PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 17 જાન્યુઆરીએ દેશના 6 રાજ્યોમાંથી શરૂ કરાવી હતી 10 ટ્રેનો
75 દિવસમાં જ કેવડિયા-પ્રતાપનગર 2 મેમુ મુસાફર નહિ મળતા બંધ
વિસ્ટાડોમ કોચવાળી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી પણ સોમવારે સ્ટેચ્યુ બંધ હોય બન્ને તરફ રદ રહેશે
[caption id="attachment_263365" align="aligncenter" width="1280"] Representative [/caption]
WatchGujarat. વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના રેલવે સ્ટેશન સાથે જોડી ભારતનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન કેવડીયામાં નિર્માણ કરાયું હતું. PM નરેન્દ્ર મોદી એ SOU ને દેશના વિવિધ ભાગો થી જોડતી 10 ટ્રેનોને 17 જાન્યુઆરીએ લીલીઝંડી આપી સાગમટે પ્રસ્થાન કરાવ્યું હતું.
SOU પર ટ્રેન મારફતે ભારતમાંથી વિવિધ રાજ્યોના લોકો તો આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાં જ અમદાવાદ થી કેવડિયા અને નવી પ્રતાપનગર- ડભોઇ- કેવડિયા લાઇન પર શરૂ કરાયેલી મેમુ ટ્રેનની 4 જોડને પ્રવાસીઓ મળી રહ્યા નથી.SOU ટ્રેન સેવા શરૂ થયાને 75 દિવસ વીતી જવા છતાં ટ્રેનને પ્રવાસીઓ ન મળી રહ્યા હોય વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પેસેન્જરો વગર દોડતી ટ્રેનોને રદ કરવામાં આવી છે.
કેવડીયાથી બપોરે 2 કલાકે ઉપડતી ટ્રેન નંબર 09110 કેવડિયા-પ્રતાપનગર અને પ્રતાપનગરથી બપોરે 3.35 કલાકે ઉપડતી સ્પેશ્યલ મેમુ ટ્રેન આગળના આદેશ સુધી રદ કરી દેવાઈ છે. અમદાવાદથી રોજ ઉપડતી વિસ્ટાડોમ કોચ ધરાવતી જનશતાબ્દી ટ્રેનની પણ 2 પર SOU માટે દોડવાઈ છે. જેમાં સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય ગુજરાતમાંથી પ્રવાસીઓ ટ્રેનને ન મળતા હોય ટ્રેન નંબર 09248 કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ને દરેક સોમવારે રદ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેવા શરૂ થયાના થોડાક જ દિવસોમાં સી પ્લેન મેઇન્ટેનન્સ માટે મોકલી આપવામાં આવ્યું હતું. અને હવે SOU ટ્રેન સેવા શરૂ થયાને 75 દિવસ વીતી જવા છતાં ટ્રેનને પ્રવાસીઓ ન મળતા વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પેસેન્જરો વગર દોડતી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમયાંતરે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવતી હોય છે.
PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 17 જાન્યુઆરીએ દેશના 6 રાજ્યોમાંથી શરૂ કરાવી હતી 10 ટ્રેનો
75 દિવસમાં જ કેવડિયા-પ્રતાપનગર 2 મેમુ મુસાફર નહિ મળતા બંધ
વિસ્ટાડોમ કોચવાળી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી પણ સોમવારે સ્ટેચ્યુ બંધ હોય બન્ને તરફ રદ રહેશે
WatchGujarat. વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના રેલવે સ્ટેશન સાથે જોડી ભારતનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન કેવડીયામાં નિર્માણ કરાયું હતું. PM નરેન્દ્ર મોદી એ SOU ને દેશના વિવિધ ભાગો થી જોડતી 10 ટ્રેનોને 17 જાન્યુઆરીએ લીલીઝંડી આપી સાગમટે પ્રસ્થાન કરાવ્યું હતું.
SOU પર ટ્રેન મારફતે ભારતમાંથી વિવિધ રાજ્યોના લોકો તો આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાં જ અમદાવાદ થી કેવડિયા અને નવી પ્રતાપનગર- ડભોઇ- કેવડિયા લાઇન પર શરૂ કરાયેલી મેમુ ટ્રેનની 4 જોડને પ્રવાસીઓ મળી રહ્યા નથી.SOU ટ્રેન સેવા શરૂ થયાને 75 દિવસ વીતી જવા છતાં ટ્રેનને પ્રવાસીઓ ન મળી રહ્યા હોય વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પેસેન્જરો વગર દોડતી ટ્રેનોને રદ કરવામાં આવી છે.
કેવડીયાથી બપોરે 2 કલાકે ઉપડતી ટ્રેન નંબર 09110 કેવડિયા-પ્રતાપનગર અને પ્રતાપનગરથી બપોરે 3.35 કલાકે ઉપડતી સ્પેશ્યલ મેમુ ટ્રેન આગળના આદેશ સુધી રદ કરી દેવાઈ છે. અમદાવાદથી રોજ ઉપડતી વિસ્ટાડોમ કોચ ધરાવતી જનશતાબ્દી ટ્રેનની પણ 2 પર SOU માટે દોડવાઈ છે. જેમાં સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય ગુજરાતમાંથી પ્રવાસીઓ ટ્રેનને ન મળતા હોય ટ્રેન નંબર 09248 કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ને દરેક સોમવારે રદ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેવા શરૂ થયાના થોડાક જ દિવસોમાં સી પ્લેન મેઇન્ટેનન્સ માટે મોકલી આપવામાં આવ્યું હતું. અને હવે SOU ટ્રેન સેવા શરૂ થયાને 75 દિવસ વીતી જવા છતાં ટ્રેનને પ્રવાસીઓ ન મળતા વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પેસેન્જરો વગર દોડતી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમયાંતરે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવતી હોય છે.