કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માઇકોસીસ નામનો ગંભીર રોગ કહેર મચાવી રહ્યો છે
જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેમાં આ રોગ જોવા મળી રહ્યો છે - SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયર
SSG હોસ્પિટલમાં ટીમ વર્ક સાથે મ્યુકર માઇકોસીસની સારવાર આપવામાં આવે છે
[caption id="attachment_1094920" align="aligncenter" width="1280"] તસ્વીરના પહેલા ભાગમાં મ્યુકર માઇકોસીસથી પીડીત દર્દી છે, જ્યારે અન્ય ભાગમાં એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયર છે.[/caption]
WatchGujarat. શહેરની સરકારી SSG હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલોજમાં સરકારી સુવિધામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર બાદ સાજા થયેલા 29 દર્દીઓ મ્યુકર માઇકોસીસથી ગંભીર રીતે ગ્રસ્ત થતા SSG હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા સ્ટીરોઇડ્સના કારણે મ્યુકર માઇકોસીસના કેસોમાં વધારો થયો હોવાનું ડોક્ટરોનું અનુમાન છે.
હાલ રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રાજ્યભરમાં રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સારવારમાં જરૂરી વસ્તુઓની ઘટ સામે આવી રહી છે. કોરોનાના કપરા કાળમાં વહીવટી તંત્ર દ્વારા કોરોના કટોકટી સમયે સર્જાયેલી સ્થિતીમાં જરૂરીયાતને પહોંચી વળવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. હજી કોરોના તંત્રના નિયંત્રણથી જોજનો દુર છે. ત્યારે હવે કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માઇકોસીસ નામનો ગંભીર રોગ કહેર મચાવી રહ્યો છે. SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે, હાલ મ્યુકર માઇકોસીસના 29 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરે મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે, શહેરમાં કોરોનાની સારવાર પુરી કરી ચુકેલા અને ઘરે ગયેલા લોકોમાં મ્યુકર માઇકોસીસ દેખાઇ રહ્યો છે. જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેમાં આ રોગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ રોગ ખાસ કરીને અનિયંત્રિત ડાયાબીટીસના દર્દીઓમાં જોવા મળતો હતો. હવે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે. જે લાઇફ સેવીંગ છે. સ્ટીરોઇડ સાથે ટોસીલીઝુમેબ આપીએ છીએ જે શરીરની ઇમ્યુનીટી પર આડકતરી રીતે અસર કરે છે. પરંતુ કોવિડમાં ફાયદો કરે છે. પણ ઇમ્યુનો રીસ્પોન્સીસ સપ્રેસ કરવાથી મ્યુકર માઇકોસીસનું ફંગસ નાક અને તેની આસપાસના વિસ્તારથી થઇ આંખ મારફતે અન્યત્રે ફેલાય છે.
SSG હોસ્પિટલમાં ટીમ વર્ક સાથે મ્યુકર માઇકોસીસની સારવાર થાય છે
હાલ 29 દર્દીઓ મ્યુકર માઇકોસીસની સારવાર લઇ રહ્યા છે. રોગ ગંભીર સ્થિતી સર્જે છે. કોરોનાની દવાઓને પર્યાપ્ત માત્રામાં ઉપયોગ અને અનિયંત્રિત રીતે ફેલાતા મ્યુકર માઇકોસીસ સામે આમે ટીમ વર્ક કરીને સારવાર આપી રહ્યા છે. મ્યુકર માઇકોસીસની સારવારમાં નિષ્ણાંત તબિબ, ક્રીટીકલ કેસ કન્સલ્ટન્ટ, ઇએનટી સર્જન અને ઓપ્થેમ્લમોલોજીસ્ટ સહિતનાની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે છે.
મ્યુકર માઇકોસીસ અંગે કોણે ખાસ ધ્યાન રાખવું જોઇએ
ડો. રંજન ઐયરે ઉમેર્યું હતું કે, કોવિડ પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય, કોરોના પહેલા ડાયાબીટીસની બિમારી હોય અથવા તો કોરોનાની સારવામાં સ્ટીરોઇડ્સનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યા બાદ બ્લડ શુગરમાં અનિયંત્રીતતા આવી હોય તેવા કિસ્સાઓમાં મ્યુકર માઇકોસીસ થવાનો ભય રહેલો છે. આ તમામ લોકોએ ખાસ ચોક્સાઇ રાખવાની જરૂર છે.
મ્યુકર માઇકોસીસના કયા લક્ષણો સામે આવ્યા
ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે, હોઠ – તાળવામાં કાળા ચાંદા પડવા, ચેતનતા ગુમાવવી, આંખનો ડોળો ઉપસી આવવો, આંખ ફેરવવા દરમિયાન દુખાવો થવો તથા માથાનો દુખાવો જેવા લક્ષણો સાથે મ્યુકર માઇકોસીસ જોવા મળી રહ્યો છે.
જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેમાં આ રોગ જોવા મળી રહ્યો છે - SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયર
SSG હોસ્પિટલમાં ટીમ વર્ક સાથે મ્યુકર માઇકોસીસની સારવાર આપવામાં આવે છે
[caption id="attachment_1094920" align="aligncenter" width="1280"] તસ્વીરના પહેલા ભાગમાં મ્યુકર માઇકોસીસથી પીડીત દર્દી છે, જ્યારે અન્ય ભાગમાં એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયર છે.[/caption]
WatchGujarat. શહેરની સરકારી SSG હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલોજમાં સરકારી સુવિધામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર બાદ સાજા થયેલા 29 દર્દીઓ મ્યુકર માઇકોસીસથી ગંભીર રીતે ગ્રસ્ત થતા SSG હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા સ્ટીરોઇડ્સના કારણે મ્યુકર માઇકોસીસના કેસોમાં વધારો થયો હોવાનું ડોક્ટરોનું અનુમાન છે.
હાલ રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રાજ્યભરમાં રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સારવારમાં જરૂરી વસ્તુઓની ઘટ સામે આવી રહી છે. કોરોનાના કપરા કાળમાં વહીવટી તંત્ર દ્વારા કોરોના કટોકટી સમયે સર્જાયેલી સ્થિતીમાં જરૂરીયાતને પહોંચી વળવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. હજી કોરોના તંત્રના નિયંત્રણથી જોજનો દુર છે. ત્યારે હવે કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માઇકોસીસ નામનો ગંભીર રોગ કહેર મચાવી રહ્યો છે. SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે, હાલ મ્યુકર માઇકોસીસના 29 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
SSG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરે મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે, શહેરમાં કોરોનાની સારવાર પુરી કરી ચુકેલા અને ઘરે ગયેલા લોકોમાં મ્યુકર માઇકોસીસ દેખાઇ રહ્યો છે. જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેમાં આ રોગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ રોગ ખાસ કરીને અનિયંત્રિત ડાયાબીટીસના દર્દીઓમાં જોવા મળતો હતો. હવે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે. જે લાઇફ સેવીંગ છે. સ્ટીરોઇડ સાથે ટોસીલીઝુમેબ આપીએ છીએ જે શરીરની ઇમ્યુનીટી પર આડકતરી રીતે અસર કરે છે. પરંતુ કોવિડમાં ફાયદો કરે છે. પણ ઇમ્યુનો રીસ્પોન્સીસ સપ્રેસ કરવાથી મ્યુકર માઇકોસીસનું ફંગસ નાક અને તેની આસપાસના વિસ્તારથી થઇ આંખ મારફતે અન્યત્રે ફેલાય છે.
SSG હોસ્પિટલમાં ટીમ વર્ક સાથે મ્યુકર માઇકોસીસની સારવાર થાય છે
હાલ 29 દર્દીઓ મ્યુકર માઇકોસીસની સારવાર લઇ રહ્યા છે. રોગ ગંભીર સ્થિતી સર્જે છે. કોરોનાની દવાઓને પર્યાપ્ત માત્રામાં ઉપયોગ અને અનિયંત્રિત રીતે ફેલાતા મ્યુકર માઇકોસીસ સામે આમે ટીમ વર્ક કરીને સારવાર આપી રહ્યા છે. મ્યુકર માઇકોસીસની સારવારમાં નિષ્ણાંત તબિબ, ક્રીટીકલ કેસ કન્સલ્ટન્ટ, ઇએનટી સર્જન અને ઓપ્થેમ્લમોલોજીસ્ટ સહિતનાની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે છે.
મ્યુકર માઇકોસીસ અંગે કોણે ખાસ ધ્યાન રાખવું જોઇએ
ડો. રંજન ઐયરે ઉમેર્યું હતું કે, કોવિડ પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય, કોરોના પહેલા ડાયાબીટીસની બિમારી હોય અથવા તો કોરોનાની સારવામાં સ્ટીરોઇડ્સનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યા બાદ બ્લડ શુગરમાં અનિયંત્રીતતા આવી હોય તેવા કિસ્સાઓમાં મ્યુકર માઇકોસીસ થવાનો ભય રહેલો છે. આ તમામ લોકોએ ખાસ ચોક્સાઇ રાખવાની જરૂર છે.
મ્યુકર માઇકોસીસના કયા લક્ષણો સામે આવ્યા
ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે, હોઠ – તાળવામાં કાળા ચાંદા પડવા, ચેતનતા ગુમાવવી, આંખનો ડોળો ઉપસી આવવો, આંખ ફેરવવા દરમિયાન દુખાવો થવો તથા માથાનો દુખાવો જેવા લક્ષણો સાથે મ્યુકર માઇકોસીસ જોવા મળી રહ્યો છે.