તા. 6 મે ના રોજ સવારે 10 વાગ્યે 5 વિધાનસભા વિસ્તારમાં ધરણાં પ્રદર્શન કરાશે.
પશ્ચિમ બંગાળના TMC કાર્યકરોના વિરોધમાં શહેર ભાજપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવશે ખરું?
Watch Gujarat. કોરોના કાળમાં શહેર ભાજપા અગ્રણીઓ દ્વારા દર્દીઓને પુરતી સગવડ મળી રહે તે માટે અતિથી અતિભારે ચિંતા કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આવતીકાલે મેયર સહિતના શહેર ભાજપના અગ્રણીઓ કોરોના દર્દીઓની ચિંતા કરવામાંથી સમય કાઢીને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ કરનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળની હિંસામાં મૃત્યુ પામેલી વ્યક્તિઓ કરતાં અનેક ગણી વધારે ચિતાઓ હાલ સ્મશાનમાં સળગી રહી છે. ત્યારે સળગતી ચિતાઓની ચિંતા કરવી જરૂરી છે કે, ‘દીદી’ સામે દાઝ કાઢવાની જરૂર છે? રાષ્ટ્રીય અધ્યક્ષનાં આહ્વાનનું પાલન કરવા માટે થોડો સમય રસ્તા પર ઉતરીને તસવીરો પડાવવા માટે જ વડોદરાવાસીઓએ ભાજપાને ખોબે ખોબા મત આપીને જીતાડ્યા છે? હાલના સંજોગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું યોગ્ય નથી, એમ ઉપરી અગ્રણીઓને કહી શકવાની કોઈની હિંમત નથી?
આજે શહેરમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે, અનેક લોકો હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. ઇન્જેક્શનથી માંડી ઓક્સિજન સુધીની બાબતો માટે દર્દીઓના સગાંઓ વલખાં મારી રહ્યાં છે. તાજેતરની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા બનેલાં મોટાભાગના ભાજપી કાઉન્સિલરો ગાયબ થઈ ગયાં છે. જોકે, શહેર ભાજપાના અગ્રણીઓ દ્વારા કોરોના દર્દીઓ અંગે ખૂબ જ ચિંતા કરવામાં આવતી હોવાના ચિત્રો સોશિયલ મિડીયામાં જોવા મળી રહેતાં હોય છે. તો કેટલાંકે રોફ ઝાડીને મિડીયામાં ચમકવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં TMCના હાથે ભાજપાએ પછડાટ ખાધા બાદ ત્યાં હિંસાચાર ફાટી નિકળ્યો હતો. જેમાં 10થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાનું કહેવાય છે. હુમલાઓ અંગે TMC અને ભાજપા એકબીજા પર દોષારોપણ કરી રહી છે. ત્યારે શહેર ભાજપા દ્વારા તા 6 મે 2021ને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે તમામ પાંચેય વિધાનસભા વિસ્તાર દીઠ ધરણાં પ્રદર્શન યોજવામાં આવનાર છે. શહેર ભાજપાની અખબારી યાદીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ મમતા બેનરજીની TMC પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ ના આગેવાનો/કાર્યકર્તાઓની ઉપર જીવલેણ હુમલાઓ કરી મારી નાખવામાં આવ્યાં છે. તેમના ઘરો પણ સળગાવી દેવામાં આવ્યાં છે. જેનો ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરે છે. અને તેના વિરોધ માં ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ક્યાં? કોની આગેવાનીમાં ધરણાં કરાશે?
માંજલપુર વિધાનસભા (સ્થળ - શ્રેયસ વિદ્યાલય,માંજલપુર નાકા ત્રણ રસ્તા)
મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સાંસદ, મહામંત્રી જશવંતસિંહજી સોલંકી
રાવપુરા વિધાનસભા (સ્થળ- માંડવી બસ સ્ટેન્ડ પાસે)
પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ ચેરમેન ડો.હિતેન્દ્રભાઇ પટેલ
શહેર વિધાનસભા – (એરપોર્ટ સર્કલ, હરણી રોડ)
ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, મહામંત્રી રાકેશભાઈ સેવક મહામંત્રી
સયાજીગજ વિધાનસભા – (પંડ્યા બ્રિજ ચાર રસ્તા)
ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા, મેયર કેયુરભાઈ રોકડીયા, મહામંત્રી સુનિલભાઈ સોલંકી
અકોટા વિધાનસભા – (હેવમોર ચાર રસ્તા, દિવાલીપુરા, ઓલ્ડ પાદરા રોડ)
શહેર ભાજપ પ્રમુખ ડો વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે
રાષ્ટ્રીય સ્તરની પ્રસિદ્ધિ પામવા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરાં ઉડાડાશે?
એક તરફ રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 50 અને મરણ પ્રસંગમાં 20 જેટલાં સ્વજનને બોલાવવાની પરવાનગી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરે છે અને બીજી તરફ, ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હોય અને છતાં પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. એમાંય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તસવીરો પડાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ સ્હેજપણ પાળવામાં આવતું ના હોવાનું પણ જોવા મળે છે. ત્યારે આવતીકાલે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય તેવાં ધરણાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવશે કે કેમ? એ જોવાનું રહ્યું.
તા. 6 મે ના રોજ સવારે 10 વાગ્યે 5 વિધાનસભા વિસ્તારમાં ધરણાં પ્રદર્શન કરાશે.
પશ્ચિમ બંગાળના TMC કાર્યકરોના વિરોધમાં શહેર ભાજપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવશે ખરું?
Watch Gujarat. કોરોના કાળમાં શહેર ભાજપા અગ્રણીઓ દ્વારા દર્દીઓને પુરતી સગવડ મળી રહે તે માટે અતિથી અતિભારે ચિંતા કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આવતીકાલે મેયર સહિતના શહેર ભાજપના અગ્રણીઓ કોરોના દર્દીઓની ચિંતા કરવામાંથી સમય કાઢીને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ કરનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળની હિંસામાં મૃત્યુ પામેલી વ્યક્તિઓ કરતાં અનેક ગણી વધારે ચિતાઓ હાલ સ્મશાનમાં સળગી રહી છે. ત્યારે સળગતી ચિતાઓની ચિંતા કરવી જરૂરી છે કે, ‘દીદી’ સામે દાઝ કાઢવાની જરૂર છે? રાષ્ટ્રીય અધ્યક્ષનાં આહ્વાનનું પાલન કરવા માટે થોડો સમય રસ્તા પર ઉતરીને તસવીરો પડાવવા માટે જ વડોદરાવાસીઓએ ભાજપાને ખોબે ખોબા મત આપીને જીતાડ્યા છે? હાલના સંજોગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું યોગ્ય નથી, એમ ઉપરી અગ્રણીઓને કહી શકવાની કોઈની હિંમત નથી?
આજે શહેરમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે, અનેક લોકો હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. ઇન્જેક્શનથી માંડી ઓક્સિજન સુધીની બાબતો માટે દર્દીઓના સગાંઓ વલખાં મારી રહ્યાં છે. તાજેતરની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા બનેલાં મોટાભાગના ભાજપી કાઉન્સિલરો ગાયબ થઈ ગયાં છે. જોકે, શહેર ભાજપાના અગ્રણીઓ દ્વારા કોરોના દર્દીઓ અંગે ખૂબ જ ચિંતા કરવામાં આવતી હોવાના ચિત્રો સોશિયલ મિડીયામાં જોવા મળી રહેતાં હોય છે. તો કેટલાંકે રોફ ઝાડીને મિડીયામાં ચમકવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં TMCના હાથે ભાજપાએ પછડાટ ખાધા બાદ ત્યાં હિંસાચાર ફાટી નિકળ્યો હતો. જેમાં 10થી વધુ લોકોના મોત નિપજ્યાં હોવાનું કહેવાય છે. હુમલાઓ અંગે TMC અને ભાજપા એકબીજા પર દોષારોપણ કરી રહી છે. ત્યારે શહેર ભાજપા દ્વારા તા 6 મે 2021ને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે તમામ પાંચેય વિધાનસભા વિસ્તાર દીઠ ધરણાં પ્રદર્શન યોજવામાં આવનાર છે. શહેર ભાજપાની અખબારી યાદીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ મમતા બેનરજીની TMC પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ ના આગેવાનો/કાર્યકર્તાઓની ઉપર જીવલેણ હુમલાઓ કરી મારી નાખવામાં આવ્યાં છે. તેમના ઘરો પણ સળગાવી દેવામાં આવ્યાં છે. જેનો ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરે છે. અને તેના વિરોધ માં ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ક્યાં? કોની આગેવાનીમાં ધરણાં કરાશે?
માંજલપુર વિધાનસભા (સ્થળ - શ્રેયસ વિદ્યાલય,માંજલપુર નાકા ત્રણ રસ્તા)
અકોટા વિધાનસભા – (હેવમોર ચાર રસ્તા, દિવાલીપુરા, ઓલ્ડ પાદરા રોડ)
શહેર ભાજપ પ્રમુખ ડો વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે
રાષ્ટ્રીય સ્તરની પ્રસિદ્ધિ પામવા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરાં ઉડાડાશે?
એક તરફ રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 50 અને મરણ પ્રસંગમાં 20 જેટલાં સ્વજનને બોલાવવાની પરવાનગી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરે છે અને બીજી તરફ, ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હોય અને છતાં પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. એમાંય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તસવીરો પડાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ સ્હેજપણ પાળવામાં આવતું ના હોવાનું પણ જોવા મળે છે. ત્યારે આવતીકાલે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય તેવાં ધરણાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવશે કે કેમ? એ જોવાનું રહ્યું.