તોકતેની દહેશતના કારણે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફના વિવિધ હેડ ક્વાટરથી ટીમોને તટીય વિસ્તારોમાં બચાવ કામગીરી અર્થે મોકલી આપી
વડોદરા સહિત રાજ્યમાં વાવાઝોડાની દહેશતને સોમવાર અને મંગળવારના રોજ કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત
વેક્સીન લેવા માટે જો કોઇએ અગાઉથી સ્લોટ લીધા હોય તો તેને રદ્દ કરવામાં આવશે
WatchGujarat. રાજ્યના તટીય વિસ્તારોમાં તોકતે વાવાઝોડું અથડાવવાની દહેશતને પગલે સરકાર દ્વારા 17 – 18 મે ના રોજ વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત કરી છે. આ અંગેની જાણ રવિવારે મીડિયાને કરવામાં આવી હતી.
હાલ કોરોના રાજ્યભરમાં સુનામી બનીને સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેવા સમયે હવે તોકડે વાવાઝોડું રાજ્યના તટીય વિસ્તારોમાં અથડાવવાની દહેશત છે. તોકતેની દહેશતના કારણે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફના વિવિધ હેડ ક્વાટરથી ટીમોને તટીય વિસ્તારોમાં બચાવ કામગીરી અર્થે મોકલી આપી છે. અને તંત્ર દ્વાપા વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખીને અગમચેતીના ભાગ રૂપે તમામ કામગીરી કરી દીધી છે. તેવા સમયે હવે તોકતેની અસર રાજ્યભરમાં ચાલતા કોરોનાની વેક્સીનેશનના પ્રોગ્રામ પર પડી છે.
વિભાગીય સુત્રના જણાવ્યા પ્રમાણે, વડોદરા સહિત રાજ્યમાં વાવાઝોડાની દહેશતને પગલે 17 – 18 મે , સોમવાર અને મંગળવારના રોજ કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જો આ દિવસની કોઇએ અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હશે તો તેને રદ્દ કરવાની રહેશે.
તેની સાથે વેક્સીનેશનની કામગીરીમાં જોડાયેલા લોકોને સોમવાર અને મંગળવારના રોજ વેક્સીન આપવા માટેની સોફ્ટવેર આધારિત પ્રક્રિયા શરૂ નહિ કરવા માટે આદેશો અપાયા છે. જો કોઇએ અગાઉથી સ્લોટ લીધા હોય તો તેને રદ્દ કરવામાં આવશે.
આમ, વેક્સીનેશનની કામગીરી પર આડકતરી રીતે તોકતે વાવાઝોડાની અસર જોવા મળશે. કોરોના સામેની જંગ જીતવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ બાદ વેક્સીન અક્સિર ઇલાજ તરીકે સામે આવી રહી છે. બે દિવસના વિરામ બાદ પુરજોશમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવવું જોઇએ તેમ લોકોનું માનવું છે.
તોકતેની દહેશતના કારણે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફના વિવિધ હેડ ક્વાટરથી ટીમોને તટીય વિસ્તારોમાં બચાવ કામગીરી અર્થે મોકલી આપી
વડોદરા સહિત રાજ્યમાં વાવાઝોડાની દહેશતને સોમવાર અને મંગળવારના રોજ કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત
વેક્સીન લેવા માટે જો કોઇએ અગાઉથી સ્લોટ લીધા હોય તો તેને રદ્દ કરવામાં આવશે
WatchGujarat. રાજ્યના તટીય વિસ્તારોમાં તોકતે વાવાઝોડું અથડાવવાની દહેશતને પગલે સરકાર દ્વારા 17 – 18 મે ના રોજ વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત કરી છે. આ અંગેની જાણ રવિવારે મીડિયાને કરવામાં આવી હતી.
હાલ કોરોના રાજ્યભરમાં સુનામી બનીને સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેવા સમયે હવે તોકડે વાવાઝોડું રાજ્યના તટીય વિસ્તારોમાં અથડાવવાની દહેશત છે. તોકતેની દહેશતના કારણે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફના વિવિધ હેડ ક્વાટરથી ટીમોને તટીય વિસ્તારોમાં બચાવ કામગીરી અર્થે મોકલી આપી છે. અને તંત્ર દ્વાપા વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખીને અગમચેતીના ભાગ રૂપે તમામ કામગીરી કરી દીધી છે. તેવા સમયે હવે તોકતેની અસર રાજ્યભરમાં ચાલતા કોરોનાની વેક્સીનેશનના પ્રોગ્રામ પર પડી છે.
વિભાગીય સુત્રના જણાવ્યા પ્રમાણે, વડોદરા સહિત રાજ્યમાં વાવાઝોડાની દહેશતને પગલે 17 – 18 મે , સોમવાર અને મંગળવારના રોજ કોરોનાની વેક્સીન મુકવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જો આ દિવસની કોઇએ અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હશે તો તેને રદ્દ કરવાની રહેશે.
તેની સાથે વેક્સીનેશનની કામગીરીમાં જોડાયેલા લોકોને સોમવાર અને મંગળવારના રોજ વેક્સીન આપવા માટેની સોફ્ટવેર આધારિત પ્રક્રિયા શરૂ નહિ કરવા માટે આદેશો અપાયા છે. જો કોઇએ અગાઉથી સ્લોટ લીધા હોય તો તેને રદ્દ કરવામાં આવશે.
આમ, વેક્સીનેશનની કામગીરી પર આડકતરી રીતે તોકતે વાવાઝોડાની અસર જોવા મળશે. કોરોના સામેની જંગ જીતવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ બાદ વેક્સીન અક્સિર ઇલાજ તરીકે સામે આવી રહી છે. બે દિવસના વિરામ બાદ પુરજોશમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવવું જોઇએ તેમ લોકોનું માનવું છે.