શહેરી વિસ્તાર –બાપોદ, કિશનવાડી, સુદામાપુરી, આજવા રોડ, વારસિયા, ફતેગંજ, કારેલીબાગ,નવાપુરા, પાણીગેટ, નવાયાર્ડ, નિઝામપુરા, સમા, સિયાબાદ, દાંડિયાબજાર, એકતાનગર, અભિલાષા ચાર રસ્તા, છાણી, ગાજરાવાડી, વાઘોડિયા રોડ, યમુનામિલ, કપુરાઇ, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, ગોકુલનગર, વડસર.
ગ્રામ્ય –મંજુસર, તડીયાપુર, સંઘાસર, વરણામા, પોર, ભાદરવા, ઈંટોલા, પાંડુ, રાજનગર, લીમડી, પાદરા અર્બન, વડુ, ડબકા.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 376 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી શહેરમાં કોરોનાનો આંક 391 પર સ્થિર થયો હતો. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે શહેરની મુલાકાતે આવતા હોવાની અટકળો શરૂ થતા આજે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં 15 કેસોનો ઘટાડો નોંધાયો છે.
કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ડો. વિનોદ રાવનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર દ્વારા જે રીતે છેલ્લાં કેટલાય દિવસથી દિવસથી 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે છે એ જોતાં આગામી એકાદ સપ્તાહમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો સ્ફોટક સ્તરે પહોંચે તો નવાઇ નહિ.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,461 સેમ્પલમાંથી 376 કોરોના પોઝિટીવ અને 5,085 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,156 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 252પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,130 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,860 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 171 ઓક્સિજન પર અને 99 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 270 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 11 સરકારી હોસ્પિટલ ખાતેથી, 11 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 188 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 210 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 26,774 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,885 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,885 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 376 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી શહેરમાં કોરોનાનો આંક 391 પર સ્થિર થયો હતો. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે શહેરની મુલાકાતે આવતા હોવાની અટકળો શરૂ થતા આજે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં 15 કેસોનો ઘટાડો નોંધાયો છે.
કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ડો. વિનોદ રાવનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર દ્વારા જે રીતે છેલ્લાં કેટલાય દિવસથી દિવસથી 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે છે એ જોતાં આગામી એકાદ સપ્તાહમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો સ્ફોટક સ્તરે પહોંચે તો નવાઇ નહિ.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,461 સેમ્પલમાંથી 376 કોરોના પોઝિટીવ અને 5,085 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,156 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 252પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,130 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,860 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 171 ઓક્સિજન પર અને 99 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 270 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 11 સરકારી હોસ્પિટલ ખાતેથી, 11 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 188 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 210 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 26,774 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,885 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,885 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.