શહેરી વિસ્તાર – પાણીગેટ, રામદેવનગર, હરણી, સવાદ, આજવા રોડ, સુદામાપુરી, વાઘોડિયા રોડ, વારસીયા, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, લાલબાગ, એકતાનગર, ગાજરાવાડી, માંજલપુર, યમુનામીલ, માણેજા, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોકુલનગર, દિવાળીપુરા
ગ્રામ્ય – ડભોઇ અર્બન, પાદરા અર્બન, કરજણ અર્બન, ભાયલી, અંકોડિયા, ઉંડેરા, કોયલી, સોખડા, બાજવા, વરણામાં
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 353 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. જે રીતે રોજેરોજ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેમ જોતા પ્રતિદીન 500 કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થાય તે દિવસો દુર નથી.
કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ડો. વિનોદ રાવનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર દ્વારા જે રીતે છેલ્લાં 3 દિવસથી 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે છે એ જોતાં આગામી એકાદ સપ્તાહમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 500થી વધુ જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,512 સેમ્પલમાંથી 353 કોરોના પોઝિટીવ અને 5,159 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 27,998 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 249 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,572 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,300 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 169 ઓક્સિજન પર અને 103 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 272 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 09 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 151 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 26,177 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,995 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,995 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 353 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. જે રીતે રોજેરોજ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેમ જોતા પ્રતિદીન 500 કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થાય તે દિવસો દુર નથી.
કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ડો. વિનોદ રાવનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર દ્વારા જે રીતે છેલ્લાં 3 દિવસથી 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે છે એ જોતાં આગામી એકાદ સપ્તાહમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 500થી વધુ જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,512 સેમ્પલમાંથી 353 કોરોના પોઝિટીવ અને 5,159 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 27,998 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 249 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,572 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,300 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 169 ઓક્સિજન પર અને 103 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 272 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 09 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 151 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 26,177 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,995 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,995 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.