માચી જતા ત્રણ રસ્તા પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, ભક્તોને માચી સુધી પણ નહીં જઇ શકે
લોકોની ભીડ થતી ટાળવા માટે રાજ્યના અનેક મંદિરોમાં ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરાઇ
WatchGujarat. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇને યાત્રાધામ પાવાગઢ ભક્તો માટે વધુ 10 દિવસ બંધ રહેશે. કોરોના મહામારીને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 8 મે સુધી મંદિર ભક્તોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
મંદિર ટ્રસ્ટે ભક્તોને લાઈવ દર્શન કરવા કરી અપીલ
તાજેતરમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન 28 એપ્રિલ સુધી ભકતો માટે માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જોકે કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વધુ 10 દિવસ સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને લાઈવ દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. માચી જતા ત્રણ રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પાવાગઢ ડુંગર પર જવા પર રોક લગાવાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધી ભક્તો માચી સુધી જઇ શકતા હતા. અને ત્યાં મુકેલા એલઇડી સ્ક્રિન પર માતાજીના દર્શન કરી શકે તેવી સુવિધા ચાલુ હતી. પરંતુ હવે કોરોનાની સ્થિતી વધુ વકરતા તંત્ર દ્વારા મંદિર બંધ રાખવાના નિર્ણયની સમયમર્યાદા વધારવાની ફરજ પડી છે.
સતત ત્રણ નવરાત્રિમાં મંદિર બંધ રહ્યું
કોરોના મહામારીની શરૂઆતમાં ગત વર્ષ પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ આસો નવરાત્રિમાં પણ મંદિર બંધ રહ્યું છે. અને આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રહ્યું હતું. જોકે કોરોના સંક્રમણ વધતા પાવાગઢ મંદિર 8 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, કોરોનાની સ્થિતીને પગલે રાજ્યના તમામ નાના - મોટા મંદિરો લોકોની ભીડ ટાળવા માટે બંધ રાખામાં આવ્યા છે. અને મોટાભાગના મંદિરો દ્વારા ભક્તો માટે ઓનલાઇન દર્શનનો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.
માચી જતા ત્રણ રસ્તા પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, ભક્તોને માચી સુધી પણ નહીં જઇ શકે
લોકોની ભીડ થતી ટાળવા માટે રાજ્યના અનેક મંદિરોમાં ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરાઇ
WatchGujarat. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇને યાત્રાધામ પાવાગઢ ભક્તો માટે વધુ 10 દિવસ બંધ રહેશે. કોરોના મહામારીને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 8 મે સુધી મંદિર ભક્તોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
મંદિર ટ્રસ્ટે ભક્તોને લાઈવ દર્શન કરવા કરી અપીલ
તાજેતરમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન 28 એપ્રિલ સુધી ભકતો માટે માતાજીના પ્રત્યક્ષ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જોકે કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વધુ 10 દિવસ સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને લાઈવ દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. માચી જતા ત્રણ રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પાવાગઢ ડુંગર પર જવા પર રોક લગાવાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધી ભક્તો માચી સુધી જઇ શકતા હતા. અને ત્યાં મુકેલા એલઇડી સ્ક્રિન પર માતાજીના દર્શન કરી શકે તેવી સુવિધા ચાલુ હતી. પરંતુ હવે કોરોનાની સ્થિતી વધુ વકરતા તંત્ર દ્વારા મંદિર બંધ રાખવાના નિર્ણયની સમયમર્યાદા વધારવાની ફરજ પડી છે.
સતત ત્રણ નવરાત્રિમાં મંદિર બંધ રહ્યું
કોરોના મહામારીની શરૂઆતમાં ગત વર્ષ પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ આસો નવરાત્રિમાં પણ મંદિર બંધ રહ્યું છે. અને આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રહ્યું હતું. જોકે કોરોના સંક્રમણ વધતા પાવાગઢ મંદિર 8 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, કોરોનાની સ્થિતીને પગલે રાજ્યના તમામ નાના - મોટા મંદિરો લોકોની ભીડ ટાળવા માટે બંધ રાખામાં આવ્યા છે. અને મોટાભાગના મંદિરો દ્વારા ભક્તો માટે ઓનલાઇન દર્શનનો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.