મ્યુનિ. કાઉન્સિલર અમી રાવત અને મ.સ. યુનિ. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.
વડોદરામાં મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી લોકોને મરતા બચાવવા માગણી.
યુદ્ધના ધોરણે પગલાં લઈ ઓક્સિજન ફાળવવા માગણી.
Watch Gujarat. વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર થઈ છે ત્યારે શહેરના નાગરિકો વતી નિવેદન કરતાં અમી રાવત અને નરેન્દ્ર રાવતે ઓક્સિજનના અભાવે 2000 દર્દી મૃત્યુ પામે તેવી દહેશત વ્યક્ત કરવા સાથે, આ મૃત્યુ માટે જવાબદાર કોણ? તેવો સવાલ સરકારને પુછ્યો છે. તે સાથે કોરોના પોઝિટીવ દર્દીઓના આંક સંતાડવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે રોજ શહેરમાં 5000 નવાં કોરોના પોઝિટીવ કેસ નોંધાતા હોવાનો દાવો કર્યો છે.
https://youtu.be/ynGit3zC2Y0
કલેક્ટરના માધ્યમથી મ્યુનિ. કાઉન્સિલર અમી રાવત અને યુનિ. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, વડોદરાની સરકારી કે ખઆનગી હોસ્પિટલમાં મેડિકલ સારવાર કે બેડની સુવિધા નથી. ઐતિહાસિક મહામારીના ભાગરૂપે તમામ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. સરકારી આંકડા તદ્દન ખોટા છે.
વડોદરામાં રોજીંદા 170 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત છે ત્યારે રાજ્ય સરકારે 10 મેટ્રીક ટનનો કાપ મૂક્યો છે. જેથી 2000 દર્દીઓ ઓક્સિજન વગર મૃત્યુ પામશે, તો તે માટે જવાબદાર કોણ? દર્દીઓમાં થઈ રહેલાં વધારાને જોતાં આગામી દિવસોમાં રોજ 170 મેટ્રીક ટન કરતાં પણ વધુ ઓક્સિજનની જરૂર પડશે. ત્યારે વડોદરાના દર્દીઓ માટે ઓક્સિજનની શું સુવિધા છે એ જાહેર કરવા માગ કરાઈ છે.
મહામારીના સમયમાં સારવારના અભાવે નાગરીકો મૃત્યુ પામી રહ્યાં છે, સ્મશાનોમાં અંતિમવિધી માટે 24 કલાકનું વેઇટિગ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ઓક્સિજનની અછત દર્દીઓને મોતના મુખમાં ધકેલી દેશે. વડોદરામાં રોજ 5000 નવા કોરોના કેસ ઉમેરાય છે. સરકારી આંકડાઓ તદ્દન ખોટા છે. વાસ્તવિકતા એ છે કે, 25000 ગંભીર રીતે બિમાર લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલ્સની માગ સામે સરકાર દ્વારા માત્ર 10 ટકા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જેથી ઇન્જેક્શનના અભાવે લોકો મરી રહ્યાં છે. આ મહિનામાં વડોદરા શહેરમાં 4 થી 5 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું ચોક્કસ અનુમાન છે. RT-PCR ટેસ્ટની સુવિધા ઓછી હોવા સાથે રિઝલ્ટ આવવામાં પણ મોડું થતું હોવાથી કોરોના ફેલાઈ રહ્યો છે.
હાલની પરિસ્થિતિને પગલે સરકારે તાત્કાલિક વડોદરામાં મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી, બહારથી તમામ પ્રકારની સહાય મોકલવી જોઈએ તેવી વિનંતી કરવા સાથે રાવત દંપત્તિએ જણાવ્યું છે કે, કોરોના રોગચાળો રોકવા સરકારે યુદ્ધના ધોરણે મેડિકલ સપ્લાય, એમ્બ્યુલન્સિસ, વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય, મેડિસિન મોકલવા આદેશ આપવો જોઈએ. કોરોના વધુ ના ફેલાય તે માટે લોકડાઉન કે એનાથી પણ વિશેષ અસરકારક પગલાં તાત્કાલિક લેવાં જોઈએ એવી માંગણી કરાઈ છે.
