હાલ સરકાર કોરોના અને કુદરતી આફતની સંકટ સામે મોરચો સંભાળી રહી છે
તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યભરમાં કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો
હવે વડોદરામાં રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર વાવાઝોડા આવતા પહેલા ભુતિયા બનતા ટેસ્ટીંગ પર અસર પડે તેવી આશંકા
WatchGujarat. રાજ્ય હાલ કોરોનાની સુનામી અને તૌકતે વાવાઝોડા સામે ઝઝુમી રહ્યું છે. તૌકતે વાવાઝોડું રાજ્યના તટીય વિસ્તારો સુધી પહોંચવાની દહેશતે 17 – 18 મે ના રોજ કોરોનાની વેક્સીન આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે હવે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોવિડનું ટેસ્ટીંગ માટે શરૂ કરવામાં આવેલા રેપીડ ટેસ્ટીંગ સેન્ટર ભુતિયા હાલતમાં જોવા મળ્યા હતા. હવે કોરોનાની વેક્સીનની સાથે કોરોનાના ટેસ્ટીંગમાં પણ વાવાઝોડાની અસર જોવા મળે તેવી સ્થિતી સર્જાઇ છે.
[caption id="attachment_1157227" align="aligncenter" width="1280"] કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા પાસે ઉભું કરાયેલી રેપીડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર[/caption]
રાજ્યમાં કોરોનાની સ્થિતી વકરતા વિધાનસભા મતવિસ્તાર દીઠ કોવિડ રિપોર્ટ કઢાવવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. સેન્ટરો શરૂ થતાની સાથે જ ત્યાં લાંબી કતારો જોવા મળતી હતી. રાજ્ય કોરોના મહામારી પર માંડ નિયંત્રણ મેળવવા જઇ રહ્યું હતું ત્યારે તો તૌકતે વાવાઝોડુ ત્રાટકવાનું હતું. હાલ સરકાર કોરોના અને કુદરતી આફતની સંકટ સામે મોરચો સંભાળી રહી છે.
[caption id="attachment_1157233" align="aligncenter" width="1280"] એરપોર્ટ સર્કલ પાસે શરૂ કરવામાં આવેલું રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર[/caption]
તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યભરમાં કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તૌકતે વાવાઝોડાને કારણે 17 – 18 મે ના રોજ કોરોનાની વેક્સીન મુકવામાં નહિ આવે. હવે કોરોનાની વેક્સીન સાથે કોરોનાના ટેસ્ટીંગ પર વાવાઝોડાની અસર પડી હોય તેવે કિસ્સો સામે આવ્યો હતો.
શહેરમાં શરૂ કરવામાં આવેલા રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર વાવાઝોડા પહેલા ભુતિયા હાલતમાં જોવા મળ્યા હતા. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ અને એરપોર્ટ સર્કલ નજીક આવેલા ટેસ્ટીંગ સેન્ટરમાં માત્ર લાકડાનું માળખું જ બચ્યું હતું. આના પરથી અંદાજો લગાડી શકાય કે, વાવાઝોડાને પગલે કોરોનાની વેક્સીન બાદ હવે કોરોનાની ટેસ્ટીંગ પર પણ અસર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.
હાલ સરકાર કોરોના અને કુદરતી આફતની સંકટ સામે મોરચો સંભાળી રહી છે
તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યભરમાં કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો
હવે વડોદરામાં રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર વાવાઝોડા આવતા પહેલા ભુતિયા બનતા ટેસ્ટીંગ પર અસર પડે તેવી આશંકા
WatchGujarat. રાજ્ય હાલ કોરોનાની સુનામી અને તૌકતે વાવાઝોડા સામે ઝઝુમી રહ્યું છે. તૌકતે વાવાઝોડું રાજ્યના તટીય વિસ્તારો સુધી પહોંચવાની દહેશતે 17 – 18 મે ના રોજ કોરોનાની વેક્સીન આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે હવે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોવિડનું ટેસ્ટીંગ માટે શરૂ કરવામાં આવેલા રેપીડ ટેસ્ટીંગ સેન્ટર ભુતિયા હાલતમાં જોવા મળ્યા હતા. હવે કોરોનાની વેક્સીનની સાથે કોરોનાના ટેસ્ટીંગમાં પણ વાવાઝોડાની અસર જોવા મળે તેવી સ્થિતી સર્જાઇ છે.
[caption id="attachment_1157227" align="aligncenter" width="1280"] કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા પાસે ઉભું કરાયેલી રેપીડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર[/caption]
રાજ્યમાં કોરોનાની સ્થિતી વકરતા વિધાનસભા મતવિસ્તાર દીઠ કોવિડ રિપોર્ટ કઢાવવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. સેન્ટરો શરૂ થતાની સાથે જ ત્યાં લાંબી કતારો જોવા મળતી હતી. રાજ્ય કોરોના મહામારી પર માંડ નિયંત્રણ મેળવવા જઇ રહ્યું હતું ત્યારે તો તૌકતે વાવાઝોડુ ત્રાટકવાનું હતું. હાલ સરકાર કોરોના અને કુદરતી આફતની સંકટ સામે મોરચો સંભાળી રહી છે.
[caption id="attachment_1157233" align="aligncenter" width="1280"] એરપોર્ટ સર્કલ પાસે શરૂ કરવામાં આવેલું રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર[/caption]
તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યભરમાં કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તૌકતે વાવાઝોડાને કારણે 17 – 18 મે ના રોજ કોરોનાની વેક્સીન મુકવામાં નહિ આવે. હવે કોરોનાની વેક્સીન સાથે કોરોનાના ટેસ્ટીંગ પર વાવાઝોડાની અસર પડી હોય તેવે કિસ્સો સામે આવ્યો હતો.
શહેરમાં શરૂ કરવામાં આવેલા રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ સેન્ટર વાવાઝોડા પહેલા ભુતિયા હાલતમાં જોવા મળ્યા હતા. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ અને એરપોર્ટ સર્કલ નજીક આવેલા ટેસ્ટીંગ સેન્ટરમાં માત્ર લાકડાનું માળખું જ બચ્યું હતું. આના પરથી અંદાજો લગાડી શકાય કે, વાવાઝોડાને પગલે કોરોનાની વેક્સીન બાદ હવે કોરોનાની ટેસ્ટીંગ પર પણ અસર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તૌકતે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.