કોરોના કાળમાં વેપાર – ધંધા ઠપ થતા વેપારીઓ સંકટમાં મુકાયા
કોરોના પોઝીટીવ કેસો વધતા સરકાર દ્વારા વેક્સીનેશન વધારવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલું
કોરોના પર કાબુ મેળવાશે તો સ્થાનિક વેપાર ધંધા પુન: ધમધમી ઉઠશે – કમલેશ શાહ
WatchGujarat. ચુંટણી બાદથી લઇને રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને રાજ્ય સરકારે સામાન્ય નાગરીકો પર અનેક નિયમો લાદી દીધા છે. અને બીજી તરફ કોરોનાની વેક્સીન વધુમાં વધુ લોકો મુકાવે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. તેવા સમયે શહેરના ગેંડા સર્કલ સ્થિત વેપારીએ કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે મહત્વની જાહેરાત કરી છે. અને તેમની દુકાને ખરીદી કરવા માટે આવતા લોકો જો પોતે વેક્સીન લીધાનું સર્ટીફીકેટ બતાવે તો તેઓને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
તાજેતરમાં રાજ્ય તથા દેશના અનેક ભાગોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો નોંધાયો હતો. જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતર્ક બન્યા છે. અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેક્સીન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ધટાડીને 45 વર્ષ કે તેથી વધુ કરી દેવામાં આવી છે. અને બીજી તરફ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સીનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
ગેંડા સર્કલ નજીક સ્ટેશનરીના ડિસ્ટ્રીબ્યુટર – રાજ ટ્રેડર્સના સંચાલક કમલેશ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સ્થાનિક વેપાર ધંધા પર ભારે અસર પહોંચી છે. કોરોના પર કાબુ મેળવાશે તો સ્થાનિક વેપાર ધંધા પુન: ધમધમી ઉઠશે. એક વેપારી તરીકે લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ કર્યો છે. અમારે ત્યાં ખરીદી કરવા આવતા લોકો કોરોનાની વેક્સીન લીધાનું સર્ટીફીકેટ બતાવશે તો તેઓને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
વધુમાં કમલેશ શાહે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા કોરોનાની વેક્સીન આપવાની કામગીરી ચાલુ રહેશે. ત્યાં સુધી અમારા દ્વારા આ પ્રકારે પ્રોત્સાહન રૂપી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વેપારીએ અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકારના ધારાધોરણ પ્રમાણેની ઉંમર ધરાવતા લોકોએ વેક્સીન મુકાવવી જોઇએ. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએ. કોરોના જેટલો જલ્દી કાબુમાં આવશે તેટલો જલ્દી આપણે આપણા સામાન્ય જીવન તરફ વળી શકીશું.
કોરોના પર કાબુ મેળવાશે તો સ્થાનિક વેપાર ધંધા પુન: ધમધમી ઉઠશે – કમલેશ શાહ
WatchGujarat. ચુંટણી બાદથી લઇને રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને રાજ્ય સરકારે સામાન્ય નાગરીકો પર અનેક નિયમો લાદી દીધા છે. અને બીજી તરફ કોરોનાની વેક્સીન વધુમાં વધુ લોકો મુકાવે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. તેવા સમયે શહેરના ગેંડા સર્કલ સ્થિત વેપારીએ કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે મહત્વની જાહેરાત કરી છે. અને તેમની દુકાને ખરીદી કરવા માટે આવતા લોકો જો પોતે વેક્સીન લીધાનું સર્ટીફીકેટ બતાવે તો તેઓને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
તાજેતરમાં રાજ્ય તથા દેશના અનેક ભાગોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો નોંધાયો હતો. જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતર્ક બન્યા છે. અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાની વેક્સીન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ધટાડીને 45 વર્ષ કે તેથી વધુ કરી દેવામાં આવી છે. અને બીજી તરફ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સીનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
ગેંડા સર્કલ નજીક સ્ટેશનરીના ડિસ્ટ્રીબ્યુટર – રાજ ટ્રેડર્સના સંચાલક કમલેશ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સ્થાનિક વેપાર ધંધા પર ભારે અસર પહોંચી છે. કોરોના પર કાબુ મેળવાશે તો સ્થાનિક વેપાર ધંધા પુન: ધમધમી ઉઠશે. એક વેપારી તરીકે લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહન આપવા માટે એક પ્રયાસ કર્યો છે. અમારે ત્યાં ખરીદી કરવા આવતા લોકો કોરોનાની વેક્સીન લીધાનું સર્ટીફીકેટ બતાવશે તો તેઓને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
વધુમાં કમલેશ શાહે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા કોરોનાની વેક્સીન આપવાની કામગીરી ચાલુ રહેશે. ત્યાં સુધી અમારા દ્વારા આ પ્રકારે પ્રોત્સાહન રૂપી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વેપારીએ અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકારના ધારાધોરણ પ્રમાણેની ઉંમર ધરાવતા લોકોએ વેક્સીન મુકાવવી જોઇએ. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએ. કોરોના જેટલો જલ્દી કાબુમાં આવશે તેટલો જલ્દી આપણે આપણા સામાન્ય જીવન તરફ વળી શકીશું.