ભારતનુ આ ત્રીજુ પોલીસ સ્ટેશન જ્યાં બાળકો શિક્ષણ મેળવે છે.
ભોપલમાં હનુમાનગંજ પોલીસ સ્ટેશન અને ઔરંગાબાદના પુંડલીકનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે ભૂલાકઓની પાઠશાળા
માંજલપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ભૂલકાઓની પાઠશાળા માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
સેવા સંસ્થા દ્વારા 70 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.
બાળકોના ભણતરની સામગ્રી સહિત અન્ય સુવિધાનુ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાસ ધ્યાન રાખે છે.
ચિંતન શ્રીપાલી. પોલીસ સ્ટેશન નામ સામાન્ય માણસના કાને પડતા જ બે હાથ જોડી ભગવાનને યાદ કરી લે છે. પોલીસ સ્ટેશન એટલે ગંદી ગાળો બોલતા લોકો, ગુનેગારોથી ભરપુર લોકઅપ અને ગંદકી આવી આપણે માનસિકતા બનાવી રાખી છે. પોલીસ સ્ટેશનમાં રડતી આંખો સાથે આવતા ફરીયાદી અને ગુનેગારોની ચીસો સાંભળી હશે, પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસ જવો ઇચ્છતો નથી ત્યારે બાળકો પોલીસ સ્ટેશનમાં જાય તે કોઇ ઇચ્છે નહીં. પરંતુ આ રાજ્યનુ એક માત્ર પોલીસ સ્ટેશન છે. જ્યાં ભૂલકાઓ રોજ ઉત્સાહભેર આવે છે. પોલીસ સ્ટેશનમાં નાના ભૂલકાઓની ખીલખીલાટ ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે. ત્યારે કાયદાના રક્ષકો દ્વારા શિક્ષણનુ રક્ષણ કરવા ગરીબ બાળકોને ભણવવાની જવાબદારી પોતાના સીરે ઉઠાવી છે.
શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન નજીક થોડા સમય પહેલા સેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ પુરુ પાડવાની પહેલ કરવામાં આવી હતી. સેવા સંસ્થા પાસે પુરતી સુવિધા ન હોવાથી તેઓ રસ્તાની બાજૂમાં આવેલા ખુલ્લી જગ્યામાં બાળકોને શિક્ષણ પુરૂ પાડતા હતા. તેવામાં એક દિવસ ACP એસ. બી કુંપાવતની નજર આ રસ્તાની બાજુમાં શિક્ષણ મેળવી રહેલા બાળકો ઉપર પડી હતી. બાળકો જે રસ્તા પર શિક્ષણ મેળવી રહ્યાં હતા, ત્યાં ભારદારી વાહનોની ખુબ અવર જવર રહે છે. જેથી તેમણે આ બાળકોને ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો.
ACP (ASSITANT COMMISSIONER OF POLICE) એસ. બી કુંપવાતએ સેવા સંસ્થાના શિક્ષિકા પાસેથી તમામ જાણકારી મેળવી અને આખરે તેમણે કહ્યું, માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશાળ જગ્યા છે, જ્યાં બાળકો શાંતિથી ભણી શકે છે. પોલીસ સ્ટેશન પરિસરમાં અમે બાળકોને ભણવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપીશું. જોકે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જપ્તા કરેલા વાહનો આડેધડ મુકવામાં આવ્યાં હતા. જેથી આ વાહનો તાત્કાલીક કમ્પાઉન્ડમાં જ અન્ય સ્થળે ખસેડી ભૂલાકાઓની પાઠશાળા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
ગુજરાતનુ આ પ્રથમ પોલીસ સ્ટેશન છે, જ્યાં એક તરફ પોલીસ સ્ટેશનમાં કર્મીઓ પોતાની કામગીરી કરે છે અને બીજી તરફ ભૂલકાઓની પાઠશાળા ચાલે છે. સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધી આ બાળકોને સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. સાથો સાથ બાળકોની ભણતર માટેની સામાગ્રી અંગે પોલીસ વિભાગ તરફ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે ડીસીપી ઝોન -3 ડો. કરણરાજ વાઘેલાએ માંજલપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં બાળકને સ્કૂલ બેગ સહિત ભણતરની તમામ સામગ્રી પુરી પાડવામાં આવી હતી.
ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાળકોને પોલીસ સ્ટેશનમાં આવે તો પોલીસનું વર્તન પણ બદલાય છે. નાનપણમાં પોલીસ સાથે રહેવાને કારણે તેમના મનમાં પોલીસની છબી અલગ રીતે ઉસપી આવે છે. અને જરૂર પડ્યે તેઓ ભવિષ્યમાં નિસંકોચ પોલીસ સમક્ષ આવી શકે છે. પોલીસ અને બાળકો વચ્ચેના અંતરને દુર કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અનોખો પ્રસાય કરવામાં આવ્યો છે. ખુલ્લામાં ભણતા બાળકોને પોલીસ સ્ટેશનમાં જગ્યા ફાળવવામાં આવી છે. જગ્યામાં સેવા સંસ્થા દ્વારા બાળકોને બે કલાક શિક્ષણ આપવામાં આવે છે. આગામી સમયમાં પીડીયાટ્રીક ડોક્ટર્સની મદદથી બાળકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. જરૂર જણાય તેવા કેસોમાં પુરતી સારવાર આપવામાં આવશે.
ભારતનુ આ ત્રીજુ પોલીસ સ્ટેશન જ્યાં બાળકો શિક્ષણ મેળવે છે.
ભોપલમાં હનુમાનગંજ પોલીસ સ્ટેશન અને ઔરંગાબાદના પુંડલીકનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે ભૂલાકઓની પાઠશાળા
માંજલપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ભૂલકાઓની પાઠશાળા માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
સેવા સંસ્થા દ્વારા 70 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.
બાળકોના ભણતરની સામગ્રી સહિત અન્ય સુવિધાનુ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાસ ધ્યાન રાખે છે.
ચિંતન શ્રીપાલી. પોલીસ સ્ટેશન નામ સામાન્ય માણસના કાને પડતા જ બે હાથ જોડી ભગવાનને યાદ કરી લે છે. પોલીસ સ્ટેશન એટલે ગંદી ગાળો બોલતા લોકો, ગુનેગારોથી ભરપુર લોકઅપ અને ગંદકી આવી આપણે માનસિકતા બનાવી રાખી છે. પોલીસ સ્ટેશનમાં રડતી આંખો સાથે આવતા ફરીયાદી અને ગુનેગારોની ચીસો સાંભળી હશે, પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસ જવો ઇચ્છતો નથી ત્યારે બાળકો પોલીસ સ્ટેશનમાં જાય તે કોઇ ઇચ્છે નહીં. પરંતુ આ રાજ્યનુ એક માત્ર પોલીસ સ્ટેશન છે. જ્યાં ભૂલકાઓ રોજ ઉત્સાહભેર આવે છે. પોલીસ સ્ટેશનમાં નાના ભૂલકાઓની ખીલખીલાટ ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે. ત્યારે કાયદાના રક્ષકો દ્વારા શિક્ષણનુ રક્ષણ કરવા ગરીબ બાળકોને ભણવવાની જવાબદારી પોતાના સીરે ઉઠાવી છે.
શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન નજીક થોડા સમય પહેલા સેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ પુરુ પાડવાની પહેલ કરવામાં આવી હતી. સેવા સંસ્થા પાસે પુરતી સુવિધા ન હોવાથી તેઓ રસ્તાની બાજૂમાં આવેલા ખુલ્લી જગ્યામાં બાળકોને શિક્ષણ પુરૂ પાડતા હતા. તેવામાં એક દિવસ ACP એસ. બી કુંપાવતની નજર આ રસ્તાની બાજુમાં શિક્ષણ મેળવી રહેલા બાળકો ઉપર પડી હતી. બાળકો જે રસ્તા પર શિક્ષણ મેળવી રહ્યાં હતા, ત્યાં ભારદારી વાહનોની ખુબ અવર જવર રહે છે. જેથી તેમણે આ બાળકોને ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો.
ACP (ASSITANT COMMISSIONER OF POLICE) એસ. બી કુંપવાતએ સેવા સંસ્થાના શિક્ષિકા પાસેથી તમામ જાણકારી મેળવી અને આખરે તેમણે કહ્યું, માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશાળ જગ્યા છે, જ્યાં બાળકો શાંતિથી ભણી શકે છે. પોલીસ સ્ટેશન પરિસરમાં અમે બાળકોને ભણવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપીશું. જોકે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જપ્તા કરેલા વાહનો આડેધડ મુકવામાં આવ્યાં હતા. જેથી આ વાહનો તાત્કાલીક કમ્પાઉન્ડમાં જ અન્ય સ્થળે ખસેડી ભૂલાકાઓની પાઠશાળા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
ગુજરાતનુ આ પ્રથમ પોલીસ સ્ટેશન છે, જ્યાં એક તરફ પોલીસ સ્ટેશનમાં કર્મીઓ પોતાની કામગીરી કરે છે અને બીજી તરફ ભૂલકાઓની પાઠશાળા ચાલે છે. સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધી આ બાળકોને સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. સાથો સાથ બાળકોની ભણતર માટેની સામાગ્રી અંગે પોલીસ વિભાગ તરફ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે ડીસીપી ઝોન -3 ડો. કરણરાજ વાઘેલાએ માંજલપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં બાળકને સ્કૂલ બેગ સહિત ભણતરની તમામ સામગ્રી પુરી પાડવામાં આવી હતી.
ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાળકોને પોલીસ સ્ટેશનમાં આવે તો પોલીસનું વર્તન પણ બદલાય છે. નાનપણમાં પોલીસ સાથે રહેવાને કારણે તેમના મનમાં પોલીસની છબી અલગ રીતે ઉસપી આવે છે. અને જરૂર પડ્યે તેઓ ભવિષ્યમાં નિસંકોચ પોલીસ સમક્ષ આવી શકે છે. પોલીસ અને બાળકો વચ્ચેના અંતરને દુર કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અનોખો પ્રસાય કરવામાં આવ્યો છે. ખુલ્લામાં ભણતા બાળકોને પોલીસ સ્ટેશનમાં જગ્યા ફાળવવામાં આવી છે. જગ્યામાં સેવા સંસ્થા દ્વારા બાળકોને બે કલાક શિક્ષણ આપવામાં આવે છે. આગામી સમયમાં પીડીયાટ્રીક ડોક્ટર્સની મદદથી બાળકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. જરૂર જણાય તેવા કેસોમાં પુરતી સારવાર આપવામાં આવશે.