ગરમીની ઋતુ શરુ થાય તે પહેલા કેબલ બદલવાની સાથે સબ સ્ટેશનની મરામત કરાશે
રજાના દિવસે સવારે 9થી 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
WatchGujarat. સબ સ્ટેશનની મરામત તેમજ જૂના કેબલ બદલવાની કામગીરીના કારણે રવિવારે એક સાથે 23 ફીડરમાં 6 કલાકનો વીજકાપ લદાયો છે. ભાયલી સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી રવિવારે કરાશે. જેથી વાસણા સબડિવિઝનના નવરચના ફીડર, રાધેશ્યામ અને રાયપુરા ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા નવરચના સ્કૂલ રોડ, શ્રી હરિ રેસિડન્સી, તાંદલજા, ભાયલી સહિતના ભાગમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
ઉપરાંત મકરપુરા સબ સ્ટેશનમાં મરામતને કારણે જીઆઇડીસીના યુજી 2, તિરુપતિ ફીડર, ક્રિષ્ના ફીડર અને યુજી 3માંથી વીજ પુરવઠો મેળવતા આકાશવાણી રોડ, ચિત્રકૂટ સોસાયટી, મારુતિ ધામ સહિતના વિસ્તારમાં સવારે 9 થી 3 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જ્યારે 66 કેવીના માંજલપુર સબ ડિવિઝનના અંબે ફીડર, સરસ્વતી ફીડર અને નંદનવન ફીડરમાં પણ મરામતની કામગીરીના કારણે વડસર ફાટક રોડ, માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ રોડ સહિતના વિસ્તારમાં 6 કલાક વીજકાપ રહેશે. 66 કેવી હરણી સ્ટેશનમાં પેનલ સહિતની મરામતની કામગીરીને કારણે 9 થી 3 વાગ્યા સુધી વિજકાપ રહેશે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકી રોડથી મુકતાનંદ, અંબાલાલ પાર્કથી અમિતનગરનો રોડ, આર્યકન્યા વિદ્યાલય રોડ, તુલસીવાડી, સંતકંવર કોલોની રોડ, પાણીગેટ, વારસિયા રિંગ રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.
- ગરમીની ઋતુ શરુ થાય તે પહેલા કેબલ બદલવાની સાથે સબ સ્ટેશનની મરામત કરાશે
- રજાના દિવસે સવારે 9થી 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
WatchGujarat. સબ સ્ટેશનની મરામત તેમજ જૂના કેબલ બદલવાની કામગીરીના કારણે રવિવારે એક સાથે 23 ફીડરમાં 6 કલાકનો વીજકાપ લદાયો છે. ભાયલી સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી રવિવારે કરાશે. જેથી વાસણા સબડિવિઝનના નવરચના ફીડર, રાધેશ્યામ અને રાયપુરા ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા નવરચના સ્કૂલ રોડ, શ્રી હરિ રેસિડન્સી, તાંદલજા, ભાયલી સહિતના ભાગમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
ઉપરાંત મકરપુરા સબ સ્ટેશનમાં મરામતને કારણે જીઆઇડીસીના યુજી 2, તિરુપતિ ફીડર, ક્રિષ્ના ફીડર અને યુજી 3માંથી વીજ પુરવઠો મેળવતા આકાશવાણી રોડ, ચિત્રકૂટ સોસાયટી, મારુતિ ધામ સહિતના વિસ્તારમાં સવારે 9 થી 3 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જ્યારે 66 કેવીના માંજલપુર સબ ડિવિઝનના અંબે ફીડર, સરસ્વતી ફીડર અને નંદનવન ફીડરમાં પણ મરામતની કામગીરીના કારણે વડસર ફાટક રોડ, માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ રોડ સહિતના વિસ્તારમાં 6 કલાક વીજકાપ રહેશે. 66 કેવી હરણી સ્ટેશનમાં પેનલ સહિતની મરામતની કામગીરીને કારણે 9 થી 3 વાગ્યા સુધી વિજકાપ રહેશે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકી રોડથી મુકતાનંદ, અંબાલાલ પાર્કથી અમિતનગરનો રોડ, આર્યકન્યા વિદ્યાલય રોડ, તુલસીવાડી, સંતકંવર કોલોની રોડ, પાણીગેટ, વારસિયા રિંગ રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.