વિવાદાસ્પદ નિવેદનો કરવામાં માહેર મધુ શ્રીવાસ્તવ પોતે જવાબદાર પદ ધરાવે છે એનું સ્હેજેય ભાન છે, ખરું?
આચાર સંહિતા બોલતાં નથી આવડતું પણ શિસ્તબદ્ધ પાર્ટીના MLAએની ‘આચાર સાહેત’ ભંગ કરવાની ડંફાસ.
જાહેર સભામાં પ્રશ્ન પુછનાર વૃદ્ધ મતદાતા માટે મંચ પરથી મધુ શ્રીવાસ્તવે બેજવાબદાર નિવેદન કર્યા હોવાનો વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
Watch Gujarat. વિવાદમાં રહેવાં ટેવાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચુંટણીની તારીખ ખબર નથી અને મત માંગવા નિકળી પડ્યાં છે. શક્ય છે કે કોર્પોરેશનની ચૂંટણી જંગમાં પુત્રને ઉભો રાખવામાં સમર્થ ના રહેવાના કારણે એમના મગજમાં મતદાનની કોઈ ભળતી જ તારીખ ફિટ થઈ ગઈ હોય. અને તેથી જ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં મતદાનની તારીખ 28ને બદલે 22 બોલીને બફાટ કરી બેઠા હોય. મઝાની વાત તો એ છે કે આટલાં વર્ષોથી રાજકારણમાં રહેતાં મધુ શ્રીવાસ્તવને આજદીન સુધી આચાર સંહિતા બોલતાં આવડતું નથી અને છતાં એનો ભંગ કરશે એવું જાહેરમાં નિવેદન કરી રહ્યાં છે.
પોતાને શિસ્તબદ્ધ ગણાવતી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને છાશવારે વિવાદમાં સપડાઈ જવાની ફિતરત ધરાવતાં વાઘોડીયાના MLA મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય એ પૂર્વે વધુ એક વાર વાણી વિલાસ કરીને સોશિયલ મિડીયામાં ચમકી ઉઠ્યા છે.
તાજેતરની વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપા દ્વારા પુત્ર દિપકને ટિકીટ નહીં ફાળવતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છંછેડાયા હતાં. પક્ષની મરજી વિરુદ્ધ પોતાના પુત્રને અપક્ષ તરીકે ચૂંટણી જંગ લડાવવા તૈયાર પણ થઈ ગયા હતાં. જોકે, 3 સંતાનનો નિયમ આડે આવતાં મધુ શ્રીવાસ્તવના અરમાનો પર ટાઢું પાણી ફરી વળ્યું હતું.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માર્કેટ ચાર રસ્તા ખાતેની જાહેર સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માટે બે સારાં શબ્દો કહીને મામલો થાળે પડ્યો હોય તેવાં એંધાણ આપ્યા હતાં. જોકે, કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપા ઉમેદવારો માટે પ્રચાર કરવા મધુ શ્રીવાસ્તવ જાહેરમાં દેખાયા હોય એવી કોઈ ઘટના જાણવા મળી નહોતી.
ગત તા. 21મી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાયું અને 23મી તારીખે ભાજપાનો ઐતિહાસિક વિજય સાથેનું પરિણામ પણ આવી ગયું. હવે જ્યારે આગામી 28મી તારીખે જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ પુનઃ સોશિયલ મિડીયામાં ચમક્યો છે. ગઈ કાલે રાતની એક જાહેર સભામાં વૃદ્ધ મતદાર માટે જાહેર મંચ પરથી બેજવાબદાર નિવેદન કરતાં મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાઈરલ થયો છે.
https://youtu.be/iPlHewkwLjo
એ ઉપરાંત, આજનો એક વિડીયો વાઈરલ થયો છે જેમાં મતદારોને સંબોધતાં મધુ શ્રીવાસ્તવ કહી રહ્યાં છે કે, ‘આજે છેલ્લો દિવસ છે પ્રચારનો તોય હજી કાલનો દિવસ છે કાલે બી અમે ફરવાના છીએ. આચાર સાહેત બાચાર સાહેત એને પુછતો નથી હું...’
આચાર સંહિતાને આચાર સાહેત કહેનાર મધુ શ્રીવાસ્તવ મતદારોને માર્ગદર્શન આપવા આવ્યા હોવાની પણ ડંફાસ માર્યા બાદ જણાવે છે કે, ‘જૂના કાર્યકર્તાઓને હું વિનંતી કરવા આવ્યો છું ભલામણ કરવા આવ્યો છું... 22મી તારીખે... ચૂંટંણીના દિવસે પહેલાં વોટિંગ કરજો પછી ચા નાસ્તો કરજો’
સત્તાના નશામાં ચુંટણીની તારીખ પણ યાદ નહીં રાખનાર મધુ શ્રીવાસ્તવને કેટલાંક લોકોએ ટોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની ચમકી નહોતી કે પોતાનું નિવેદન સુધારે.
વિવાદાસ્પદ નિવેદનો કરવામાં માહેર મધુ શ્રીવાસ્તવ પોતે જવાબદાર પદ ધરાવે છે એનું સ્હેજેય ભાન છે, ખરું?
આચાર સંહિતા બોલતાં નથી આવડતું પણ શિસ્તબદ્ધ પાર્ટીના MLAએની ‘આચાર સાહેત’ ભંગ કરવાની ડંફાસ.
જાહેર સભામાં પ્રશ્ન પુછનાર વૃદ્ધ મતદાતા માટે મંચ પરથી મધુ શ્રીવાસ્તવે બેજવાબદાર નિવેદન કર્યા હોવાનો વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
Watch Gujarat. વિવાદમાં રહેવાં ટેવાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચુંટણીની તારીખ ખબર નથી અને મત માંગવા નિકળી પડ્યાં છે. શક્ય છે કે કોર્પોરેશનની ચૂંટણી જંગમાં પુત્રને ઉભો રાખવામાં સમર્થ ના રહેવાના કારણે એમના મગજમાં મતદાનની કોઈ ભળતી જ તારીખ ફિટ થઈ ગઈ હોય. અને તેથી જ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં મતદાનની તારીખ 28ને બદલે 22 બોલીને બફાટ કરી બેઠા હોય. મઝાની વાત તો એ છે કે આટલાં વર્ષોથી રાજકારણમાં રહેતાં મધુ શ્રીવાસ્તવને આજદીન સુધી આચાર સંહિતા બોલતાં આવડતું નથી અને છતાં એનો ભંગ કરશે એવું જાહેરમાં નિવેદન કરી રહ્યાં છે.
પોતાને શિસ્તબદ્ધ ગણાવતી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને છાશવારે વિવાદમાં સપડાઈ જવાની ફિતરત ધરાવતાં વાઘોડીયાના MLA મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય એ પૂર્વે વધુ એક વાર વાણી વિલાસ કરીને સોશિયલ મિડીયામાં ચમકી ઉઠ્યા છે.
તાજેતરની વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપા દ્વારા પુત્ર દિપકને ટિકીટ નહીં ફાળવતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છંછેડાયા હતાં. પક્ષની મરજી વિરુદ્ધ પોતાના પુત્રને અપક્ષ તરીકે ચૂંટણી જંગ લડાવવા તૈયાર પણ થઈ ગયા હતાં. જોકે, 3 સંતાનનો નિયમ આડે આવતાં મધુ શ્રીવાસ્તવના અરમાનો પર ટાઢું પાણી ફરી વળ્યું હતું.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માર્કેટ ચાર રસ્તા ખાતેની જાહેર સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માટે બે સારાં શબ્દો કહીને મામલો થાળે પડ્યો હોય તેવાં એંધાણ આપ્યા હતાં. જોકે, કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપા ઉમેદવારો માટે પ્રચાર કરવા મધુ શ્રીવાસ્તવ જાહેરમાં દેખાયા હોય એવી કોઈ ઘટના જાણવા મળી નહોતી.
ગત તા. 21મી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાયું અને 23મી તારીખે ભાજપાનો ઐતિહાસિક વિજય સાથેનું પરિણામ પણ આવી ગયું. હવે જ્યારે આગામી 28મી તારીખે જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ પુનઃ સોશિયલ મિડીયામાં ચમક્યો છે. ગઈ કાલે રાતની એક જાહેર સભામાં વૃદ્ધ મતદાર માટે જાહેર મંચ પરથી બેજવાબદાર નિવેદન કરતાં મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાઈરલ થયો છે.
એ ઉપરાંત, આજનો એક વિડીયો વાઈરલ થયો છે જેમાં મતદારોને સંબોધતાં મધુ શ્રીવાસ્તવ કહી રહ્યાં છે કે, ‘આજે છેલ્લો દિવસ છે પ્રચારનો તોય હજી કાલનો દિવસ છે કાલે બી અમે ફરવાના છીએ. આચાર સાહેત બાચાર સાહેત એને પુછતો નથી હું...’
આચાર સંહિતાને આચાર સાહેત કહેનાર મધુ શ્રીવાસ્તવ મતદારોને માર્ગદર્શન આપવા આવ્યા હોવાની પણ ડંફાસ માર્યા બાદ જણાવે છે કે, ‘જૂના કાર્યકર્તાઓને હું વિનંતી કરવા આવ્યો છું ભલામણ કરવા આવ્યો છું... 22મી તારીખે... ચૂંટંણીના દિવસે પહેલાં વોટિંગ કરજો પછી ચા નાસ્તો કરજો’
સત્તાના નશામાં ચુંટણીની તારીખ પણ યાદ નહીં રાખનાર મધુ શ્રીવાસ્તવને કેટલાંક લોકોએ ટોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની ચમકી નહોતી કે પોતાનું નિવેદન સુધારે.