આગામી સમયમાં આવનાર દિવાળીની તૈયારીઓ શરૂ કરી, ફટાકડા સ્ટોલ માટે જાહેર માધ્યમોમાં પ્લોટની હરાજી જાહેર કરાઇ
19 પ્લોટ પર ફટાકડા સ્ટોર ઉભા કરવા માટેની પુર્વતૈયારીઓ શરૂ
સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ના કરતા આડકરતો સંદેશ છત્તા પાલીકા દ્વારા તહેવારોને પ્રોત્સાહન અપાવાનો કારસો
વડોદરા. શહેરમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે અને રોજે રોજ લોકો કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે. તેમજ શંકાસ્પદ કોરોના માં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત નો આંકડો પણ ચિંતાજનક છે. આ પરિસ્થિતિ માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની છે પરિણામે રાજ્ય સરકાર દ્વારા તમામ તહેવારો સાદગીથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ તહેવારો ની જાહેર સ્થળો પર ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફટાકડા સ્ટોલ માટેના પ્લોટની હરાજી જાહેર કરાતા વિવાદ સર્જાયો છે.
હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે 15 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે
પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ પર હંગામી ધોરણે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ ઊભા કરવા જગ્યા ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે જાહેર હરાજી કરાશે. હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે અરજી કરવાની છેલ્લી 15 ઓક્ટોબર છે. 21 ઓક્ટોબરે હરાજી કરાશે. કોર્પોરેશનના 19 પ્લોટ પર ફટાકડાના સ્ટોલ ઉભા કરાશે. આ પ્લોટ ગોરવા, કારેલીબાગ, અયપ્પા ગ્રાઉન્ડ, હરિધામ ફ્લેટ સામે અમરનાથ પુરમ પાસે, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, સમા-સાવલી રોડ, સુભાનપુરા રેવા પાર્ક, ગરબા ગ્રાઉન્ડ, વિજયનગર પાસે હરણી ન્યૂ સમા રોડ, સીતાબાગ, છાણી, જકાતનાકા પાસે સહિતના સ્થળ છે.
હરાજી જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
ચાલુ વર્ષે કોરોનાને કારણે શહેરીજનો કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં પાલિકાની આ હરાજીએ વિવાદ ઉભો કર્યો છે. કોરોનાની ગંભીરતાને જોતા સરકારે તહેવારોને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. તો સરકારે ઉજવણી સંદર્ભે ફટાકડાના સ્ટોલ માટે હરાજી જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- આગામી સમયમાં આવનાર દિવાળીની તૈયારીઓ શરૂ કરી, ફટાકડા સ્ટોલ માટે જાહેર માધ્યમોમાં પ્લોટની હરાજી જાહેર કરાઇ
- 19 પ્લોટ પર ફટાકડા સ્ટોર ઉભા કરવા માટેની પુર્વતૈયારીઓ શરૂ
- સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ના કરતા આડકરતો સંદેશ છત્તા પાલીકા દ્વારા તહેવારોને પ્રોત્સાહન અપાવાનો કારસો
વડોદરા. શહેરમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે અને રોજે રોજ લોકો કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે. તેમજ શંકાસ્પદ કોરોના માં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત નો આંકડો પણ ચિંતાજનક છે. આ પરિસ્થિતિ માત્ર વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની છે પરિણામે રાજ્ય સરકાર દ્વારા તમામ તહેવારો સાદગીથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ તહેવારો ની જાહેર સ્થળો પર ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફટાકડા સ્ટોલ માટેના પ્લોટની હરાજી જાહેર કરાતા વિવાદ સર્જાયો છે.
હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે 15 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે
પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ પર હંગામી ધોરણે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ ઊભા કરવા જગ્યા ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે જાહેર હરાજી કરાશે. હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટ સાથે અરજી કરવાની છેલ્લી 15 ઓક્ટોબર છે. 21 ઓક્ટોબરે હરાજી કરાશે. કોર્પોરેશનના 19 પ્લોટ પર ફટાકડાના સ્ટોલ ઉભા કરાશે. આ પ્લોટ ગોરવા, કારેલીબાગ, અયપ્પા ગ્રાઉન્ડ, હરિધામ ફ્લેટ સામે અમરનાથ પુરમ પાસે, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, સમા-સાવલી રોડ, સુભાનપુરા રેવા પાર્ક, ગરબા ગ્રાઉન્ડ, વિજયનગર પાસે હરણી ન્યૂ સમા રોડ, સીતાબાગ, છાણી, જકાતનાકા પાસે સહિતના સ્થળ છે.
હરાજી જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
ચાલુ વર્ષે કોરોનાને કારણે શહેરીજનો કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં પાલિકાની આ હરાજીએ વિવાદ ઉભો કર્યો છે. કોરોનાની ગંભીરતાને જોતા સરકારે તહેવારોને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. તો સરકારે ઉજવણી સંદર્ભે ફટાકડાના સ્ટોલ માટે હરાજી જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.