કોરોના પોઝિટીવ દર્દીઓની સાથે મૃત્યુઆંક વધ્યો છે
સરકાર આંકડા મૂજબ ગતરોજ 9 કોરોના દર્દીઓના મોત નિપજ્યાં હતા
સરકાર આંકડા ભલે કંઇ પણ કહેતા હોય પરંતુ જમીની હકિક્ત તદ્દન જુદી છે
તંત્રની સબસલામતની વાતોની પોલ ખુલ્લી પાડતી તસ્વીરો
WatchGujarat. કોરોનાની આ ભયજનક સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત ઉભી થઇ છે. કોરોના પોઝિટીવ દર્દીઓને સારવાર મળે રહે તે માટે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યાં છે. એક તરફ બેડની સંખ્યા વધારવામાં આવી રહીં છે, પરંતુ બીજી તરફ કોવિડ સેન્ટરોમાં સ્ટાફની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ વચ્ચે જ્યારે મેનપાવરની અછત સર્જાઇ છે ત્યારે સયાજી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના મૃતદેહ રઝળતા મૂકી દેવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
https://youtu.be/9LAcp5mUDcQ
શહેરની સયાજી હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઇ કામદારો દિવસ રાત કામમાં લાગેલા છે. હાલની પરિસ્થિતિમાં જે રીતે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપતી વધી રહીં છે. તેજ ગતિએ મૃત્યુઆંક પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.
[caption id="attachment_996780" align="aligncenter" width="1280"] તાત્કાલિક વિભાગના ડાર્ક રૂમની સામે, હજી આ મૃતદેહ ત્યાંજ પડેલો છે.[/caption]
કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સ્ટાફની અછત ઉભી થતા હવે દોડધામ વધી હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલના આજના આ દ્રશ્યો હ્રદય કંપાવી નાખે તેવા છે. જ્યાં સવારથી હોસ્પિટલના એક્સ-રે રૂમ બહાર એક દર્દીનો મૃતદેહ કોરોના ગાઇડલાઇન મૂજબ પીપીઇ કીટમાં પેક કરી મૂકી રાખવામાં આવ્યાં છે. બીજી તરફ હોસ્પિલટના કોવિડ વિભાગની બાલ્કનીમાં અને અન્ય એક હોસ્પિટલની બહાર સ્ટ્રેટર પર રઝળતો જોવા મળી રહ્યો છે. આ એવા દર્દીઓના મૃતદેહ છે, જેઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યાં હતા. અને મૃત્યુ પામતા કોવિડની લાઇડલાઇન મૂજબ તેમના મૃતદેહ પીપીઇ કીટમાં મુકવામાં આવ્યાં હતા.
[caption id="attachment_996783" align="aligncenter" width="1280"] તાત્કાલિક વિભાગની પાછળ પડેલો મૃતદેહ[/caption]
[caption id="attachment_996781" align="aligncenter" width="1280"] તાત્કાલિક વિભાગના ત્રીજા માળે પડી રહેલો મૃતદેહ[/caption]
કોરોના પોઝિટીવ દર્દીઓની સાથે મૃત્યુઆંક વધ્યો છે
સરકાર આંકડા મૂજબ ગતરોજ 9 કોરોના દર્દીઓના મોત નિપજ્યાં હતા
સરકાર આંકડા ભલે કંઇ પણ કહેતા હોય પરંતુ જમીની હકિક્ત તદ્દન જુદી છે
તંત્રની સબસલામતની વાતોની પોલ ખુલ્લી પાડતી તસ્વીરો
WatchGujarat. કોરોનાની આ ભયજનક સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત ઉભી થઇ છે. કોરોના પોઝિટીવ દર્દીઓને સારવાર મળે રહે તે માટે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યાં છે. એક તરફ બેડની સંખ્યા વધારવામાં આવી રહીં છે, પરંતુ બીજી તરફ કોવિડ સેન્ટરોમાં સ્ટાફની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ વચ્ચે જ્યારે મેનપાવરની અછત સર્જાઇ છે ત્યારે સયાજી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના મૃતદેહ રઝળતા મૂકી દેવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
શહેરની સયાજી હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઇ કામદારો દિવસ રાત કામમાં લાગેલા છે. હાલની પરિસ્થિતિમાં જે રીતે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપતી વધી રહીં છે. તેજ ગતિએ મૃત્યુઆંક પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.
કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સ્ટાફની અછત ઉભી થતા હવે દોડધામ વધી હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલના આજના આ દ્રશ્યો હ્રદય કંપાવી નાખે તેવા છે. જ્યાં સવારથી હોસ્પિટલના એક્સ-રે રૂમ બહાર એક દર્દીનો મૃતદેહ કોરોના ગાઇડલાઇન મૂજબ પીપીઇ કીટમાં પેક કરી મૂકી રાખવામાં આવ્યાં છે. બીજી તરફ હોસ્પિલટના કોવિડ વિભાગની બાલ્કનીમાં અને અન્ય એક હોસ્પિટલની બહાર સ્ટ્રેટર પર રઝળતો જોવા મળી રહ્યો છે. આ એવા દર્દીઓના મૃતદેહ છે, જેઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યાં હતા. અને મૃત્યુ પામતા કોવિડની લાઇડલાઇન મૂજબ તેમના મૃતદેહ પીપીઇ કીટમાં મુકવામાં આવ્યાં હતા.