કંપનીના ઓઇલ યુક્ત પાણી ખેતરમાં ધુસી જતા ઉભા પાકને નુકશાન, વળતર ચુકવવા અરજ
ખેડુતોની મહામહેનત કંપનીના લીકેજના કારણે કોહવાઇ ગઇ
ત્રણે કંપનીઓએ ખેડુતોને ત્વરીત રાહત પહોંચાડવાના પ્રયાસો કરવા જોઇએ- કુ.જોગેશ્વરી મહારાઉલ
વડોદરા. છેલ્લા વીસ દિવસથી ગુજરાત રિફાઈનરીથી કોયલી તરફ જવાના રસ્તા પર ઓએનજીસીના પોઇન્ટમાંથી ઓઇલ યુક્ત પાણી નીકળીને ખૂબ જ મોટા પ્રમાણમાં કોયલી તથા બાજવા ગામની હદ વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યું હતુ. ખેતરમાં ઓયલ યુક્ત પાણી ફરી વળવાના કારણે 20 જેટલા ખેડૂતોના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ખેડૂતોનો ઉભો પાક પાણીના ફળી વળવાથી કોહવાઈ જતા પાક નિષ્ફળ નિવડ્યો હતો.
રિફાઇનરીના સત્તાધીશ તથા ઓએનજીસીના સત્તાધીશો સાથે ચર્ચા બાદ ભંગાણ સર્જાયું હતું, તેની તપાસ કરતાં લાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની હોવાનું બહાર આવ્યું છે.જેથી તાબડતોડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાણ કરાતા તેઓ દ્વારા આ તૂટી ગયેલ લાઈનનું રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું.
ઉપરાંત ગુજરાત રિફાઇનરીના ગ્રીન બેલ્ટ માંથી વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી ઓએનજીસીના પોઇન્ટમાં થઈને નાળા મારફતે બાજવા તથા કોયલી ગામના હદ વિસ્તારના ખેતરોમાં પ્રવેશી મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તૂટી ગયેલ લાઇનમાંથી પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી ઓએનજીસી પોઇન્ટમાં થઈને ઓઇલ યુક્ત થતું હતું અને ત્યારબાદ એક ખુલ્લી કાંસ મારફતે સીધું કોયલી બાજવાના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફળી વળવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.
ગુજરાત રિફાઇનરી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારી કારણે કોયલી બાજવા રોડ ઉપર આવેલા ૨૦ જેટલા ખેડૂતોના ખેતરમાં વિપુલ પ્રમાણમાં ઓઇલ યુક્ત પાણી ઘુસી જતા પાણી લોગજામ થયો હતો. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોવાથી જેના કારણે ઓધોગિક એકમોને વળતર આપવા જાણ કરી હતી. તેમ છતાં આ ઉદ્યોગ એકમો દ્વારા ખેડૂતોને કોઇ મદદ કરવામાં આવી ન હતી. સમગ્ર બાબતે કલેકટર-વડોદરા તેમજ વિરોધ પ્રદર્શન કરી સત્તાધિશોને જગાડવા નો પ્રયત્ન કરેલ તેમ છતાં નિરાકરણ ન આવતા આ બાબતે કોયલી તેમજ બાજવા ગ્રામ પંચાયત તલાટીને લેખિત રજુઆત આપી હતી. ખેડૂતોને થયેલ નુકસાન બાબતે સંબંધિત સત્તાધીશો દ્વારા ધોરણસર નું સર્વે કરવા માટે સામાજિક કાર્યકર તથા કામદાર નેતા કુ.જોગેશ્વરી મહારાઉલ ની આગેવાનીમાં પીડિત ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા. છેલ્લા વીસ દિવસથી ગુજરાત રિફાઈનરીથી કોયલી તરફ જવાના રસ્તા પર ઓએનજીસીના પોઇન્ટમાંથી ઓઇલ યુક્ત પાણી નીકળીને ખૂબ જ મોટા પ્રમાણમાં કોયલી તથા બાજવા ગામની હદ વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યું હતુ. ખેતરમાં ઓયલ યુક્ત પાણી ફરી વળવાના કારણે 20 જેટલા ખેડૂતોના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ખેડૂતોનો ઉભો પાક પાણીના ફળી વળવાથી કોહવાઈ જતા પાક નિષ્ફળ નિવડ્યો હતો.
રિફાઇનરીના સત્તાધીશ તથા ઓએનજીસીના સત્તાધીશો સાથે ચર્ચા બાદ ભંગાણ સર્જાયું હતું, તેની તપાસ કરતાં લાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની હોવાનું બહાર આવ્યું છે.જેથી તાબડતોડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાણ કરાતા તેઓ દ્વારા આ તૂટી ગયેલ લાઈનનું રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું.
ઉપરાંત ગુજરાત રિફાઇનરીના ગ્રીન બેલ્ટ માંથી વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી ઓએનજીસીના પોઇન્ટમાં થઈને નાળા મારફતે બાજવા તથા કોયલી ગામના હદ વિસ્તારના ખેતરોમાં પ્રવેશી મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તૂટી ગયેલ લાઇનમાંથી પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી ઓએનજીસી પોઇન્ટમાં થઈને ઓઇલ યુક્ત થતું હતું અને ત્યારબાદ એક ખુલ્લી કાંસ મારફતે સીધું કોયલી બાજવાના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફળી વળવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.
ગુજરાત રિફાઇનરી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેદરકારી કારણે કોયલી બાજવા રોડ ઉપર આવેલા ૨૦ જેટલા ખેડૂતોના ખેતરમાં વિપુલ પ્રમાણમાં ઓઇલ યુક્ત પાણી ઘુસી જતા પાણી લોગજામ થયો હતો. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોવાથી જેના કારણે ઓધોગિક એકમોને વળતર આપવા જાણ કરી હતી. તેમ છતાં આ ઉદ્યોગ એકમો દ્વારા ખેડૂતોને કોઇ મદદ કરવામાં આવી ન હતી. સમગ્ર બાબતે કલેકટર-વડોદરા તેમજ વિરોધ પ્રદર્શન કરી સત્તાધિશોને જગાડવા નો પ્રયત્ન કરેલ તેમ છતાં નિરાકરણ ન આવતા આ બાબતે કોયલી તેમજ બાજવા ગ્રામ પંચાયત તલાટીને લેખિત રજુઆત આપી હતી. ખેડૂતોને થયેલ નુકસાન બાબતે સંબંધિત સત્તાધીશો દ્વારા ધોરણસર નું સર્વે કરવા માટે સામાજિક કાર્યકર તથા કામદાર નેતા કુ.જોગેશ્વરી મહારાઉલ ની આગેવાનીમાં પીડિત ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.