કેનાલમાં શેખબાબુની લાશનો પત્તો મેળવવાનો સીઆઇડી ક્રાઇમનો બીજો પ્રયત્ન નિષ્ફળ રહ્યો
મંગળવારે નર્મદા કેનાલના છાણીથી લઇને સેવાસી સુધીના 9 કિમી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
સર્ચ ઓપરેશનમાં છાણીથી લઇને સેવાસી સુધીના વિસ્તારમાં કચરા અને ડહોળું પાણીની સમસ્યાને કારણે તકલીફ પડી
વડોદરા. છાણીથી સેવાસી સુધીની કેનાલમાં શેખબાબુની લાશનો પત્તો મેળવવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમે મંગળવારે બીજી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 9 કિમી વિસ્તારમાં સર્ચ બાદ બીજી વખત ટીમને નિષ્ફળતા સાંપડી હતી. આમ, શેખબાબુની લાશનો કેનાલમાં નિકાલ કર્યા હોવાની આશંકાના આધાકે કરવામાં આવેલી કાર્યવાહીનું પરિણામ શુન્ય આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો
શહેરના પોલીસ બેડામાં ચકચાર મચાવે તેની ઘટના ગત ડિસેમ્બર-19 માં બની હતી. મુળ તેલાંગણાના અને વડોદરામાં ચાદર વેચતા શેખબાબુને ચોરીના ગુનામાં ફતેગંજ પોલીસ લઇ ગઇ હતી. જ્યાં તેની પુછપરછ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનના પીઆઇ તથા અન્ય મળીને લાશને સગેવગે કરી દીધી હતી. જો કે શેખબાબુનો પુત્ર તેને શોધવા માટે વડોદરા આવ્યો હતો. અને તેની કોઇ જાણકારી ન મળતા તેઓ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યાર બાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં પોલીસ કર્મીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાની હકીકત સામે આવી હતી. અને આ મામલે ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી શેખબાબુની લાશનો પત્તો મેળવવા માટે કરવામાં આવેલી કામગીરી
ફતેગંજ પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. ગત 20 ઓક્ટોબરે સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપી-13થી ગોરવા ગંગાનગર સુધીના કેનાલ વિસ્તારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન અસ્થિ મળી આવ્યા હતા. પરંતુ એફએસએલની તપાસમાં અસ્થિ માનવા નહિ પરંતુ પશુનુ હોવાનું સામેે આવ્યું હતું. ત્યાર બાદ ગત રવિવારે સીઆઇડી ક્રાઇમની ટીમે ગત રોજ મહિસાગર નદીના કોતરોમાં 6 ટીમ બનાવીને તપાસ કરી હતી. પરંતુ કોઇ નક્કર તથ્ય સામે આવ્યું ન હતું. મંગળવારે સીઆઇડી ક્રાઇમની ટીમે છાણીથી સેવાસી સુધીના કેનાલ વિસ્તારમાં તથા 6 સાયફનમાં શેખબાબુની લાશને શોધા માટે કામે લાગી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમ સાથે શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિઝાસ્ટર ટીમ સહિતની અન્ય ટીમ જોડાઇ હતી. આખા દિવસની મહેનત બાદ પણ કંઇ મળી શક્યું ન હતું.
ડહોળા પાણી અને કચરાને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી - ઓમ જાડેજા, ફાયર ઓફિસર
મંગળવારે નર્મદા કેનાલના છાણીથી લઇને સેવાસી સુધીના 9 કિમી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શેખબાબુની લાશનો નિકાલ કરાયાની આશંકાએ બીજી વખત કેનાલમાંસર્ચ ઓપરેશન કરાવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં છાણીથી લઇને સેવાસી સુધીના વિસ્તારમાં કચરા અને ડહોળું પાણીની સમસ્યાને કારણે તકલીફ પડી હતી. પરંતુ ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. - ઓમ જાડેજા , ફાયર ઓફિસર - વીએમસી
પાલીકાના 50 જેટલા સફાઇ કર્મીઓ શોધખોળમાં જોડાયા
મંગળવારે કેનાલમાં શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં સીઆઇડી ક્રાઇમ, એસડીઆરએફ, ફાયર બ્રીગેડ, સહિત અનેક ડિપાર્ટમેન્ટના સ્ટાફ જોડાયા હતા. પરંતુ પ્રથમ વખત સર્ચમાં પાલીકાના 50 જેટલા સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા. તમામ દ્વારા શેખબાબુની લાશને શોખવાના સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નિષ્ફળતા જ સાંપડી હતી.
