માર્કેટ ચાર રસ્તા ખાતે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરાયું.
ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં 145 જેટલાં લોકોની ધરપકડ.
વડોદરા. ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષિય યુવતિ પર બળાત્કારની ઘટનામાં પીડિત પરિવારને મળવા ગયેલાં રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતાં.
બે દિવસ પહેલા હાથરસમાં ૧૯ વર્ષની નાની દીકરી પર બળાત્કાર કરી તેની જોડે અત્યાચાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ સમગ્ર પ્રકરણમાં ઉત્તરપ્રદેશ પોલીસે નાની દીકરી ના શવને પરિવાર જનોને બંધક બનાવીને પેટ્રોલ અને ઘાસ વડે સળગાવી દીધી હતી. આજે પીડિત પરીવારને મળવા ગયેલાં રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા અટક કરાઈ હતી.
ઘટનાના વિરોધમાં આજે સાંજે 5 વાગ્યે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશની યોગી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા સાથે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેને પગલે નવાપુરા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી.
ત્યારબાદ સાંજે 7.30 કલાકે ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કોર્પોરેટર અનિલ પરમાર, અજય સટીયા, મુકેશ વાઘેલા સહિત 145 લોકોની ધરપકડ કરાઈ હતી.
માર્કેટ ચાર રસ્તા ખાતે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરાયું.
ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં 145 જેટલાં લોકોની ધરપકડ.
વડોદરા. ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષિય યુવતિ પર બળાત્કારની ઘટનામાં પીડિત પરિવારને મળવા ગયેલાં રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતાં.
બે દિવસ પહેલા હાથરસમાં ૧૯ વર્ષની નાની દીકરી પર બળાત્કાર કરી તેની જોડે અત્યાચાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ સમગ્ર પ્રકરણમાં ઉત્તરપ્રદેશ પોલીસે નાની દીકરી ના શવને પરિવાર જનોને બંધક બનાવીને પેટ્રોલ અને ઘાસ વડે સળગાવી દીધી હતી. આજે પીડિત પરીવારને મળવા ગયેલાં રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા અટક કરાઈ હતી.
ઘટનાના વિરોધમાં આજે સાંજે 5 વાગ્યે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશની યોગી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા સાથે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેને પગલે નવાપુરા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી.
ત્યારબાદ સાંજે 7.30 કલાકે ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કોર્પોરેટર અનિલ પરમાર, અજય સટીયા, મુકેશ વાઘેલા સહિત 145 લોકોની ધરપકડ કરાઈ હતી.