વડોદરામાં મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી લોકોને મરતા બચાવવા માગણી.
યુદ્ધના ધોરણે પગલાં લઈ ઓક્સિજન ફાળવવા માગણી.
Watch Gujarat. વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર થઈ છે ત્યારે શહેરના નાગરિકો વતી નિવેદન કરતાં અમી રાવત અને નરેન્દ્ર રાવતે ઓક્સિજનના અભાવે 2000 દર્દી મૃત્યુ પામે તેવી દહેશત વ્યક્ત કરવા સાથે, આ મૃત્યુ માટે જવાબદાર કોણ? તેવો સવાલ સરકારને પુછ્યો છે. તે સાથે કોરોના પોઝિટીવ દર્દીઓના આંક સંતાડવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે રોજ શહેરમાં 5000 નવાં કોરોના પોઝિટીવ કેસ નોંધાતા હોવાનો દાવો કર્યો છે.
કલેક્ટરના માધ્યમથી મ્યુનિ. કાઉન્સિલર અમી રાવત અને યુનિ. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, વડોદરાની સરકારી કે ખઆનગી હોસ્પિટલમાં મેડિકલ સારવાર કે બેડની સુવિધા નથી. ઐતિહાસિક મહામારીના ભાગરૂપે તમામ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. સરકારી આંકડા તદ્દન ખોટા છે.
વડોદરામાં રોજીંદા 170 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરીયાત છે ત્યારે રાજ્ય સરકારે 10 મેટ્રીક ટનનો કાપ મૂક્યો છે. જેથી 2000 દર્દીઓ ઓક્સિજન વગર મૃત્યુ પામશે, તો તે માટે જવાબદાર કોણ? દર્દીઓમાં થઈ રહેલાં વધારાને જોતાં આગામી દિવસોમાં રોજ 170 મેટ્રીક ટન કરતાં પણ વધુ ઓક્સિજનની જરૂર પડશે. ત્યારે વડોદરાના દર્દીઓ માટે ઓક્સિજનની શું સુવિધા છે એ જાહેર કરવા માગ કરાઈ છે.
મહામારીના સમયમાં સારવારના અભાવે નાગરીકો મૃત્યુ પામી રહ્યાં છે, સ્મશાનોમાં અંતિમવિધી માટે 24 કલાકનું વેઇટિગ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ઓક્સિજનની અછત દર્દીઓને મોતના મુખમાં ધકેલી દેશે. વડોદરામાં રોજ 5000 નવા કોરોના કેસ ઉમેરાય છે. સરકારી આંકડાઓ તદ્દન ખોટા છે. વાસ્તવિકતા એ છે કે, 25000 ગંભીર રીતે બિમાર લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલ્સની માગ સામે સરકાર દ્વારા માત્ર 10 ટકા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જેથી ઇન્જેક્શનના અભાવે લોકો મરી રહ્યાં છે. આ મહિનામાં વડોદરા શહેરમાં 4 થી 5 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું ચોક્કસ અનુમાન છે. RT-PCR ટેસ્ટની સુવિધા ઓછી હોવા સાથે રિઝલ્ટ આવવામાં પણ મોડું થતું હોવાથી કોરોના ફેલાઈ રહ્યો છે.
હાલની પરિસ્થિતિને પગલે સરકારે તાત્કાલિક વડોદરામાં મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી, બહારથી તમામ પ્રકારની સહાય મોકલવી જોઈએ તેવી વિનંતી કરવા સાથે રાવત દંપત્તિએ જણાવ્યું છે કે, કોરોના રોગચાળો રોકવા સરકારે યુદ્ધના ધોરણે મેડિકલ સપ્લાય, એમ્બ્યુલન્સિસ, વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય, મેડિસિન મોકલવા આદેશ આપવો જોઈએ. કોરોના વધુ ના ફેલાય તે માટે લોકડાઉન કે એનાથી પણ વિશેષ અસરકારક પગલાં તાત્કાલિક લેવાં જોઈએ એવી માંગણી કરાઈ છે.