રાજ્યમાં ઠેર ઠેર વ્યાજખોરોનો આતંક ડામવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા કડકાઇ પુર્વક કામગીરી કર્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા
શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે લોકદરબાર ભરીને લોકોને ન્યાય અપાવ્યો હતો
લોકડાઉન બાદ પુન વ્યાજખોરોનો ત્રાસ વધે તે પહેલા જ ડામવો જરૂરી
WatchGujarat. કોરોના કાળ બાદ લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે જે સર્વવિદીત છે. આ સંજોગોમાં અનેક લોકો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. બેન્કમાંથી નાણાં લેવાની કડાકૂટ અને નિયમાનુસાર લોન પ્રાપ્ત કરવામાં અસમર્થ લોકો નાછુટકે વ્યાજખોરોના શરણે જાય છે. અને બાદમાં વ્યાજના વિષચક્રમાં એવાં ફસાય છે કે એમાંથી નિકળવાનો કોઈ રસ્તો રહેતો નથી અને આવી નાજુક મનોસ્થિતિમાં કેટલાંક લોકો અઘટીત પગલું પણ ભરી લેતાં હોય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો ડરના માર્યા સામે ચાલીને પોલીસની મદદ લેતાં હોતા નથી. આ સંજોગોમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવાં શહેરના પૂર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગહલૌતે ઝુંબેશ હાથ ધરી હતી. જેને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. અનુપમસિંહ ગહલૌતે કોરોના કાળ પહેલાં હાથ ધરેલી ઝુંબેશ હાલના સમયમાં પુનઃ શરૂ કરવામાં આવે તેની ખાસ જરૂરીયાત જણાય છે. હાલ જ્યોતિષીઓની ચુંગાલમાં ફસાયેલાં સોની પરિવારે સામૂહિક ઝેર ગટગટાવવાનો કિસ્સો બન્યો છે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિ કોઈ અઘટીત પગલું ભરે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સંજોગોમાં પોલીસ કમિશનર શમશેરસિંહે પણ વ્યાજખોરો સામે લાલઆંખ કરવી જરૂરી બને છે. કોઈ અઘટીત ઘટના બન્યા બાદ આવી ઝુંબેશ હાથ ધરવામાં આવે ત્યારે કદાચ થોડું મોડું થઈ ગયું... એમ લેખાશે.
શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર અને હાલ ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા અનુપમસિંગ ગહલૌતે તેમના કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન રાખીને વ્યાજ ખોરી ડામવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં તેઓએ પોલીસની વિવિધ ટીમો બનાવીને વ્યાજખોરોથી ત્રસ્ત થયેલા લોકો માટે શહેરના 4 ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કામગીરીની સમીક્ષા પણ તેઓ પોતે કરતા હતા.
લોકદરબારમાં પોલીસ અધિકારીઓ દ્વારા લોકોની વ્યાજખોરો તરફથી પડતી મુશ્કેલી અને દાદાગીરીની કહાણી સાંભળતા હતા. અને ત્યાર બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. IPS અનુપમસિંગ ગહલૌતના વ્યાજખોરોનો જુલમ ડામવાના પ્રયાસની ચોતરફથી પ્રશંશા કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન અનેક માથાભારે વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવ્યા હતા અને કડક કર્યવાહી કરવામાં આવી હતી. આમ, તે સમયે પોલીસે વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવી ન્યાય અપાવ્યો હતો. જો કે IPS અનુપમસિંગ ગહલૌતનો કાર્યકાળ પુર્ણ થયા બાદ વ્યાજખોરોના ત્રાસ ડામવા માટે કોઇ નક્કર પગલા લેવામાં આવતો તેવુ દેખાતુ નથી. IPS અનુપમસિંગ ગહલૌત બાદ પ્રથમ આર.બી. બ્રહ્મભટ્ટ અને ત્યાર બાદ શમશેરસિંગ પોલીસ કમિશ્નર તરીકે નિમાયા છે.
કોરોના કાળ બાદ પરિવારોની આર્થિક સ્થિતી બદલાઇ છે. કેટલાક પરિવારોમાં તો હજી પણ આર્થિક સ્થિરતા આવી નથી. સરકાર દ્વારા બેંકોના માધ્યમથી લોન આપવાની સુવિધા કરવામાં આવી છે. પરંતુ બેંકો પાસેથી લોન લેવી તમામ લોકો માટે શક્ય નથી. તેવા સમયે લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે પૈસા મેળવવા માટે સરળ રસ્તો એવો ખાનગી વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેવાની નોબત પડી છે. પરંતુ વ્યાજખોરો પાસેથી પૈસા લેવું જેટલુ સરળ છે તેની ચુકવણી તેટલી જ અઘરી હોય છે.
જો કોઇ વખત વ્યાજે લીધેલા પૈસાનો હપ્તો ચુકવવામાં મોડુ થઇ જાય તો સામે વાળી વ્યક્તિએ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પૈસાની ભરપાઇ કરવી પડે છે. અને કેટલાક કિસ્સાઓમાં તો વ્યાજે લીધેલા પૈસાથી અનેક ઘણા પૈસા ચુકવાઇ ગયા બાદ પણ પૈસા ચુકવવાના બાકી નિકળે છે. તો ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિ પોતાના જીવનનો અંત પણ આણી દે છે. કોરોના બાદ સર્જાયેલી સ્થિતીમાં વ્યાજખોરો માથું ઉંચકી રહ્યા હોય તેવું અનેક કિસ્સાઓમાં જાણવા મળી રહ્યું છે. જેને લઇને હવે શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંગ દ્વારા પણ તત્કાલિન પોલીસ કમિશ્રનર અનુપમસિંગ ગહલૌતની વ્યાજખોરોને ડામવા જે રીતે લોક દરબાર અથવા તો ડ્રાઇવ શરૂ કરવામાં આવે તેવી લોકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે.
રાજ્યમાં ઠેર ઠેર વ્યાજખોરોનો આતંક ડામવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા કડકાઇ પુર્વક કામગીરી કર્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા
શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે લોકદરબાર ભરીને લોકોને ન્યાય અપાવ્યો હતો
લોકડાઉન બાદ પુન વ્યાજખોરોનો ત્રાસ વધે તે પહેલા જ ડામવો જરૂરી
WatchGujarat. કોરોના કાળ બાદ લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે જે સર્વવિદીત છે. આ સંજોગોમાં અનેક લોકો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. બેન્કમાંથી નાણાં લેવાની કડાકૂટ અને નિયમાનુસાર લોન પ્રાપ્ત કરવામાં અસમર્થ લોકો નાછુટકે વ્યાજખોરોના શરણે જાય છે. અને બાદમાં વ્યાજના વિષચક્રમાં એવાં ફસાય છે કે એમાંથી નિકળવાનો કોઈ રસ્તો રહેતો નથી અને આવી નાજુક મનોસ્થિતિમાં કેટલાંક લોકો અઘટીત પગલું પણ ભરી લેતાં હોય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો ડરના માર્યા સામે ચાલીને પોલીસની મદદ લેતાં હોતા નથી. આ સંજોગોમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવાં શહેરના પૂર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગહલૌતે ઝુંબેશ હાથ ધરી હતી. જેને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. અનુપમસિંહ ગહલૌતે કોરોના કાળ પહેલાં હાથ ધરેલી ઝુંબેશ હાલના સમયમાં પુનઃ શરૂ કરવામાં આવે તેની ખાસ જરૂરીયાત જણાય છે. હાલ જ્યોતિષીઓની ચુંગાલમાં ફસાયેલાં સોની પરિવારે સામૂહિક ઝેર ગટગટાવવાનો કિસ્સો બન્યો છે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિ કોઈ અઘટીત પગલું ભરે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સંજોગોમાં પોલીસ કમિશનર શમશેરસિંહે પણ વ્યાજખોરો સામે લાલઆંખ કરવી જરૂરી બને છે. કોઈ અઘટીત ઘટના બન્યા બાદ આવી ઝુંબેશ હાથ ધરવામાં આવે ત્યારે કદાચ થોડું મોડું થઈ ગયું... એમ લેખાશે.
શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર અને હાલ ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા અનુપમસિંગ ગહલૌતે તેમના કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન રાખીને વ્યાજ ખોરી ડામવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં તેઓએ પોલીસની વિવિધ ટીમો બનાવીને વ્યાજખોરોથી ત્રસ્ત થયેલા લોકો માટે શહેરના 4 ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કામગીરીની સમીક્ષા પણ તેઓ પોતે કરતા હતા.
લોકદરબારમાં પોલીસ અધિકારીઓ દ્વારા લોકોની વ્યાજખોરો તરફથી પડતી મુશ્કેલી અને દાદાગીરીની કહાણી સાંભળતા હતા. અને ત્યાર બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. IPS અનુપમસિંગ ગહલૌતના વ્યાજખોરોનો જુલમ ડામવાના પ્રયાસની ચોતરફથી પ્રશંશા કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન અનેક માથાભારે વ્યાજખોરોની સામે ગુના નોંધવામાં આવ્યા હતા અને કડક કર્યવાહી કરવામાં આવી હતી. આમ, તે સમયે પોલીસે વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવી ન્યાય અપાવ્યો હતો. જો કે IPS અનુપમસિંગ ગહલૌતનો કાર્યકાળ પુર્ણ થયા બાદ વ્યાજખોરોના ત્રાસ ડામવા માટે કોઇ નક્કર પગલા લેવામાં આવતો તેવુ દેખાતુ નથી. IPS અનુપમસિંગ ગહલૌત બાદ પ્રથમ આર.બી. બ્રહ્મભટ્ટ અને ત્યાર બાદ શમશેરસિંગ પોલીસ કમિશ્નર તરીકે નિમાયા છે.
કોરોના કાળ બાદ પરિવારોની આર્થિક સ્થિતી બદલાઇ છે. કેટલાક પરિવારોમાં તો હજી પણ આર્થિક સ્થિરતા આવી નથી. સરકાર દ્વારા બેંકોના માધ્યમથી લોન આપવાની સુવિધા કરવામાં આવી છે. પરંતુ બેંકો પાસેથી લોન લેવી તમામ લોકો માટે શક્ય નથી. તેવા સમયે લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે પૈસા મેળવવા માટે સરળ રસ્તો એવો ખાનગી વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેવાની નોબત પડી છે. પરંતુ વ્યાજખોરો પાસેથી પૈસા લેવું જેટલુ સરળ છે તેની ચુકવણી તેટલી જ અઘરી હોય છે.
જો કોઇ વખત વ્યાજે લીધેલા પૈસાનો હપ્તો ચુકવવામાં મોડુ થઇ જાય તો સામે વાળી વ્યક્તિએ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પૈસાની ભરપાઇ કરવી પડે છે. અને કેટલાક કિસ્સાઓમાં તો વ્યાજે લીધેલા પૈસાથી અનેક ઘણા પૈસા ચુકવાઇ ગયા બાદ પણ પૈસા ચુકવવાના બાકી નિકળે છે. તો ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિ પોતાના જીવનનો અંત પણ આણી દે છે. કોરોના બાદ સર્જાયેલી સ્થિતીમાં વ્યાજખોરો માથું ઉંચકી રહ્યા હોય તેવું અનેક કિસ્સાઓમાં જાણવા મળી રહ્યું છે. જેને લઇને હવે શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંગ દ્વારા પણ તત્કાલિન પોલીસ કમિશ્રનર અનુપમસિંગ ગહલૌતની વ્યાજખોરોને ડામવા જે રીતે લોક દરબાર અથવા તો ડ્રાઇવ શરૂ કરવામાં આવે તેવી લોકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે.