રાજ્ય સરકાર દ્વારા ધો – 10 માં માસ પ્રમોશનના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે
એક્સપર્ટના મતે બાળકનું જ્ઞાન, રસ, રુચીનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ જ તેને ધો – 10 પછી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કે ડિપ્લોમામાં એડમીશન અપાવવું તે નક્કી કરવું
દેખાદેખીથી વશ થઇ બાળકનો ભવિષ્ય અંગે લેવામાં આવેલા બાળકનું ભવિષ્ય જોખમમાં મુકે છે - નિમિષ ગોપાલ
WatchGujarat. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધો – 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય ગતરોજ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણયને હાલ મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે હવે ધો – 10 પછી શું તેવો સવાલ વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યો છે. એક્સપર્ટના મતે બાળકનું જ્ઞાન, રસ, રુચીનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ જ તેને ધો – 10 પછી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કે ડિપ્લોમામાં એડમીશન અપાવવું તે નક્કી કરવું જોઇએ. જો તેમ નહિ કરવામાં આવે તો આગળ જતા સમય અને પૈસા વેડફાઇ શકે છે.
માતા – પિતાએ બાળકોમાં રહેલી શક્તિ અને તેની નબળાઇને જાણીને જ તેના ભવિષ્યનો નિર્ણય કરવો જોઇએ
CareerNaksha ના ફાઉન્ડર નિમિષ ગોપાલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા ધો – 10 માં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણયના અનેક સારા અને નરસા પાસા છે. પરંતુ હવે સમયની સાથે બાળકોની સમજ શક્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિકલપોમાં પણ વધારો થયો છે. માતા – પિતાએ બાળકોમાં રહેલી શક્તિ અને તેની નબળાઇને જાણીને જ તેના ભવિષ્યનો નિર્ણય કરવો જોઇએ.
પ્રમોશનને પગલે સ્પર્ધાત્મકતામાં ઘટાડો પણ જોવા મળી શકે છે
નિમિષ ગોપાલે ઉમેર્યું કે, સરકારના માસ પ્રમોશનના નિર્ણયને પગલે ધો – 10 ના વિદ્યાર્થીઓએ ફરી ભણવું નહિ પડે, પરીક્ષા નહિ થવાને કારણે કેટલીક હદ સુધી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. અને એક વર્ષ માટે શાળા છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધટાડો નોંધાઇ શકે છે. તેની સામે વિદ્યાર્થીઓમાં આગળ ભણવા માટે જરૂરી જ્ઞાનની અછત જોવા મળે, માતા – પિતા બાળકની કેપેસીટીનો સાચો અંદાજો નહિ લગાડી શકે, સ્પર્ધાત્મકતામાં ઘટાડો પણ જોવા મળી શકે છે. આમ, સરકારના નિર્ણયને પગલે સારા અને નરસા તમામ પાસાઓ પર વત્તા ઓછા અંશે ભવિષ્યમાં અસર જોવા મળશે.
કોઇ પણ સ્ટ્રીમ નક્કી કરતા પહેલા બાળકોનો સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવો જરૂરી
નિમિષ ગોપાલે જણાવ્યું કે, આવા સમયે માતા – પિતાએ બાળકના ભવિષ્ય માટે ખુબ જ સાવચેતી પુર્વક નિર્ણય લેવા પડશે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અથવા ડિપ્લોમાં કોઇ પણ સ્ટ્રીમ નક્કી કરતા પહેલા બાળકોનો સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવો જરૂરી છે. સાયકોમેટ્રીક ટેસ્ટમાં બાળકોની પર્સનાલીટી, ઇન્ટરેસ્ટ, એપ્ટીટ્યુડ, સ્કિલ, નોલેજ સહિતના પાસાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસવામાં આવે છે. ત્યાર બાદ યોગ્ય કરીયર કાઉન્સિલર જોડે બાળકનું કાઉન્સિલીંગ કરાવ્યા બાદ જ ભવિષ્ય અંગેના મહત્વના નિર્ણયો લેવા જોઇએ. દેખાદેખીથી વશ થઇ બાળકનો ભવિષ્ય અંગે લેવામાં આવેલા નિર્ણયોમાં માતા – પિતાના પૈસા અને સમયનો વેડફાટ પણ થાય છે. અને બાળકનું ભવિષ્ય જોખમમાં મુકે છે.
બોર્ડ એક્ઝામના પરિણામના આધારે બાળકમાં રહેલી ક્ષમતાને ઓળખી શકાય નહિ
સાયકોલોજીકલ કાઉન્સિલર શ્રીમા દાસે watchgujart.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બોર્ડની માર્કશીટમાં દર્શાવેલી ટકાવારી વધારે ટેલેન્ટ બાળકમાં હોય છે. બોર્ડની તૈયારી કરતા બાળકોને કેવી રીતે જવાબ લખવા તેની પણ તૈયારી કરાવાય છે. જેને કારણે બોર્ડમાં સારા ક્રમાંક આવે છે. પરંતુ તેના આધારે બાળકમાં રહેલી ક્ષમતાને ઓળખી શકાય નહિ. સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવાથી બાળકોમાં છુપાયેલી આવડત, ઇચ્છાશક્તિ સહિત અનેક ક્ષમતાઓ ઓળખી શકાય છે. તેના આધારે બાળકોના ભવિષ્ય અંગેનો નિર્ણય લેવો હિતાવહ છે. આમ, બોર્ડ પરીક્ષાના પરિણામની જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઇએ.
