વડોદરામાં અન્ય શહેરોની સરખામણીએ બેડ, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ પણ ઓક્સિજન મેળવવાનો પડકાર
હાલની જરૂરીયાત પ્રમાણે શહેરને પ્રતિદીન 160 મેટ્રીક ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવે છે
જે રીતે વડોદરામાં આસપાસના વિસ્તારના લોકો સારવાર અર્થે આવે છે તે જોતા શહેરમાં ઓક્સિજનના જથ્થાની માંગમાં વધારો થશે
વડોદરામાં અત્યાર સુધીની વ્યવસ્થા સુચારૂ રૂપથી ચાલી રહી હતી. પરંતુ ઓક્સિજનના જથ્થાની સમસ્યાને સમયસર ઉકેલવામાં નહિ આવે તો દુર્ઘટના સર્જાઇ થકે
ઓક્સિજનની માંગ મામલે આવતી કાલે ચુંટાયેલા પ્રતિનીધીઓનુ મંડળ મુખ્યમંત્રીને રજુઆત કરશે
WatchGujarat. વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ કેસો જુનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવે છે. તેવા સમયે હવે શહેરમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમીત રીતે મળી રહે તેનો પડકાર સામે આવ્યો છે. શહેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓમાંથી કોઇનું ઓક્સિજનના અભાવે મૃત્યુ ન થાય તે માટે વડોદરાના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જેમાં ઓક્સિજન મામલે આવતી કાલે મુખ્યમંત્રીને વડોદરાના ચુંટાયેલા પ્રતિનીધીઓનું એક મંડળ મળી રજુઆત કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગેશ પટેલના મતે શહેરને હાલની જરૂરીયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો મળી રહ્યો છે. પરંતુ જો આગામી સમયમાં જરૂરીયાત વધે તો ઓક્સિજનની ઘટ વચ્ચે દર્દીઓના જીવ કેવી રીતે બચાવવા તે અંગે કોઇ કંઇ બોલવા તૈયાર નથી.
વડોદરા મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ કોરોનાની મહામારી સમયે વડોદરામાં આસપાસના તાલુકાઓમાંથી લોકો સારવાર અર્થે અહિંયા આવે છે. રાજ્યના અન્ય શહેરો અમદાવાદ અને સુરતની સરખામણીએ વડોદરા પાસે કોરોના સામેની લડાઇમાં વધારે બેડ, વેન્ટીલેટર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમામ સુવિધાઓ વચ્ચે વડોદરા સામે ઓક્સિજનનો પુરવઠો નિયમીત અને જરૂરી માત્રામાં મેળવવા માટેનો પડકાર સામે આવ્યો છે. ગત રોજ ઓએસડી દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે રાજ્ય સરકાર પાસેથી ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો મેળવવો પડકાર સમાન છે.
શુક્રવારે શહેરમાં ઓક્સિજનના અભાવે કોઇનું મૃત્યુ ન થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ બાદ રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજનના અભાવે કોઇનું મૃત્યુ ન થાય તે માટે મીટિંગનું યોજાઇ હતી. ગોત્રી, એસએસજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ મળીને વડોદરામાં પ્રતિદીન 160 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત છે. હાલની તારીખે ઓક્સિજનની માંગ વધી રહી છે. મીટિંગમાં ખાનગી હોસ્પિટલોમાં જમતી વેળાએ અથવાતો લિકેજ જેવા કારણોસર ઓક્સિજનનો વેડફાટ થતો બચાવવા માટે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે વહીવટી તંત્ર મીટિંગ કરશે. તથા નવા કોવિડ કેર સેન્ટરને સરકાર તરફથી ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં નહિ આવે.
યોગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, 15 માર્ચે વડોદરામાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.તે અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તેઓએ સહાયતા કરી હતી. ઓક્સિજનની માંગ મામલે આવતી કાલે ચુંટાયેલા પ્રતિનીધીઓનુ મંડળ મુખ્યમંત્રીને રજુઆત કરશે. વડોદરા માટે મોકલાતા ઓક્સિજનના જથ્થાને અન્યત્રે મોકલી આપવા મામલે યોગેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. વડોદરાની હાલની જરૂરીયાત પ્રમાણે જથ્થો મળશે તેમ તો રાજ્ય કક્ષાના મંત્રીએ જણાવ્યું હતું.
ઓક્સિજનના ઉપયોગમાં વધારો - ઘટાડો થઇ શકે છે. જે રીતે વડોદરામાં આસપાસના તાલુકાના લોકો સારવાર અર્થે આવે છે તે જોતા શહેરમાં ઓક્સિજનના જથ્થાની માંગમાં વધારો થશે. તેવા સંજોગોમાં જો રાજ્ય સરકાર દ્વારા વડોદરાને ફાળવવામાં આવતા ઓક્સિજનના જથ્થામાં વધારો કરવામાં નહિ આવે તો મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. દેશના અનેક ભાગોમાં હોસ્પિટલમાં ઓક્સિજન અથવાતો ઓક્સિજન મેનેજમેન્ટમાં ખામીને પગલે લોકોએ મરવાનો વારો આવ્યો હતો. વડોદરામાં અત્યાર સુધીની વ્યવસ્થા સુચારૂ રૂપથી ચાલી રહી હતી. પરંતુ ઓક્સિજનના જથ્થાની સમસ્યાને સમયસર ઉકેલવામાં નહિ આવે તો દુર્ઘટના સર્જાઇ થકે છે.
વડોદરામાં અન્ય શહેરોની સરખામણીએ બેડ, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ પણ ઓક્સિજન મેળવવાનો પડકાર
હાલની જરૂરીયાત પ્રમાણે શહેરને પ્રતિદીન 160 મેટ્રીક ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવે છે
જે રીતે વડોદરામાં આસપાસના વિસ્તારના લોકો સારવાર અર્થે આવે છે તે જોતા શહેરમાં ઓક્સિજનના જથ્થાની માંગમાં વધારો થશે
વડોદરામાં અત્યાર સુધીની વ્યવસ્થા સુચારૂ રૂપથી ચાલી રહી હતી. પરંતુ ઓક્સિજનના જથ્થાની સમસ્યાને સમયસર ઉકેલવામાં નહિ આવે તો દુર્ઘટના સર્જાઇ થકે
WatchGujarat. વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ કેસો જુનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવે છે. તેવા સમયે હવે શહેરમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમીત રીતે મળી રહે તેનો પડકાર સામે આવ્યો છે. શહેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓમાંથી કોઇનું ઓક્સિજનના અભાવે મૃત્યુ ન થાય તે માટે વડોદરાના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જેમાં ઓક્સિજન મામલે આવતી કાલે મુખ્યમંત્રીને વડોદરાના ચુંટાયેલા પ્રતિનીધીઓનું એક મંડળ મળી રજુઆત કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગેશ પટેલના મતે શહેરને હાલની જરૂરીયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો મળી રહ્યો છે. પરંતુ જો આગામી સમયમાં જરૂરીયાત વધે તો ઓક્સિજનની ઘટ વચ્ચે દર્દીઓના જીવ કેવી રીતે બચાવવા તે અંગે કોઇ કંઇ બોલવા તૈયાર નથી.
વડોદરા મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ કોરોનાની મહામારી સમયે વડોદરામાં આસપાસના તાલુકાઓમાંથી લોકો સારવાર અર્થે અહિંયા આવે છે. રાજ્યના અન્ય શહેરો અમદાવાદ અને સુરતની સરખામણીએ વડોદરા પાસે કોરોના સામેની લડાઇમાં વધારે બેડ, વેન્ટીલેટર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમામ સુવિધાઓ વચ્ચે વડોદરા સામે ઓક્સિજનનો પુરવઠો નિયમીત અને જરૂરી માત્રામાં મેળવવા માટેનો પડકાર સામે આવ્યો છે. ગત રોજ ઓએસડી દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે રાજ્ય સરકાર પાસેથી ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો મેળવવો પડકાર સમાન છે.
શુક્રવારે શહેરમાં ઓક્સિજનના અભાવે કોઇનું મૃત્યુ ન થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ બાદ રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજનના અભાવે કોઇનું મૃત્યુ ન થાય તે માટે મીટિંગનું યોજાઇ હતી. ગોત્રી, એસએસજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ મળીને વડોદરામાં પ્રતિદીન 160 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત છે. હાલની તારીખે ઓક્સિજનની માંગ વધી રહી છે. મીટિંગમાં ખાનગી હોસ્પિટલોમાં જમતી વેળાએ અથવાતો લિકેજ જેવા કારણોસર ઓક્સિજનનો વેડફાટ થતો બચાવવા માટે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે વહીવટી તંત્ર મીટિંગ કરશે. તથા નવા કોવિડ કેર સેન્ટરને સરકાર તરફથી ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં નહિ આવે.
યોગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, 15 માર્ચે વડોદરામાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.તે અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તેઓએ સહાયતા કરી હતી. ઓક્સિજનની માંગ મામલે આવતી કાલે ચુંટાયેલા પ્રતિનીધીઓનુ મંડળ મુખ્યમંત્રીને રજુઆત કરશે. વડોદરા માટે મોકલાતા ઓક્સિજનના જથ્થાને અન્યત્રે મોકલી આપવા મામલે યોગેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. વડોદરાની હાલની જરૂરીયાત પ્રમાણે જથ્થો મળશે તેમ તો રાજ્ય કક્ષાના મંત્રીએ જણાવ્યું હતું.
ઓક્સિજનના ઉપયોગમાં વધારો - ઘટાડો થઇ શકે છે. જે રીતે વડોદરામાં આસપાસના તાલુકાના લોકો સારવાર અર્થે આવે છે તે જોતા શહેરમાં ઓક્સિજનના જથ્થાની માંગમાં વધારો થશે. તેવા સંજોગોમાં જો રાજ્ય સરકાર દ્વારા વડોદરાને ફાળવવામાં આવતા ઓક્સિજનના જથ્થામાં વધારો કરવામાં નહિ આવે તો મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. દેશના અનેક ભાગોમાં હોસ્પિટલમાં ઓક્સિજન અથવાતો ઓક્સિજન મેનેજમેન્ટમાં ખામીને પગલે લોકોએ મરવાનો વારો આવ્યો હતો. વડોદરામાં અત્યાર સુધીની વ્યવસ્થા સુચારૂ રૂપથી ચાલી રહી હતી. પરંતુ ઓક્સિજનના જથ્થાની સમસ્યાને સમયસર ઉકેલવામાં નહિ આવે તો દુર્ઘટના સર્જાઇ થકે છે.