પુત્ર દિલિપને સંબોધી પિતાએ સ્યૂસાઇડ નોટ લખી હતી.
ગત નવેમ્બર મહિનામાં નવનીતભાઇ પટેલ અગમ્ય કારણોસર ઘર છોડી નિકળી જતા ગોત્રી પોલીસ સ્ટેશનને ગુમ થયાની ફરીયાદ મળી હતી.
ગત રોજ ગોત્રી તળાવના કિનારેથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
માનવ કંકાલની તપાસ કરતા એક ચીઠ્ઠી અને પેન્ટમાંથી ડ્રાઇવીંગ લાઇસન્સ મળી આવ્યું
WatchGujarat. કોરોનાનો ભય દેશ અને દુનિયામાં સતાવી રહ્યો છે. કોરોનાનો ખોફ એટલો છે કે પોઝીટીવ આવ્યા બાદ ભલભલા મજબુત મનના માણસો ભાંગી પડે. વડોદરામાં પણ કોરોનાના ખોફને કારણે વૃદ્ધે જીવનનું અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના સામે આવી હતી. પાંચ માસથી ગુમ વૃદ્ધનો કંકાલ ગોત્રી તળાવના કિનારેથી ગત રોજ મળી આવ્યો હતો. કંકાલ નજીકથી પોલીસને તપાસ દરમિયાન એક ચબરખી જેટલી ચીઠ્ઠી અને ડ્રાઇવીંગ લાઇનસન્સ મળી આવતા વૃદ્ધની ઓળખ છતી થઇ હતી. જેમાં વૃદ્ધે પુત્રને સંબોધી લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નવિનભાઇ પટેલ ગોત્રી વિસ્તારમાં તેમના પરિવારજનો સાથે રહેતા હતા. અને નિવૃત્ત જીવન ગાળતા હતા. નવેમ્બર – 20 માં તેઓ અચાનક ગુમ થયા હતા. ગુમ થતા પરિવારજનોએ મામલે ગોત્રી પોલીસને જાણ કરી હતી. જો કે, ત્યાર બાદ ઘટનાને 5 મહિના જેટલો સમય વિતી ગયો હતો. પરંતુ લાતપા નવનિતભાઇની કોઇ ભાળ મળી ન હતી.
ગતરોજ ગોત્રી તળાવ કિનારેથી માનવ કંકાલ મળી આવ્યો હતો. જેમાં દેહ પાણીમાં પડી રહેવાને કારણે ઘડ અને પગ કમરમાંથી છુટા પડી ગયા હતા. જેને લઇને મામલે ગોત્રી પોલીસને જાણ કરાતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
ગોત્રી પોલીસ સ્ટેશના પી.આઇ. એસ.વી. ચૌધરીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત રોજ ગોત્રી તળાવના કિનારેથી એક માનવ કંકાલ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પેન્ટના ખીસ્સામાંથી એક કબરછી અને ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવ્યાં હતા. પેન્ટમાંથી મળેલી ચબરખીમાં "ચિ. દિલીપ કોરોનાની બીકથી સ્યૂસાઇડ કરૂ છું" તેવુ લખેલુ જણાઇ આવ્યું હતુ અને નિચે સહીં કરેલી પણ જોવા મળી હતી. જેથી આ મામલે વધુ તપાસ કરતા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હરીબા પાર્કમાં રહેતા 68 વર્ષીય નવનિતભાઇ પટેલ હોવાનુ જાણવા મળ્યું હતુ. નવનિતભાઇ ગત નવેમ્બર મહિનામાં ઘરેથી નિકળી જતા તેમના પરિવારજનોએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે અરજી પણ આપી હોવાનુ ધ્યાને આવ્યું છે.
પુત્ર દિલિપને સંબોધી પિતાએ સ્યૂસાઇડ નોટ લખી હતી.
ગત નવેમ્બર મહિનામાં નવનીતભાઇ પટેલ અગમ્ય કારણોસર ઘર છોડી નિકળી જતા ગોત્રી પોલીસ સ્ટેશનને ગુમ થયાની ફરીયાદ મળી હતી.
ગત રોજ ગોત્રી તળાવના કિનારેથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
માનવ કંકાલની તપાસ કરતા એક ચીઠ્ઠી અને પેન્ટમાંથી ડ્રાઇવીંગ લાઇસન્સ મળી આવ્યું
WatchGujarat. કોરોનાનો ભય દેશ અને દુનિયામાં સતાવી રહ્યો છે. કોરોનાનો ખોફ એટલો છે કે પોઝીટીવ આવ્યા બાદ ભલભલા મજબુત મનના માણસો ભાંગી પડે. વડોદરામાં પણ કોરોનાના ખોફને કારણે વૃદ્ધે જીવનનું અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના સામે આવી હતી. પાંચ માસથી ગુમ વૃદ્ધનો કંકાલ ગોત્રી તળાવના કિનારેથી ગત રોજ મળી આવ્યો હતો. કંકાલ નજીકથી પોલીસને તપાસ દરમિયાન એક ચબરખી જેટલી ચીઠ્ઠી અને ડ્રાઇવીંગ લાઇનસન્સ મળી આવતા વૃદ્ધની ઓળખ છતી થઇ હતી. જેમાં વૃદ્ધે પુત્રને સંબોધી લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નવિનભાઇ પટેલ ગોત્રી વિસ્તારમાં તેમના પરિવારજનો સાથે રહેતા હતા. અને નિવૃત્ત જીવન ગાળતા હતા. નવેમ્બર – 20 માં તેઓ અચાનક ગુમ થયા હતા. ગુમ થતા પરિવારજનોએ મામલે ગોત્રી પોલીસને જાણ કરી હતી. જો કે, ત્યાર બાદ ઘટનાને 5 મહિના જેટલો સમય વિતી ગયો હતો. પરંતુ લાતપા નવનિતભાઇની કોઇ ભાળ મળી ન હતી.
ગતરોજ ગોત્રી તળાવ કિનારેથી માનવ કંકાલ મળી આવ્યો હતો. જેમાં દેહ પાણીમાં પડી રહેવાને કારણે ઘડ અને પગ કમરમાંથી છુટા પડી ગયા હતા. જેને લઇને મામલે ગોત્રી પોલીસને જાણ કરાતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મામલાની વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
ગોત્રી પોલીસ સ્ટેશના પી.આઇ. એસ.વી. ચૌધરીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત રોજ ગોત્રી તળાવના કિનારેથી એક માનવ કંકાલ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પેન્ટના ખીસ્સામાંથી એક કબરછી અને ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવ્યાં હતા. પેન્ટમાંથી મળેલી ચબરખીમાં "ચિ. દિલીપ કોરોનાની બીકથી સ્યૂસાઇડ કરૂ છું" તેવુ લખેલુ જણાઇ આવ્યું હતુ અને નિચે સહીં કરેલી પણ જોવા મળી હતી. જેથી આ મામલે વધુ તપાસ કરતા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હરીબા પાર્કમાં રહેતા 68 વર્ષીય નવનિતભાઇ પટેલ હોવાનુ જાણવા મળ્યું હતુ. નવનિતભાઇ ગત નવેમ્બર મહિનામાં ઘરેથી નિકળી જતા તેમના પરિવારજનોએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે અરજી પણ આપી હોવાનુ ધ્યાને આવ્યું છે.