રાજ્ય સરકાર દ્વારા ધો – 10 માં માસ પ્રમોશનના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે
એક્સપર્ટના મતે બાળકનું જ્ઞાન, રસ, રુચીનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ જ તેને ધો – 10 પછી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કે ડિપ્લોમામાં એડમીશન અપાવવું તે નક્કી કરવું
દેખાદેખીથી વશ થઇ બાળકનો ભવિષ્ય અંગે લેવામાં આવેલા બાળકનું ભવિષ્ય જોખમમાં મુકે છે - નિમિષ ગોપાલ
WatchGujarat. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધો – 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય ગતરોજ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણયને હાલ મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે હવે ધો – 10 પછી શું તેવો સવાલ વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યો છે. એક્સપર્ટના મતે બાળકનું જ્ઞાન, રસ, રુચીનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ જ તેને ધો – 10 પછી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ કે ડિપ્લોમામાં એડમીશન અપાવવું તે નક્કી કરવું જોઇએ. જો તેમ નહિ કરવામાં આવે તો આગળ જતા સમય અને પૈસા વેડફાઇ શકે છે.
માતા – પિતાએ બાળકોમાં રહેલી શક્તિ અને તેની નબળાઇને જાણીને જ તેના ભવિષ્યનો નિર્ણય કરવો જોઇએ
CareerNaksha ના ફાઉન્ડર નિમિષ ગોપાલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સરકાર દ્વારા ધો – 10 માં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણયના અનેક સારા અને નરસા પાસા છે. પરંતુ હવે સમયની સાથે બાળકોની સમજ શક્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિકલપોમાં પણ વધારો થયો છે. માતા – પિતાએ બાળકોમાં રહેલી શક્તિ અને તેની નબળાઇને જાણીને જ તેના ભવિષ્યનો નિર્ણય કરવો જોઇએ.
પ્રમોશનને પગલે સ્પર્ધાત્મકતામાં ઘટાડો પણ જોવા મળી શકે છે
નિમિષ ગોપાલે ઉમેર્યું કે, સરકારના માસ પ્રમોશનના નિર્ણયને પગલે ધો – 10 ના વિદ્યાર્થીઓએ ફરી ભણવું નહિ પડે, પરીક્ષા નહિ થવાને કારણે કેટલીક હદ સુધી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. અને એક વર્ષ માટે શાળા છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધટાડો નોંધાઇ શકે છે. તેની સામે વિદ્યાર્થીઓમાં આગળ ભણવા માટે જરૂરી જ્ઞાનની અછત જોવા મળે, માતા – પિતા બાળકની કેપેસીટીનો સાચો અંદાજો નહિ લગાડી શકે, સ્પર્ધાત્મકતામાં ઘટાડો પણ જોવા મળી શકે છે. આમ, સરકારના નિર્ણયને પગલે સારા અને નરસા તમામ પાસાઓ પર વત્તા ઓછા અંશે ભવિષ્યમાં અસર જોવા મળશે.
કોઇ પણ સ્ટ્રીમ નક્કી કરતા પહેલા બાળકોનો સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવો જરૂરી
નિમિષ ગોપાલે જણાવ્યું કે, આવા સમયે માતા – પિતાએ બાળકના ભવિષ્ય માટે ખુબ જ સાવચેતી પુર્વક નિર્ણય લેવા પડશે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અથવા ડિપ્લોમાં કોઇ પણ સ્ટ્રીમ નક્કી કરતા પહેલા બાળકોનો સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવો જરૂરી છે. સાયકોમેટ્રીક ટેસ્ટમાં બાળકોની પર્સનાલીટી, ઇન્ટરેસ્ટ, એપ્ટીટ્યુડ, સ્કિલ, નોલેજ સહિતના પાસાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસવામાં આવે છે. ત્યાર બાદ યોગ્ય કરીયર કાઉન્સિલર જોડે બાળકનું કાઉન્સિલીંગ કરાવ્યા બાદ જ ભવિષ્ય અંગેના મહત્વના નિર્ણયો લેવા જોઇએ. દેખાદેખીથી વશ થઇ બાળકનો ભવિષ્ય અંગે લેવામાં આવેલા નિર્ણયોમાં માતા – પિતાના પૈસા અને સમયનો વેડફાટ પણ થાય છે. અને બાળકનું ભવિષ્ય જોખમમાં મુકે છે.
બોર્ડ એક્ઝામના પરિણામના આધારે બાળકમાં રહેલી ક્ષમતાને ઓળખી શકાય નહિ
સાયકોલોજીકલ કાઉન્સિલર શ્રીમા દાસે watchgujart.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બોર્ડની માર્કશીટમાં દર્શાવેલી ટકાવારી વધારે ટેલેન્ટ બાળકમાં હોય છે. બોર્ડની તૈયારી કરતા બાળકોને કેવી રીતે જવાબ લખવા તેની પણ તૈયારી કરાવાય છે. જેને કારણે બોર્ડમાં સારા ક્રમાંક આવે છે. પરંતુ તેના આધારે બાળકમાં રહેલી ક્ષમતાને ઓળખી શકાય નહિ. સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવાથી બાળકોમાં છુપાયેલી આવડત, ઇચ્છાશક્તિ સહિત અનેક ક્ષમતાઓ ઓળખી શકાય છે. તેના આધારે બાળકોના ભવિષ્ય અંગેનો નિર્ણય લેવો હિતાવહ છે. આમ, બોર્ડ પરીક્ષાના પરિણામની જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઇએ.