોની સલાહથી મારો એન્ટીબોડી ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેના પરિણામ સંતોષકારક આવ્યા હતા. અને એથીય વધુ 18 દિવસ પહેલા મેં કોરોનાની વેકસીન પણ લીધી છે. મને કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોવાથી મેં મારા ભરોસે બીજી વખત RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના નેગેટીવ પરિણામ સામે આવતા હું આશ્ચર્યમાં મુક્યો હતો.
પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો તે ભાંગી પડે છે. અને ડોકટર્સ દ્વારા તેની સારવાર કોરોના પોઝિટિવ દર્દી તરીકે શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ જેવું મારા કિસ્સાના થયું તેવું કેટલાયના કિસ્સામાં થયું હશે. હું લોકોને અપીલ કરવા માગું છું કે જો તમને કોરોના કોઈ પણ લક્ષણો ન હોય અને તમારો RT–PCR ટેસ્ટ પોઝિટિવ આવે તો ફરી એક વખત ટેસ્ટ કરાવી ખાતરી કરી લેજો.
સમગ્ર મામલે પ્રકાશ પટેલ દ્વારા પાલિકાને ઈમેલ મારફતે જાણ કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. તથા ઇમેલમાં તેમને કોરોના પોઝિટિવ આવતા દર્દીઓની વ્યથા પણ રજૂ કરી હતી.