સરદાર જ્યંતી પેહલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા મેગા ડ્રાઈવ
9 દિવસ સુધી 3 વખત RT PCR અથવા રેપીટ એન્ટીજન ટેસ્ટનું આયોજન
5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની માંગ
સરદાર જ્યંતી એ SOU ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા આસપાસના લોકો સહિત 18000 લોકોના ફરી કોવિડ ટેસ્ટ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર જ્યંતીએ કેવડિયા ખાતે SOU માં એકતા દિવસની ઉજવણી કરશે. 31 ઓક્ટોબર 2018 ના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું.
દર વર્ષની જેમ આ વખતે પણ 31 મી ઓક્ટોબરના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. PM મોદીની સુરક્ષા માટે નર્મદા, ભરૂચ, વડોદરા રૂરલ અને છોટાઉદેપુર જિલ્લા કેવડિયા ખાતે 5 થી 6 હજાર પોલીસનો કાફલો ઉતારી દેવાશે.
કેવડિયા ખાતે PMO ના અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બેઠકોનો દોર પણ આરંભી દીધો છે. રાષ્ટ્રીય એકતા દિવસને સફળ બનાવવા નર્મદા કલેકટર દ્વારા વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે.
કોરોના મહામારીને પગલે મોદીના આગમન પેહલા SOU વિસ્તારને કોરોના ફ્રી કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ત્યાં સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, તો 20 થી 28 ઓક્ટોબર સુધીમાં આશરે 18,000 લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું પણ આયોજન હાથ ધરાયુ છે.
આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે નર્મદા જિલ્લા લેપ્રસિ અધિકારી ડો.એન.સી.વેકરિયાની નિમણૂક કરાઈ છે. PM મોદીના આગમન પેહલા તમામનો કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે.
સ્ટાફ નર્સ સહિત આરોગ્ય કર્મીઓની 16 ટિમ બનાવી
તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટિમો બનાવી છે. પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મચારીઓ હશે.જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝિંગ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટિમો તથા કેવડિયા ખાતે કુલ 10 ટિમો મળી જિલ્લામાં કુલ 16 ટિમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરશે.
- સરદાર જ્યંતી પેહલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા મેગા ડ્રાઈવ
- 9 દિવસ સુધી 3 વખત RT PCR અથવા રેપીટ એન્ટીજન ટેસ્ટનું આયોજન
- 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની માંગ
સરદાર જ્યંતી એ SOU ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા આસપાસના લોકો સહિત 18000 લોકોના ફરી કોવિડ ટેસ્ટ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર જ્યંતીએ કેવડિયા ખાતે SOU માં એકતા દિવસની ઉજવણી કરશે. 31 ઓક્ટોબર 2018 ના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું.
દર વર્ષની જેમ આ વખતે પણ 31 મી ઓક્ટોબરના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. PM મોદીની સુરક્ષા માટે નર્મદા, ભરૂચ, વડોદરા રૂરલ અને છોટાઉદેપુર જિલ્લા કેવડિયા ખાતે 5 થી 6 હજાર પોલીસનો કાફલો ઉતારી દેવાશે.
કેવડિયા ખાતે PMO ના અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બેઠકોનો દોર પણ આરંભી દીધો છે. રાષ્ટ્રીય એકતા દિવસને સફળ બનાવવા નર્મદા કલેકટર દ્વારા વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે.
કોરોના મહામારીને પગલે મોદીના આગમન પેહલા SOU વિસ્તારને કોરોના ફ્રી કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ત્યાં સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, તો 20 થી 28 ઓક્ટોબર સુધીમાં આશરે 18,000 લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું પણ આયોજન હાથ ધરાયુ છે.
આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે નર્મદા જિલ્લા લેપ્રસિ અધિકારી ડો.એન.સી.વેકરિયાની નિમણૂક કરાઈ છે. PM મોદીના આગમન પેહલા તમામનો કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે.
સ્ટાફ નર્સ સહિત આરોગ્ય કર્મીઓની 16 ટિમ બનાવી
તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટિમો બનાવી છે. પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મચારીઓ હશે.જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝિંગ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટિમો તથા કેવડિયા ખાતે કુલ 10 ટિમો મળી જિલ્લામાં કુલ 16 ટિમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરશે.