એમ.એસ.યુનિ. દ્વારા ફાઇનલ ઓનલાઇન એક્ઝામ લેતા પહેલા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે
બુધવારે એમ.કોમ પ્રિવીયસ, એમ.એ, સહિતના વિદ્યાર્થીઓની ઓનલાઇન મોકટેસ્ટમાં ભગવાન રામના પુત્રનું નામ સહિતના સવાલો પુછવામાં આવ્યા
મોકટેસ્ટમાં વિદ્યાર્થીઓને કોર્ષની બહારના તમામ સવાલો પુછાતા મોક ટેસ્ટ સામાન્ય જ્ઞાનનો આપતા હોવાનો અહેસાસ થયો હતો.
રામાયણ કાળના પ્રશ્નોની સાથે વિદ્યાર્થીઓને પાના રમવાની કેટમાં કેટલા પત્તા આવે, 2 નંબર એકી સંખ્યા ગણાય કે બેકી સંખ્યા સહિતના કોર્ષ બહારના સવાલો પુછામાં આવ્યા હતા.
વડોદરા. મધ્ય ગુજરાતની સાૈથી મોટી અને મહત્વનું સ્થાન ધરાવતી એમ.એસ.યુનિ.માં ફાઇનલ ઓનલાઇન એક્ઝામ લેતા પહેલા મોક ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. બુધવારે યોજાયેલા મોક ટેસ્ટમાં એમ.કોમ પ્રિવીયસ સહિતના વિદ્યાર્થીઓને મોકટેસ્ટમાં ભગવાન રામના પુત્રનું નામ સહિત રામાયણ કાળના અનેક સવાલો પુછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોમર્સ, એકાઉન્ટીંગ સહિતના કોર્ષના પ્રશ્નોની જગ્યાએ બહારના વિષયોના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. મોક ટેસ્ટના તમામ પ્રશ્નો કોર્ષની બહાર પુછાતા વિદ્યાર્થીઓમાં કુતુહલ સર્જાયું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બુધવારે ત્રીજા તબક્કાના મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 4,215 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બુધવારે યોજાયેલા મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ભગવાન રામના પુત્રનું નામ, નંબર 2 એકી સંખ્યા તરીકે ગણાય કે બેકી સંખ્યા, પાના રમવાની કેટમાં કેટલા પત્તા, લીપ યરમાં ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો આવે જેવા અલગ-અલગ સવાલો પુછવામાં આવ્યા હતા.
મોટાભાગના સવાલો રામાયણ કાળના હતા. તમામ સવાલો કોર્ષની બહારના હોવાને કારણે માસ્ટર્સ કોર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાનની પરિક્ષા આપી રહ્યા હોય તેવું અનુભવાઇ રહ્યું હતું. યુનિ. તંત્ર દ્વારા સફળતા પુર્વક મોક ટેસ્ટ લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મોક ટેસ્ટની સફળતા બાદ યુનિ. તંત્ર ઓનલાઇન એક્ઝામ લેવાની દિશામાં કામ આગળ ઘપાવશે.
એમ.એસ.યુનિ. દ્વારા ફાઇનલ ઓનલાઇન એક્ઝામ લેતા પહેલા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે
બુધવારે એમ.કોમ પ્રિવીયસ, એમ.એ, સહિતના વિદ્યાર્થીઓની ઓનલાઇન મોકટેસ્ટમાં ભગવાન રામના પુત્રનું નામ સહિતના સવાલો પુછવામાં આવ્યા
મોકટેસ્ટમાં વિદ્યાર્થીઓને કોર્ષની બહારના તમામ સવાલો પુછાતા મોક ટેસ્ટ સામાન્ય જ્ઞાનનો આપતા હોવાનો અહેસાસ થયો હતો.
રામાયણ કાળના પ્રશ્નોની સાથે વિદ્યાર્થીઓને પાના રમવાની કેટમાં કેટલા પત્તા આવે, 2 નંબર એકી સંખ્યા ગણાય કે બેકી સંખ્યા સહિતના કોર્ષ બહારના સવાલો પુછામાં આવ્યા હતા.
વડોદરા. મધ્ય ગુજરાતની સાૈથી મોટી અને મહત્વનું સ્થાન ધરાવતી એમ.એસ.યુનિ.માં ફાઇનલ ઓનલાઇન એક્ઝામ લેતા પહેલા મોક ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. બુધવારે યોજાયેલા મોક ટેસ્ટમાં એમ.કોમ પ્રિવીયસ સહિતના વિદ્યાર્થીઓને મોકટેસ્ટમાં ભગવાન રામના પુત્રનું નામ સહિત રામાયણ કાળના અનેક સવાલો પુછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોમર્સ, એકાઉન્ટીંગ સહિતના કોર્ષના પ્રશ્નોની જગ્યાએ બહારના વિષયોના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. મોક ટેસ્ટના તમામ પ્રશ્નો કોર્ષની બહાર પુછાતા વિદ્યાર્થીઓમાં કુતુહલ સર્જાયું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બુધવારે ત્રીજા તબક્કાના મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 4,215 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બુધવારે યોજાયેલા મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ભગવાન રામના પુત્રનું નામ, નંબર 2 એકી સંખ્યા તરીકે ગણાય કે બેકી સંખ્યા, પાના રમવાની કેટમાં કેટલા પત્તા, લીપ યરમાં ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો આવે જેવા અલગ-અલગ સવાલો પુછવામાં આવ્યા હતા.
મોટાભાગના સવાલો રામાયણ કાળના હતા. તમામ સવાલો કોર્ષની બહારના હોવાને કારણે માસ્ટર્સ કોર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાનની પરિક્ષા આપી રહ્યા હોય તેવું અનુભવાઇ રહ્યું હતું. યુનિ. તંત્ર દ્વારા સફળતા પુર્વક મોક ટેસ્ટ લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મોક ટેસ્ટની સફળતા બાદ યુનિ. તંત્ર ઓનલાઇન એક્ઝામ લેવાની દિશામાં કામ આગળ ઘપાવશે.