ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પ્રથમ તબ્બકામાં રસી આપવામાં આવી રહી છે
રવિવારે શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર સહીતના તમામ ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી હતી
ઉચ્ચઅધિકારીઓ સહીત પોલીસ કર્મીઓએ પણ રસી લેતા તબીયત નાદુરસ્ત બની હતી
પોલીસ કમિશ્નરે ટ્વીટ કરી પોતાનો પ્રતિભાવ જણાવ્યો
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાનુ સૌથી મોટુ કોવિડ વેકસિનેશન અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં તબ્બકા વાર કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેકસિન આપવામાં આવી હતી. અભિયાન અંતર્ગત રવિવારે શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેકટ સહીતના ઉચ્ચઅધિકારીઓને વેકિસન અપાઇ હતી. ત્યારબાદ કમિશનરે વેકિસન ઇઝ સેફ સાથે પોતાનો પ્રતિભાવ ટ્વીટ કરી જણાવ્યો હતો.
https://twitter.com/Shamsher_IPS/status/1356642341734481920?s=08
કોરોનાન વેકસિન તબક્કા વાર ફ્રન્ટ લાઇન વોરિયર્સને આપવામાં આવી રહીં છે. તેવામાં રવિવારના રોજ શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, રેન્જ આઇ.જી શ્રી હરિકૃષ્ણ પટેલ સહીત અનેક ઉચ્ચઅધિકારીઓને વેકસિન આપવામાં આવી હતી. આ સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓ અને અધિકરીઓને પણ વેકસિન આપાવમાં આવી હતી. વેકસિન લીધા બાદ અનેક પોલીસ કર્મીઓની તબીયત નાદુરસ્ત બની હોવાની ફરીયાદો ઉઠી હતી. તેવામાં શહેર પોલીસ કમિશ્નર ડો.શમસેરસિંગની પણ તબીયત નાદુરસ્ત બની હોવાની વિગતો તેમણે ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીવ્ટર પર જણાવી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગએ ટ્વીટ કરી પ્રતિભાવ આપ્યો, રસી લીધા બાદ મને શરીરમાં દુખાવો અને 36 કલાકમાં 3 વખત ઝીણો તાવ આવ્યો હતો. મેં Dolo-650 દવા તાવ માટે લીધી હતી. અને તે પ્રયાપ્ત હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને કોઇ તકલીફ નથી. ડોકટરના કહેવા પ્રમાણે આ પ્રકારના લક્ષ્ણો સામાન્ય છે અને 30 ટકા જેટલા દર્દીઓમાં જોવા મળે છે. “વેકિસન સુરક્ષીત છે” #Covishield
ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પ્રથમ તબ્બકામાં રસી આપવામાં આવી રહી છે
રવિવારે શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર સહીતના તમામ ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી હતી
ઉચ્ચઅધિકારીઓ સહીત પોલીસ કર્મીઓએ પણ રસી લેતા તબીયત નાદુરસ્ત બની હતી
પોલીસ કમિશ્નરે ટ્વીટ કરી પોતાનો પ્રતિભાવ જણાવ્યો
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાનુ સૌથી મોટુ કોવિડ વેકસિનેશન અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં તબ્બકા વાર કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેકસિન આપવામાં આવી હતી. અભિયાન અંતર્ગત રવિવારે શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેકટ સહીતના ઉચ્ચઅધિકારીઓને વેકિસન અપાઇ હતી. ત્યારબાદ કમિશનરે વેકિસન ઇઝ સેફ સાથે પોતાનો પ્રતિભાવ ટ્વીટ કરી જણાવ્યો હતો.
કોરોનાન વેકસિન તબક્કા વાર ફ્રન્ટ લાઇન વોરિયર્સને આપવામાં આવી રહીં છે. તેવામાં રવિવારના રોજ શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, રેન્જ આઇ.જી શ્રી હરિકૃષ્ણ પટેલ સહીત અનેક ઉચ્ચઅધિકારીઓને વેકસિન આપવામાં આવી હતી. આ સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓ અને અધિકરીઓને પણ વેકસિન આપાવમાં આવી હતી. વેકસિન લીધા બાદ અનેક પોલીસ કર્મીઓની તબીયત નાદુરસ્ત બની હોવાની ફરીયાદો ઉઠી હતી. તેવામાં શહેર પોલીસ કમિશ્નર ડો.શમસેરસિંગની પણ તબીયત નાદુરસ્ત બની હોવાની વિગતો તેમણે ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીવ્ટર પર જણાવી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગએ ટ્વીટ કરી પ્રતિભાવ આપ્યો, રસી લીધા બાદ મને શરીરમાં દુખાવો અને 36 કલાકમાં 3 વખત ઝીણો તાવ આવ્યો હતો. મેં Dolo-650 દવા તાવ માટે લીધી હતી. અને તે પ્રયાપ્ત હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને કોઇ તકલીફ નથી. ડોકટરના કહેવા પ્રમાણે આ પ્રકારના લક્ષ્ણો સામાન્ય છે અને 30 ટકા જેટલા દર્દીઓમાં જોવા મળે છે. “વેકિસન સુરક્ષીત છે” #Covishield