મંગળવારે નર્મદા કેનાલના છાણીથી લઇને સેવાસી સુધીના 9 કિમી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
સર્ચ ઓપરેશનમાં છાણીથી લઇને સેવાસી સુધીના વિસ્તારમાં કચરા અને ડહોળું પાણીની સમસ્યાને કારણે તકલીફ પડી
વડોદરા. છાણીથી સેવાસી સુધીની કેનાલમાં શેખબાબુની લાશનો પત્તો મેળવવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમે મંગળવારે બીજી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 9 કિમી વિસ્તારમાં સર્ચ બાદ બીજી વખત ટીમને નિષ્ફળતા સાંપડી હતી. આમ, શેખબાબુની લાશનો કેનાલમાં નિકાલ કર્યા હોવાની આશંકાના આધાકે કરવામાં આવેલી કાર્યવાહીનું પરિણામ શુન્ય આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો
શહેરના પોલીસ બેડામાં ચકચાર મચાવે તેની ઘટના ગત ડિસેમ્બર-19 માં બની હતી. મુળ તેલાંગણાના અને વડોદરામાં ચાદર વેચતા શેખબાબુને ચોરીના ગુનામાં ફતેગંજ પોલીસ લઇ ગઇ હતી. જ્યાં તેની પુછપરછ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનના પીઆઇ તથા અન્ય મળીને લાશને સગેવગે કરી દીધી હતી. જો કે શેખબાબુનો પુત્ર તેને શોધવા માટે વડોદરા આવ્યો હતો. અને તેની કોઇ જાણકારી ન મળતા તેઓ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યાર બાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં પોલીસ કર્મીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાની હકીકત સામે આવી હતી. અને આ મામલે ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી શેખબાબુની લાશનો પત્તો મેળવવા માટે કરવામાં આવેલી કામગીરી
ફતેગંજ પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. ગત 20 ઓક્ટોબરે સીઆઇડી ક્રાઇમની ટીમે ટીપી-13થી ગોરવા ગંગાનગર સુધીના કેનાલ વિસ્તારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન અસ્થિ મળી આવ્યા હતા. પરંતુ એફએસએલની તપાસમાં અસ્થિ માનવા નહિ પરંતુ પશુનુ હોવાનું સામેે આવ્યું હતું. ત્યાર બાદ ગત રવિવારે સીઆઇડી ક્રાઇમની ટીમે ગત રોજ મહિસાગર નદીના કોતરોમાં 6 ટીમ બનાવીને તપાસ કરી હતી. પરંતુ કોઇ નક્કર તથ્ય સામે આવ્યું ન હતું. મંગળવારે સીઆઇડી ક્રાઇમની ટીમે છાણીથી સેવાસી સુધીના કેનાલ વિસ્તારમાં તથા 6 સાયફનમાં શેખબાબુની લાશને શોધા માટે કામે લાગી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમ સાથે શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિઝાસ્ટર ટીમ સહિતની અન્ય ટીમ જોડાઇ હતી. આખા દિવસની મહેનત બાદ પણ કંઇ મળી શક્યું ન હતું.
ડહોળા પાણી અને કચરાને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી - ઓમ જાડેજા, ફાયર ઓફિસર
મંગળવારે નર્મદા કેનાલના છાણીથી લઇને સેવાસી સુધીના 9 કિમી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શેખબાબુની લાશનો નિકાલ કરાયાની આશંકાએ બીજી વખત કેનાલમાંસર્ચ ઓપરેશન કરાવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં છાણીથી લઇને સેવાસી સુધીના વિસ્તારમાં કચરા અને ડહોળું પાણીની સમસ્યાને કારણે તકલીફ પડી હતી. પરંતુ ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. - ઓમ જાડેજા , ફાયર ઓફિસર - વીએમસી
પાલીકાના 50 જેટલા સફાઇ કર્મીઓ શોધખોળમાં જોડાયા
મંગળવારે કેનાલમાં શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં સીઆઇડી ક્રાઇમ, એસડીઆરએફ, ફાયર બ્રીગેડ, સહિત અનેક ડિપાર્ટમેન્ટના સ્ટાફ જોડાયા હતા. પરંતુ પ્રથમ વખત સર્ચમાં પાલીકાના 50 જેટલા સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા. તમામ દ્વારા શેખબાબુની લાશને શોખવાના સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નિષ્ફળતા જ સાંપડી હતી.