કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- દંતેશ્વર, અટલાદરા, વડસર, અકોટા, વારસીયા રોડ, હરણી રોડ, તરસાલી, સમા, માણેજા, કારેલીબાગ, નવાપુરા, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, તાંદલજા, કિશનવાડી, બાપોદ, શિયાબાદ, ઓ.પી. રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા
ગ્રામ્યઃ- કરોડિયા, જરોદ, સાવલી, ડભોઇ, પાદરા, કરજણ, રણોલી, ઉંડેરા, શેરખી, સેવાસી, શિનોર, પોર, ભાયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 116 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,409 સેમ્પલમાંથી 116 કોરોના પોઝિટીવ અને 4,293 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,033 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 199 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,644 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,414 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 74 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 250 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 14 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 79 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,170 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,821 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,823 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 116 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,409 સેમ્પલમાંથી 116 કોરોના પોઝિટીવ અને 4,293 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,033 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 199 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,644 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,414 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 74 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 250 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 14 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 79 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,170 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,821 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,823 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.