કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર
શ્રૃતિબહેન નિલેશભાઇ નાયકે પોતાની હોસ્ટેલના સાતમા માળેથી ભુસકો માર્યો
અવાજ આવતા જ હોસ્ટેલમાં ચીફ વોર્ડન , ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો લોકો દોડી આવ્યા
WatchGujarat. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં તા.4 જાન્યુઆરીના દિવસેજ કોલેજમાં આવી હતી. કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર જગાવી મુકી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ફીઝીયોથેરાપીના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક (ઉં.વ.21) (રહે - સુરત, પલસાણા)પોતાની હોસ્ટેલના સાતમા માળેથી મોતનો ભુસકો માર્યો હતો. હોસ્ટલના નીચેથી પડ્યાનો અવાજ આવતા જ હોસ્ટેલમાં ચીફ વોર્ડન , ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો લોકો દોડી આવ્યા હતા. હોસ્ટેલના સાતમા માળેથી પટકાયેલી શ્રૃતિને તુરતજ કારમાં કેમ્પસ સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના ઘનિષ્ઠ પ્રયાસો છતાં બચી શકી ન હતી.
દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સ્ટાફ સાથે વિદ્યાપીઠમાં દોડી ગયા હતા. કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મુકી આપી હતી. બીજી બાજુ ચીફ વોર્ડન દ્વારા શ્રૃતિ નાયકના આપઘાતની જાણ તેઓના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શાખી ગામમાં રહેતા પરિવારને કરતા તેઓના પરિવારજનો વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાપીઠમાં આવ્યા બાદ શ્રૃતિએ આપઘાત કરતા મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
સુમન વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના અ.હે.કો. પ્રવિણકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના પલસાના તાલુકાના શાખી ગામની રહેવાસી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝીયોથેરાપીના ફાઇનલ ઇયર (ચોથા વર્ષમાં) અભ્યાસ કરતી હતી. શ્રૃતિ નાયક વિદ્યાપીઠમાં આવેલી 7 હોસ્ટેલો પૈકી વામા હોસ્ટેલના 7 માં ફ્લોરના રૂમ નંબર-324માં રહેતી હતી.
અ.હે.કો. પ્રવિણભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ફીઝીયોથેરાપીની સ્ટુડન્ટ શ્રૃતિ નાયકે સવારે 9 વાગ્યાના સુમારે પોતાનો રૂમ બંધ કર્યા બાદ, રૂમની બારીમાંથી મોતનો ભુસકો હોસ્ટેલની પાછળ માર્યો હતો. શ્રૃતિએ મોતનો ભુસકો મારતાજ ચિફ વોર્ડન અને સિક્યુરીટી દોડી આવી હતી. અને તેઓને સારવાર માટે ચીફ વોર્ડનની કારમાં ધીરજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર
શ્રૃતિબહેન નિલેશભાઇ નાયકે પોતાની હોસ્ટેલના સાતમા માળેથી ભુસકો માર્યો
અવાજ આવતા જ હોસ્ટેલમાં ચીફ વોર્ડન , ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો લોકો દોડી આવ્યા
WatchGujarat. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં તા.4 જાન્યુઆરીના દિવસેજ કોલેજમાં આવી હતી. કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર જગાવી મુકી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ફીઝીયોથેરાપીના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક (ઉં.વ.21) (રહે - સુરત, પલસાણા)પોતાની હોસ્ટેલના સાતમા માળેથી મોતનો ભુસકો માર્યો હતો. હોસ્ટલના નીચેથી પડ્યાનો અવાજ આવતા જ હોસ્ટેલમાં ચીફ વોર્ડન , ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો લોકો દોડી આવ્યા હતા. હોસ્ટેલના સાતમા માળેથી પટકાયેલી શ્રૃતિને તુરતજ કારમાં કેમ્પસ સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના ઘનિષ્ઠ પ્રયાસો છતાં બચી શકી ન હતી.
દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સ્ટાફ સાથે વિદ્યાપીઠમાં દોડી ગયા હતા. કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મુકી આપી હતી. બીજી બાજુ ચીફ વોર્ડન દ્વારા શ્રૃતિ નાયકના આપઘાતની જાણ તેઓના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શાખી ગામમાં રહેતા પરિવારને કરતા તેઓના પરિવારજનો વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાપીઠમાં આવ્યા બાદ શ્રૃતિએ આપઘાત કરતા મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
સુમન વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના અ.હે.કો. પ્રવિણકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના પલસાના તાલુકાના શાખી ગામની રહેવાસી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝીયોથેરાપીના ફાઇનલ ઇયર (ચોથા વર્ષમાં) અભ્યાસ કરતી હતી. શ્રૃતિ નાયક વિદ્યાપીઠમાં આવેલી 7 હોસ્ટેલો પૈકી વામા હોસ્ટેલના 7 માં ફ્લોરના રૂમ નંબર-324માં રહેતી હતી.
અ.હે.કો. પ્રવિણભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, ફીઝીયોથેરાપીની સ્ટુડન્ટ શ્રૃતિ નાયકે સવારે 9 વાગ્યાના સુમારે પોતાનો રૂમ બંધ કર્યા બાદ, રૂમની બારીમાંથી મોતનો ભુસકો હોસ્ટેલની પાછળ માર્યો હતો. શ્રૃતિએ મોતનો ભુસકો મારતાજ ચિફ વોર્ડન અને સિક્યુરીટી દોડી આવી હતી. અને તેઓને સારવાર માટે ચીફ વોર્ડનની કારમાં ધીરજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.