બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે ફેલાઇને લોકોને અસરગ્રસ્ત કરી રહ્યું છે
શનિવારે સહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમીયાના ખાંચામાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ અદા કરવા માટે એકત્ર થયા
પોલીસે મસ્જીદના ટ્રસ્ટી સહિત ત્રણ સામે જાહેરનામા ભંગ સહિતની કલમોના આધારે ગુનો નોંધ્યો
પોલીસે મદાર માર્કેટમાં દુકાનો ખુલ્લી રાખનારાઓ સામે પણ કાર્યવાહી કરી
WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના કાળમાં લોકો એકત્ર ન થાય તે માટે સરકારે આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. તેવામાં આજે વાડી વિસ્તારમાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ પડવા માટે એકત્ર થયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ટ્રસ્ટી સહિત ત્રણ લોકો સામે એપીડેમીક એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
https://youtu.be/eE6YHPzWtMs
રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે ફેલાઇને લોકોને ગ્રસ્ત કરી રહ્યું છે. રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હાલ રાજ્યભરમાં પોલીસ નિભાવી રહી છે.
શનિવારે સહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમીયાના ખાંચામાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ અદા કરવા માટે એકત્ર થયા હતા. દરમિયાન પોલીસ જાહેરનામાની આમલવારીના કામમાં જોતરાયેલી હતી. મસ્જીદમાં લોકો એકત્ર થયાની જાણકારી મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી. અને સ્થળ પર પહોંચી માહિતીની ખરાઇ કરી હતી. લોકો એકત્ર થયા હોવાનું સામે આવતા પોલીસે મસ્જીદના વહીવટ કર્તા ફીરોજ સુલેમાન સુમા – ટ્રસ્ટી (રહે – ડોસુમીયા મસ્જીદ પાસે વડોદરા), આરીફ ઉસ્માનમીયા સંધી, અને મન્સુર હારૂણભાઇ દાણી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્રણેય વિરૂદ્ધ પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાની જોગવાઇના ભંગ બદલ એપેડેમીક એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાને કહેર યથાવત છે. તેવા સમયે કોરોનાને નાથવા માટે સરકારના પ્રયાસોમાં સહકાર આપવો જોઇએ. માસ્ક પહેરવું, જરૂરિયાત વગર બહાર નહિ નિકળવું, બહાર નિકળો તો સોશિયલ ડિસ્ટન્સીંગનું ચોક્કસ પણે પાલન કરવા જેવા નિયમોને અનુસરવા પડશે. કોરોના જીવલેણ વાયરલ છે. કોરોના સામે જરાક પણ લાપરવાહી જીવલેણ સાહિત થઇ શકે છે.
શનિવારે મદાર માર્કેટમાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારી કરાવી રહેલી વાડી પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને દુકાન ખુલ્લી રાખનાર ચાર લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે ફેલાઇને લોકોને અસરગ્રસ્ત કરી રહ્યું છે
શનિવારે સહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમીયાના ખાંચામાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ અદા કરવા માટે એકત્ર થયા
પોલીસે મસ્જીદના ટ્રસ્ટી સહિત ત્રણ સામે જાહેરનામા ભંગ સહિતની કલમોના આધારે ગુનો નોંધ્યો
પોલીસે મદાર માર્કેટમાં દુકાનો ખુલ્લી રાખનારાઓ સામે પણ કાર્યવાહી કરી
WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના કાળમાં લોકો એકત્ર ન થાય તે માટે સરકારે આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. તેવામાં આજે વાડી વિસ્તારમાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ પડવા માટે એકત્ર થયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ટ્રસ્ટી સહિત ત્રણ લોકો સામે એપીડેમીક એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે ફેલાઇને લોકોને ગ્રસ્ત કરી રહ્યું છે. રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હાલ રાજ્યભરમાં પોલીસ નિભાવી રહી છે.
શનિવારે સહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમીયાના ખાંચામાં આવેલી મસ્જીદમાં 60 – 70 જેટલા લોકો નમાઝ અદા કરવા માટે એકત્ર થયા હતા. દરમિયાન પોલીસ જાહેરનામાની આમલવારીના કામમાં જોતરાયેલી હતી. મસ્જીદમાં લોકો એકત્ર થયાની જાણકારી મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી. અને સ્થળ પર પહોંચી માહિતીની ખરાઇ કરી હતી. લોકો એકત્ર થયા હોવાનું સામે આવતા પોલીસે મસ્જીદના વહીવટ કર્તા ફીરોજ સુલેમાન સુમા – ટ્રસ્ટી (રહે – ડોસુમીયા મસ્જીદ પાસે વડોદરા), આરીફ ઉસ્માનમીયા સંધી, અને મન્સુર હારૂણભાઇ દાણી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્રણેય વિરૂદ્ધ પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાની જોગવાઇના ભંગ બદલ એપેડેમીક એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાને કહેર યથાવત છે. તેવા સમયે કોરોનાને નાથવા માટે સરકારના પ્રયાસોમાં સહકાર આપવો જોઇએ. માસ્ક પહેરવું, જરૂરિયાત વગર બહાર નહિ નિકળવું, બહાર નિકળો તો સોશિયલ ડિસ્ટન્સીંગનું ચોક્કસ પણે પાલન કરવા જેવા નિયમોને અનુસરવા પડશે. કોરોના જીવલેણ વાયરલ છે. કોરોના સામે જરાક પણ લાપરવાહી જીવલેણ સાહિત થઇ શકે છે.
શનિવારે મદાર માર્કેટમાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારી કરાવી રહેલી વાડી પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને દુકાન ખુલ્લી રાખનાર ચાર લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.