વડોદરાથી અમદાવાદ નેશનલ હાઇવે પરથી મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર
વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરાયો
તમામ ચુકવણી ફાસ્ટેગ દ્વારા જ કરવાની રહેશે
WatchGujarat. વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે 48 જે હવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે. તેના પર મુસાફરી ફરી એક વખત મોંઘી બની છે. ચુંટણી પહેલા નાગરીકોની સુખાકારી માટે કામ કરવાના વચનો આપીને સત્તા મેળવેલી પાર્ટીએ હવે વાસદ ટોલ નાકા પર ભાવ વધારે ઝીંક્યો છે. જેને લઇને નિયમીત રીતે વાસદ ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકો પર નાણાંકીય બોઝ વધશે.
વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૂ.5 સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ વડોદરાથી નડિયાદની આગળ વાત્રજ નદી પાસે રઘવાણજ ટોલ પ્લાઝા સુધી હવે વધારાની રકમ ચૂકવવી પડશે. હવે તમામ દરો માત્ર ફાસ્ટેગ દ્વારા જ ચૂકવવાના રહેશે. રઘવાણજ ટોલ પ્લાઝાથી અમદાવાદ જવા માટે વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરાયેલા દરો વધારાના ચૂકવવા પડશે.
જો કે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતી વ્યક્તિ જેમણે પોતાના વાહનનું રજિસ્ટ્રેશન બિનધંધાકીય વાહન તરીકે કર્યુ છે તેમણે પ્રતિ મહિનાના રૂ. 245 આપવા પડશે.
સુપર નેશનલ હાઇવે : વાસદ પ્લાઝા પર ટોલના નવા દરો
વાહન જુના દર નવા દર રિટર્ન દર
કાર,જીપ, વાન 125 130 195
મીનીબસ 195 200 300
બસ, ટ્રક 400 410 615
3 એક્સલ વાહન 435 450 675
4 થી 6 એક્સલ 610 630 945
વડોદરાથી અમદાવાદ નેશનલ હાઇવે પરથી મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર
વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરાયો
તમામ ચુકવણી ફાસ્ટેગ દ્વારા જ કરવાની રહેશે
WatchGujarat. વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે 48 જે હવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે. તેના પર મુસાફરી ફરી એક વખત મોંઘી બની છે. ચુંટણી પહેલા નાગરીકોની સુખાકારી માટે કામ કરવાના વચનો આપીને સત્તા મેળવેલી પાર્ટીએ હવે વાસદ ટોલ નાકા પર ભાવ વધારે ઝીંક્યો છે. જેને લઇને નિયમીત રીતે વાસદ ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકો પર નાણાંકીય બોઝ વધશે.
વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૂ.5 સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ વડોદરાથી નડિયાદની આગળ વાત્રજ નદી પાસે રઘવાણજ ટોલ પ્લાઝા સુધી હવે વધારાની રકમ ચૂકવવી પડશે. હવે તમામ દરો માત્ર ફાસ્ટેગ દ્વારા જ ચૂકવવાના રહેશે. રઘવાણજ ટોલ પ્લાઝાથી અમદાવાદ જવા માટે વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરાયેલા દરો વધારાના ચૂકવવા પડશે.
જો કે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતી વ્યક્તિ જેમણે પોતાના વાહનનું રજિસ્ટ્રેશન બિનધંધાકીય વાહન તરીકે કર્યુ છે તેમણે પ્રતિ મહિનાના રૂ. 245 આપવા પડશે.