હોસ્પિટલમાં દર્દીને દર્દીને દાખલ કર્યા બાદ છેલ્લા બે દિવસથી વાત નહિ કરાવતા પરિવારજનોનો હોબાળો
બાકી નિકળતા પૈસા ભરવા પરિવારજનો તૈયાર, પણ પહેલા દર્દીની સ્થિતી જણાવવા માંગ
બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી અમને મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે અમારા કાકીના તબિયત સીરીયસ હોવાનું જણાવ્યું હતું - અશ્વિન પરમાર
WatchGujarat. શહેરના વાઘોડિયા સ્થિત કેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ (Care Multispecialty Hospital ,Trauma and ICU)માં દાખલ દર્દીના પરિવારજનોને કડવો અનુભવ થયો હતો. હોસ્પિટલમાં 14 દિવસથી દાખલ દર્દી જોડે છેલ્લા બે દિવસથી વાત કરાવવામાં આવતી નથી. જો દર્દી સાથે વાત કરવી હોય તો બાકીના નાણા ભરપાઇ કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા દબાણ લાવવામાં આવ્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. જેને પગલે દર્દીના પરિવારજનોએ મંગળવારે હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો.
વાઘોડિયા સ્થિત કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લક્ષ્મીબેન પરમાર (રહે – વાડી જાંબુડીકુઇ, નારીયાવાડ)ના પરિજન અશ્વિન પરમારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા કાકીને શ્વાસની તકલીફ થતા તેઓને વાઘોડિયા સ્થિત કેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને મારા કાકી પરિવારજનો સાથે નિયમીત વિડીયો કોલથી વાત કરતા હતા.
અશ્વિન પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી અમને મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે અમારા કાકીના તબિયત સીરીયસ હોવાનું જણાવ્યું હતું. અને અમને બોલાવ્યા હતા. જો કે, અમે હોસ્પિટલ આવ્યા તો સ્થિતી સારી હોવાનું જણાવ્યું હતું. એટલે અમે ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ અમે હોસ્પિટલમાં દાખલ મારા કાકી સાથે વાત કરી શકતા નથી.
બે દિવસથી વાત કરવાનો પ્રયાસ કરતા અમને વાત કરવા માટે સફળતા મળી નથી. દર્દીની સ્થિતી જણાવવાની જગ્યાએ બાકી નિકળતા હોસ્પિટલના નાણાં ચુકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમે પૈસા ભરવા માટે તૈયાર છે. પરંતુ અમારે હોસ્પિટલમાં દાખલ સગા સાથે વાત કરવી છે. અને તેની સ્થિતી જાણવી છે.
અશ્વિન પરમારે દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બે દિવસ પહેલા રાત્રે અમને બોલાવ્યા હતા. ત્યારે જ અમારા સગાને કંઇ થઇ ગયું છે. પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ જાણકારી આપવામાં આવતી નથી.
હોસ્પિટલમાં દર્દીને દર્દીને દાખલ કર્યા બાદ છેલ્લા બે દિવસથી વાત નહિ કરાવતા પરિવારજનોનો હોબાળો
બાકી નિકળતા પૈસા ભરવા પરિવારજનો તૈયાર, પણ પહેલા દર્દીની સ્થિતી જણાવવા માંગ
બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી અમને મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે અમારા કાકીના તબિયત સીરીયસ હોવાનું જણાવ્યું હતું - અશ્વિન પરમાર
WatchGujarat. શહેરના વાઘોડિયા સ્થિત કેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ (Care Multispecialty Hospital ,Trauma and ICU)માં દાખલ દર્દીના પરિવારજનોને કડવો અનુભવ થયો હતો. હોસ્પિટલમાં 14 દિવસથી દાખલ દર્દી જોડે છેલ્લા બે દિવસથી વાત કરાવવામાં આવતી નથી. જો દર્દી સાથે વાત કરવી હોય તો બાકીના નાણા ભરપાઇ કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા દબાણ લાવવામાં આવ્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. જેને પગલે દર્દીના પરિવારજનોએ મંગળવારે હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો.
વાઘોડિયા સ્થિત કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લક્ષ્મીબેન પરમાર (રહે – વાડી જાંબુડીકુઇ, નારીયાવાડ)ના પરિજન અશ્વિન પરમારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા કાકીને શ્વાસની તકલીફ થતા તેઓને વાઘોડિયા સ્થિત કેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને મારા કાકી પરિવારજનો સાથે નિયમીત વિડીયો કોલથી વાત કરતા હતા.
અશ્વિન પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી અમને મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે અમારા કાકીના તબિયત સીરીયસ હોવાનું જણાવ્યું હતું. અને અમને બોલાવ્યા હતા. જો કે, અમે હોસ્પિટલ આવ્યા તો સ્થિતી સારી હોવાનું જણાવ્યું હતું. એટલે અમે ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ અમે હોસ્પિટલમાં દાખલ મારા કાકી સાથે વાત કરી શકતા નથી.
બે દિવસથી વાત કરવાનો પ્રયાસ કરતા અમને વાત કરવા માટે સફળતા મળી નથી. દર્દીની સ્થિતી જણાવવાની જગ્યાએ બાકી નિકળતા હોસ્પિટલના નાણાં ચુકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમે પૈસા ભરવા માટે તૈયાર છે. પરંતુ અમારે હોસ્પિટલમાં દાખલ સગા સાથે વાત કરવી છે. અને તેની સ્થિતી જાણવી છે.
અશ્વિન પરમારે દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બે દિવસ પહેલા રાત્રે અમને બોલાવ્યા હતા. ત્યારે જ અમારા સગાને કંઇ થઇ ગયું છે. પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ જાણકારી આપવામાં આવતી નથી.