ખેતરોમાં કંપનીના ઓઇલ ઘુસી આવતા પાકને નુકશાન, ખેડુતોએ ચોમાસમાં રડવાનો વારો આવ્યો
અગ્રણી જોગેશ્વરી મહારાઉલ દ્વારા સ્થળ પર પહોંચી ખેડુતોની સમસ્યાનો અવાજ કંપની સત્તાધીશો સુધી પહોંચાડ્યો
IOCL. રીફાનયરી અને રિલાયન્સ કંપનીની વિવિધ પાઇપાલાઇન વિસ્તારમાંથી પસાર થઇ રહી છે
18 જેટલા ખેડુતોના મકાઇ, બાજરી, તથા અન્ય શાકભાજીના પાક પર ઓઇલ ફરી વળ્યું
મોડે મોડે કંપની દ્વારા ખેડુતોનો દુશ્મન બની બેઠેલા લીકેજની ભાળ મેળવવા માણસો અને મશીન કામે લગાડ્યા
વડોદરા. શહેરના છેવાડે IOCL. રીફાઇનરી અને રીલાયન્સ કંપની દ્વારા સંચાલિત પાઇપ લાઇન જઇ રહી છે. જેમાંથી કોઇ એક લાઇનમાં ભંગાણ પડવાને કારણે પાણી ઓઇલ મિશ્રીત થઇને કોયલી જવાના રસ્તાની બાજુમાં આવેલા ખેતરો સુધી પહોંચ્યું હતું. જેને કારણે વરસાદને કારણે સારી ખેતીથી ખુશ થવાની જગ્યાએ ખેડુતોએ રડવાનો વારો આવ્યો છે.
મંગળવારે કોયલી તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલા ખેતરોમાં ઓઇલ મિશ્રીત પાણી આવી જવાને કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે છેલ્લા કેટલાય દિવસથી ખેતરમાં ઓઇલ મિશ્રીત પાણી આવવાને કારણે ખેતીના મકાઇ, બાજરી તથા અન્ય શાકભાજીની વાવણી કરતા ખેડુતોને સારો પાક ગુમાવવાનો વારો આવ્યો હતો. ખેડુતોની સમસ્યાનો અવાજ વિસ્તારના યુવા અગ્રણી જોગેશ્વરી મહારાઉલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જોગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે, ત્રણ કંપનીની પાઇપલાઇન વિસ્તારમાંથી પસાર થઇ રહી છે. જેને કારણે ત્રણે કંપનીઓએ સંયુક્ત રીતે જવાબદારી ઉપાડીને ખેડુતોના પાકના નુકશાનની ભરપાઇ કરવી જોઇએ. કંપની સત્તાધીશોને લીકેજ ની જાણકારી થતાની સાથે માણસો અને મશીન કામે લગાડ્યા હતા.
ખેતરોમાં કંપનીના ઓઇલ ઘુસી આવતા પાકને નુકશાન, ખેડુતોએ ચોમાસમાં રડવાનો વારો આવ્યો
અગ્રણી જોગેશ્વરી મહારાઉલ દ્વારા સ્થળ પર પહોંચી ખેડુતોની સમસ્યાનો અવાજ કંપની સત્તાધીશો સુધી પહોંચાડ્યો
IOCL. રીફાનયરી અને રિલાયન્સ કંપનીની વિવિધ પાઇપાલાઇન વિસ્તારમાંથી પસાર થઇ રહી છે
18 જેટલા ખેડુતોના મકાઇ, બાજરી, તથા અન્ય શાકભાજીના પાક પર ઓઇલ ફરી વળ્યું
મોડે મોડે કંપની દ્વારા ખેડુતોનો દુશ્મન બની બેઠેલા લીકેજની ભાળ મેળવવા માણસો અને મશીન કામે લગાડ્યા
વડોદરા. શહેરના છેવાડે IOCL. રીફાઇનરી અને રીલાયન્સ કંપની દ્વારા સંચાલિત પાઇપ લાઇન જઇ રહી છે. જેમાંથી કોઇ એક લાઇનમાં ભંગાણ પડવાને કારણે પાણી ઓઇલ મિશ્રીત થઇને કોયલી જવાના રસ્તાની બાજુમાં આવેલા ખેતરો સુધી પહોંચ્યું હતું. જેને કારણે વરસાદને કારણે સારી ખેતીથી ખુશ થવાની જગ્યાએ ખેડુતોએ રડવાનો વારો આવ્યો છે.
મંગળવારે કોયલી તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલા ખેતરોમાં ઓઇલ મિશ્રીત પાણી આવી જવાને કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે છેલ્લા કેટલાય દિવસથી ખેતરમાં ઓઇલ મિશ્રીત પાણી આવવાને કારણે ખેતીના મકાઇ, બાજરી તથા અન્ય શાકભાજીની વાવણી કરતા ખેડુતોને સારો પાક ગુમાવવાનો વારો આવ્યો હતો. ખેડુતોની સમસ્યાનો અવાજ વિસ્તારના યુવા અગ્રણી જોગેશ્વરી મહારાઉલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જોગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે, ત્રણ કંપનીની પાઇપલાઇન વિસ્તારમાંથી પસાર થઇ રહી છે. જેને કારણે ત્રણે કંપનીઓએ સંયુક્ત રીતે જવાબદારી ઉપાડીને ખેડુતોના પાકના નુકશાનની ભરપાઇ કરવી જોઇએ. કંપની સત્તાધીશોને લીકેજ ની જાણકારી થતાની સાથે માણસો અને મશીન કામે લગાડ્યા હતા.