એન્જિનીયર યુવાનને કોરોના થતા તે હોમ ક્વોરન્ટાઇન થયો હતો
તબિયત લથડતા યુવાનને સુમનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
યોગેશ ચૌહાણ અને ખુશ્બુના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા, દંપતી કેનેડા જવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા
યોગેશભાઈની પત્ની ખુશ્બુબેન સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો
WatchGujarat. શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત એન્જિનિયર યુવાનનું બેડ ઉપરથી પડી જતા મોત થયું હતું. જેને પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી બાજુ, પતિની પ્રેમ ભરી વાતોને યાદ કરીને હૈયાફાટ રૂદન કરનાર પત્નીએ હોસ્પિટલ બહાર કઠણ કાળજાના માણસને પણ હચમચાવી મૂકયા હતા.
શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન ફ્લેટમાં 31 વર્ષીય યોગેશભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ પત્ની ખુશ્બુ સહિત પરિવારજનો સાથે રહેતો હતો. એન્જિનિયર યોગેશ પાદરા તાલુકાના કરખડી ગામે આવેલ ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. યોગેશને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઘરે હોમ ક્વોરન્ટાઇન હેઠળ હતો.
દરમિયાન તા. 4 એપ્રિલના રોજ યોગેશની તબિયત બગડતા પરિવારજનો કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનું સવારે હોસ્પિટલના બેડ પરથી પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યોગેશ ચૌહાણનું બેડ પરથી પડી જવાથી મોત નિપજતાં પરિવારજનો માં રોષની લાગણી વ્યાપી હતી.
યોગેશના ફેફસામાં પ્રોબ્લેમ છે જણાવી રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું
પરિવારના સભ્ય સંકેતભાઈ મકવાણાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યોગેશભાઈ હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ રૂ. 50 હજાર ડીપોઝીટ ભરવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા દર્દી યોગેશના ફેફસામાં પ્રોબ્લેમ છે તેમ જણાવી રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું હતું. જે ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો કે, યોગેશભાઈ બેડ ઉપરથી પડી જતા તેમનું મોત નિપજ્યું છે. વાતની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી
તેમણે મિડીયા સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે જ યોગેશભાઈનું મોત નિપજ્યું છે. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી. યોગેશભાઈનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે અમો પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસને રજૂઆત કરી છે.
પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
મળેલી માહિતી પ્રમાણે આજે સવારે સુમનદીપ હોસ્પિટલમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ હોસ્પિટલ ખાતે દોડી આવેલ મૃતક યોગેશભાઈની પત્ની ખુશ્બુબેન સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પતિની યાદોને તાજી કરી હૈયાફાટ રૂદન કરતી ખુશ્બુએ કઠણ કાળજાના માણસોને પણ હચમચાવી નાખ્યા હતા. નોધનિય છે કે યોગેશ ચૌહાણ અને ખુશ્બુના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા અને આ દંપતી કેનેડા જવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.
યોગેશના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ કરાવવા માંગ
લગ્નના બે વર્ષમાં પતિ ગુમાવનાર ખુશ્બુ ના કાકા વિજયભાઈ પરમારે હોસ્પિટલની નિષ્કાળજીના કારણે જ 31 વર્ષીય યોગેશનું મોત નિપજ્યુ છે, તેવો આક્ષેપ કરતા ઉમેર્યું કે જો યોગેશનું મોત ફેફસાં ખરાબ હોવાના કારણે થયું હોય તો રૂપિયા રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેકશન શા માટે મુકાયું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બની શકે કે યોગેશનુ મોત બેડ ઉપર થી પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થવાથી થયું હોય, ત્યારે યોગેશના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ કરાવવા માગીએ છે. હાલના તબક્કે યોગેશનું મોત હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે થયું હોવાનું ચોક્કસ પણે અમારું માનવું છે.
એન્જિનીયર યુવાનને કોરોના થતા તે હોમ ક્વોરન્ટાઇન થયો હતો
તબિયત લથડતા યુવાનને સુમનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
યોગેશ ચૌહાણ અને ખુશ્બુના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા, દંપતી કેનેડા જવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા
WatchGujarat. શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત એન્જિનિયર યુવાનનું બેડ ઉપરથી પડી જતા મોત થયું હતું. જેને પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી બાજુ, પતિની પ્રેમ ભરી વાતોને યાદ કરીને હૈયાફાટ રૂદન કરનાર પત્નીએ હોસ્પિટલ બહાર કઠણ કાળજાના માણસને પણ હચમચાવી મૂકયા હતા.
શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન ફ્લેટમાં 31 વર્ષીય યોગેશભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ પત્ની ખુશ્બુ સહિત પરિવારજનો સાથે રહેતો હતો. એન્જિનિયર યોગેશ પાદરા તાલુકાના કરખડી ગામે આવેલ ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. યોગેશને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઘરે હોમ ક્વોરન્ટાઇન હેઠળ હતો.
દરમિયાન તા. 4 એપ્રિલના રોજ યોગેશની તબિયત બગડતા પરિવારજનો કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનું સવારે હોસ્પિટલના બેડ પરથી પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યોગેશ ચૌહાણનું બેડ પરથી પડી જવાથી મોત નિપજતાં પરિવારજનો માં રોષની લાગણી વ્યાપી હતી.
યોગેશના ફેફસામાં પ્રોબ્લેમ છે જણાવી રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું
પરિવારના સભ્ય સંકેતભાઈ મકવાણાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યોગેશભાઈ હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ રૂ. 50 હજાર ડીપોઝીટ ભરવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા દર્દી યોગેશના ફેફસામાં પ્રોબ્લેમ છે તેમ જણાવી રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું હતું. જે ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો કે, યોગેશભાઈ બેડ ઉપરથી પડી જતા તેમનું મોત નિપજ્યું છે. વાતની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી
તેમણે મિડીયા સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે જ યોગેશભાઈનું મોત નિપજ્યું છે. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી. યોગેશભાઈનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે અમો પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસને રજૂઆત કરી છે.
મળેલી માહિતી પ્રમાણે આજે સવારે સુમનદીપ હોસ્પિટલમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ હોસ્પિટલ ખાતે દોડી આવેલ મૃતક યોગેશભાઈની પત્ની ખુશ્બુબેન સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પતિની યાદોને તાજી કરી હૈયાફાટ રૂદન કરતી ખુશ્બુએ કઠણ કાળજાના માણસોને પણ હચમચાવી નાખ્યા હતા. નોધનિય છે કે યોગેશ ચૌહાણ અને ખુશ્બુના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા અને આ દંપતી કેનેડા જવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.
યોગેશના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ કરાવવા માંગ
લગ્નના બે વર્ષમાં પતિ ગુમાવનાર ખુશ્બુ ના કાકા વિજયભાઈ પરમારે હોસ્પિટલની નિષ્કાળજીના કારણે જ 31 વર્ષીય યોગેશનું મોત નિપજ્યુ છે, તેવો આક્ષેપ કરતા ઉમેર્યું કે જો યોગેશનું મોત ફેફસાં ખરાબ હોવાના કારણે થયું હોય તો રૂપિયા રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેકશન શા માટે મુકાયું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બની શકે કે યોગેશનુ મોત બેડ ઉપર થી પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થવાથી થયું હોય, ત્યારે યોગેશના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ કરાવવા માગીએ છે. હાલના તબક્કે યોગેશનું મોત હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે થયું હોવાનું ચોક્કસ પણે અમારું માનવું છે.