પરિણીતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય તેવુ જણાવતા
ઘરનો માલીક હું છું તેવો અહેસાસ કરાવતા, અને કહેતા કે આભાર માન તને બે ટંકનું જમવાનું મળે છે.
વડોદરા. વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસુ-સસરા અને પતિ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી, અપશબ્દો બોલીને ઝઘડો કરી મારી સાથે મારઝૂડ કરતા હતા. મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેનાં કપડાં ઉપર મૂકી દેતાં હતાં. મેં આ અંગે મારી સાસુને કહેતાં તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં.
ઝગડો થતા પતિએ પત્નીને અઠવાડીયામાં એક દિવસ નાહવા જવાવી સલાહ આપી
વાડી તાઇવાડામાં પરિણીતા ફાતેમા (નામ બદલ્યું છે) તેના પતિ વસીમ અબ્દુલ રહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલ રહીમ જંબુસરવાલા, સાસુ મરિયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. આતિફાને તેનાં સાસુ-સસરા અને પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને તેમણે મને અપશબ્દો બોલીને મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારઝૂડ કરી હતી. મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેનાં કપડાં ઉપર મૂકી દેતા હતા. મેં મારી સાસુને કહેતાં તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ તમામ હકીકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા. મારા પતિ મને અઠવાડિયામાં એકવાર નાહવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે. મારા દીકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.
સસરા કહેતા, હું ઘરનો માલિક છું, ના રહેવું હોય તો ઘરમાંથી નીકળી જા
હું મારા દીકરાને ઉંઘાડતી ત્યારે મારા સાસુ-સસરા પંખો બંધ કરી દેતા, જેથી દીકરો ઊંઘમાંથી ઊઠી જતો. મારાં સાસુ-સસરા મને જણાવતા હતા કે શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. હું જમવાનું બનાવું એમાં મારાં સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકીકત હું મારા પતિ અને સસરાને જણાવું ત્યારે તેઓ કહેતા હતા કે હું આ ઘરનો માલિક છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો આ ઘરમાંથી નીકળી જા, એમ કહીને મારા દીકરાને પણ માર મારતા હતા અને પૂરું ખાવાનું પણ આપતા નહોતા. કંઇ પણ કહેવા જઉં તો કહેતા કે આભાર માન કે તારા દીકરાને ખાવાનું મળે છે.
મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવા છત્તા તેઓ પણ હેરાન કરતા
હું બપોરે મારા દીકરા સાથે ઊંઘું તો કહેતા કે અત્યારે અમારે આરામ કરવાનો સમય છે. તું તારી માના ઘરે જતી રહે. મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ પણ હેરાન કરતા હતા. આ અંગે મેં 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યારે મારા પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે મારો ભાઇ અને પિતા હવે તને હેરાન નહીં કરે. આ સમયે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યાર બાદ સમાધાન કર્યું હતું. જોકે ત્યાર બાદ પણ મારાં સાસુ-સસરા અને પતિ અવારનવાર કોઇ ને કોઇ બહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી મેં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે અને મારા દિયરની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી કરાવવા માગતી નથી.
- પરિણીતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
- રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય તેવુ જણાવતા
- ઘરનો માલીક હું છું તેવો અહેસાસ કરાવતા, અને કહેતા કે આભાર માન તને બે ટંકનું જમવાનું મળે છે.
વડોદરા. વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસુ-સસરા અને પતિ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી, અપશબ્દો બોલીને ઝઘડો કરી મારી સાથે મારઝૂડ કરતા હતા. મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેનાં કપડાં ઉપર મૂકી દેતાં હતાં. મેં આ અંગે મારી સાસુને કહેતાં તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં.
ઝગડો થતા પતિએ પત્નીને અઠવાડીયામાં એક દિવસ નાહવા જવાવી સલાહ આપી
વાડી તાઇવાડામાં પરિણીતા ફાતેમા (નામ બદલ્યું છે) તેના પતિ વસીમ અબ્દુલ રહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલ રહીમ જંબુસરવાલા, સાસુ મરિયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. આતિફાને તેનાં સાસુ-સસરા અને પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને તેમણે મને અપશબ્દો બોલીને મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારઝૂડ કરી હતી. મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેનાં કપડાં ઉપર મૂકી દેતા હતા. મેં મારી સાસુને કહેતાં તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ તમામ હકીકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા. મારા પતિ મને અઠવાડિયામાં એકવાર નાહવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે. મારા દીકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.
સસરા કહેતા, હું ઘરનો માલિક છું, ના રહેવું હોય તો ઘરમાંથી નીકળી જા
હું મારા દીકરાને ઉંઘાડતી ત્યારે મારા સાસુ-સસરા પંખો બંધ કરી દેતા, જેથી દીકરો ઊંઘમાંથી ઊઠી જતો. મારાં સાસુ-સસરા મને જણાવતા હતા કે શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. હું જમવાનું બનાવું એમાં મારાં સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકીકત હું મારા પતિ અને સસરાને જણાવું ત્યારે તેઓ કહેતા હતા કે હું આ ઘરનો માલિક છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો આ ઘરમાંથી નીકળી જા, એમ કહીને મારા દીકરાને પણ માર મારતા હતા અને પૂરું ખાવાનું પણ આપતા નહોતા. કંઇ પણ કહેવા જઉં તો કહેતા કે આભાર માન કે તારા દીકરાને ખાવાનું મળે છે.
મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવા છત્તા તેઓ પણ હેરાન કરતા
હું બપોરે મારા દીકરા સાથે ઊંઘું તો કહેતા કે અત્યારે અમારે આરામ કરવાનો સમય છે. તું તારી માના ઘરે જતી રહે. મારા દિયરની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ પણ હેરાન કરતા હતા. આ અંગે મેં 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યારે મારા પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે મારો ભાઇ અને પિતા હવે તને હેરાન નહીં કરે. આ સમયે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યાર બાદ સમાધાન કર્યું હતું. જોકે ત્યાર બાદ પણ મારાં સાસુ-સસરા અને પતિ અવારનવાર કોઇ ને કોઇ બહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી મેં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે અને મારા દિયરની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી કરાવવા માગતી નથી.